દક્ષિણ ગુજરાતમાં લાઈટ ગઈ હવે પૂર્વવત પણ 32 લાખ કરતા વધુ ગ્રાહકોને અસર પડી


  • Published By : Admin
  • Published Date : 2025-03-12 21:14:33

આગ ઝરતી કાળઝાળ ગરમી પડી રહી છે, કુલર, પંખા, એસીની તાતી જરુર વચ્ચે દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે.  તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ.  મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો  ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.  


આજે એટલે કે 12 માર્ચના બપોરે  3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત, તાપી, ભરુચ, રાજપીપળા સહિતની જગ્યાઓ પર લોકો હેરાન પરેશાન થયા હતા. સુરતમાં તો કાપડ અને હીરાના કારખાનાઓમાં અચાનક મશીનો બંધ થઈ જતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. સુરતમાં મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે પણ પહોંચ્યા હતા. આ વીજફોલ્ટ સર્જાવાને કારમે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામના 32 લાખ 37 હજાર કરતા વધારે ગ્રાહકો પ્રભાવિત થયા હતા. 


આ તકલીફ કેમ સર્જાય હતી તો, DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીના કહેવા પ્રમાણે 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રિપ થઈ  હતી. ( ટ્રિપ થવુ એટલે વીજ ફોલ્ટને કારણે સર્કિટને નુકાસન થવું). દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રિપ થતા સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આ અચાનક આવેલા વીજફોલ્ટના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને સૌથી વધારે અસર પહોંચી નુકસાન પણ થયું હતું. કારણ કે ઉદ્યોગોમાં વપરાતા મશીનોના હેડ અચાનક ઈલેક્ટ્રીસિટી જવાને કારણે ડેમેજ થઈ જાય. મોટાભાગના કારખાનાઓમાં મશીનરીમાં વપરાતા હેડ ઈઝરાયલથી આવતા હોય છે. એકવાર હેડ ડેમેજ થઈ જાય તો ફરી મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. 


વેપારીઓની સાથે દક્ષિણ ગુજરાતના લોકોને ચિંતા એ હતી કે શું આ કોઈ બ્લેકઆઉટ છે.... જો બ્લેકઆઉટ હોય તો વીજળી પાછી પૂર્વવત થવામાં ઘણા કલાકો લાગી શકે.  પણ રાહતએ છે કે આ બ્લેકઆઉટ નથી. વર્ષ 2012માં 30 અને 31 જુલાઈમાં છેલ્લે સૌથી મોટુ બ્લેકઆઉટ ભારતમાં થયું હતું જેમાં એકસાથે 13 કલાક સુધી વીજળી નહોતી. 40 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.  તમને એ પણ જણાવી દઉં કે ભારત વિશ્વનું ત્રીજો સૌથી મોટો દેશ છે જે સૌથી વધારે ઈલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરે છે.  અને એ પણ માહિતી આપી દઉ કે ભારતીય ઈલેક્ટ્રિસિટીનું માળખુ 5 ગ્રીડમાં ડિવાઈડેડ છે.  Northern, Eastern, Western, North Eastern and Southern Grids આ એકબીજા સાથે કનેક્ટેડ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.