દક્ષિણ ગુજરાતમાં લાઈટ ગઈ હવે પૂર્વવત પણ 32 લાખ કરતા વધુ ગ્રાહકોને અસર પડી


  • Published By : Admin
  • Published Date : 2025-03-12 21:14:33

આગ ઝરતી કાળઝાળ ગરમી પડી રહી છે, કુલર, પંખા, એસીની તાતી જરુર વચ્ચે દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે.  તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ.  મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો  ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.  


આજે એટલે કે 12 માર્ચના બપોરે  3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત, તાપી, ભરુચ, રાજપીપળા સહિતની જગ્યાઓ પર લોકો હેરાન પરેશાન થયા હતા. સુરતમાં તો કાપડ અને હીરાના કારખાનાઓમાં અચાનક મશીનો બંધ થઈ જતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. સુરતમાં મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે પણ પહોંચ્યા હતા. આ વીજફોલ્ટ સર્જાવાને કારમે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામના 32 લાખ 37 હજાર કરતા વધારે ગ્રાહકો પ્રભાવિત થયા હતા. 


આ તકલીફ કેમ સર્જાય હતી તો, DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીના કહેવા પ્રમાણે 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રિપ થઈ  હતી. ( ટ્રિપ થવુ એટલે વીજ ફોલ્ટને કારણે સર્કિટને નુકાસન થવું). દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રિપ થતા સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આ અચાનક આવેલા વીજફોલ્ટના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને સૌથી વધારે અસર પહોંચી નુકસાન પણ થયું હતું. કારણ કે ઉદ્યોગોમાં વપરાતા મશીનોના હેડ અચાનક ઈલેક્ટ્રીસિટી જવાને કારણે ડેમેજ થઈ જાય. મોટાભાગના કારખાનાઓમાં મશીનરીમાં વપરાતા હેડ ઈઝરાયલથી આવતા હોય છે. એકવાર હેડ ડેમેજ થઈ જાય તો ફરી મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. 


વેપારીઓની સાથે દક્ષિણ ગુજરાતના લોકોને ચિંતા એ હતી કે શું આ કોઈ બ્લેકઆઉટ છે.... જો બ્લેકઆઉટ હોય તો વીજળી પાછી પૂર્વવત થવામાં ઘણા કલાકો લાગી શકે.  પણ રાહતએ છે કે આ બ્લેકઆઉટ નથી. વર્ષ 2012માં 30 અને 31 જુલાઈમાં છેલ્લે સૌથી મોટુ બ્લેકઆઉટ ભારતમાં થયું હતું જેમાં એકસાથે 13 કલાક સુધી વીજળી નહોતી. 40 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.  તમને એ પણ જણાવી દઉં કે ભારત વિશ્વનું ત્રીજો સૌથી મોટો દેશ છે જે સૌથી વધારે ઈલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરે છે.  અને એ પણ માહિતી આપી દઉ કે ભારતીય ઈલેક્ટ્રિસિટીનું માળખુ 5 ગ્રીડમાં ડિવાઈડેડ છે.  Northern, Eastern, Western, North Eastern and Southern Grids આ એકબીજા સાથે કનેક્ટેડ છે.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.