Nita Ambaniની શક્તિ આરાધના! Anant Ambani- Radhika Merchant Pre Weddingમાં Nita Ambaniએ કર્યું નૃત્ય, જુઓ મંત્રમુગ્ધ કરી દેતું નૃત્ય


  • Published By :
  • Published Date : 2024-03-04 11:21:29

જામનગર ખાતે Ambani Familyએ Anant Ambani અને  Radhika Merchantના પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશવિદેશથી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ અંબાણી પરિવાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ. પ્રી વેડિંગ કાર્યક્રમમાં નીતા અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ કર્યો હતો. શક્તિની આરાધના નીતા અંબાણી દ્વારા કરવામાં આવી છે. વિશ્વંભરી સ્તુતી પર નીતા અંબાણીએ પરફોર્મ કર્યું છે જે ખૂબ પસંદ આવી રહ્યું છે.

માતાજીની સ્તૃતિ પર નીતા અંબાણીનો ડાન્સ! 

નીતા અંબાણી એક સારા ક્લાસીકલ ડાન્સર છે તે આપણે જાણીએ છીએ. તેમના ડાન્સના અનેક વીડિયો આપણને જોવા પણ મળતા હોય છે. થોડા વર્ષો પહેલા તેમણે એક ભજન પર તેમણે ડાન્સ કર્યો હતો ત્યારે ફરી એક વખત નીતા અંબાણીએ સ્તુતી પર ડાન્સ પરફોર્મન્સ કર્યું છે. નીતા અંબાણીએ માતાજીની સ્તુતી પર નૃત્ય કર્યું છે. ડાન્સનો વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે... 

આમંત્રિત મહેમાનોએ કર્યા હતા ગરબા!

અંબાણી પરિવાર પોતાના લાઈફસ્ટાઈલ, પોતાની ફેશનને કારણે તો ચર્ચામાં રહે છે પરંતુ તેમના સંસ્કારો, સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ પણ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરે છે. જામનગરમાં અંબાણી પરિવારે ગ્રામજનોને જમાડ્યા હતા. મુકેશ અંબાણી, અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટે ભોજન પીરસ્યું હતું. તે બાદ જામનગર માટે નીતા અંબાણીએ તેમજ અનંત અંબાણીએ નિવેદન આપ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો. ગરબાના તાલે આમંત્રિત મહેમાનો ઝુમ્યા હતા.            



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.