Nita Ambaniની શક્તિ આરાધના! Anant Ambani- Radhika Merchant Pre Weddingમાં Nita Ambaniએ કર્યું નૃત્ય, જુઓ મંત્રમુગ્ધ કરી દેતું નૃત્ય


  • Published By :
  • Published Date : 2024-03-04 11:21:29

જામનગર ખાતે Ambani Familyએ Anant Ambani અને  Radhika Merchantના પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશવિદેશથી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ અંબાણી પરિવાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ. પ્રી વેડિંગ કાર્યક્રમમાં નીતા અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ કર્યો હતો. શક્તિની આરાધના નીતા અંબાણી દ્વારા કરવામાં આવી છે. વિશ્વંભરી સ્તુતી પર નીતા અંબાણીએ પરફોર્મ કર્યું છે જે ખૂબ પસંદ આવી રહ્યું છે.

માતાજીની સ્તૃતિ પર નીતા અંબાણીનો ડાન્સ! 

નીતા અંબાણી એક સારા ક્લાસીકલ ડાન્સર છે તે આપણે જાણીએ છીએ. તેમના ડાન્સના અનેક વીડિયો આપણને જોવા પણ મળતા હોય છે. થોડા વર્ષો પહેલા તેમણે એક ભજન પર તેમણે ડાન્સ કર્યો હતો ત્યારે ફરી એક વખત નીતા અંબાણીએ સ્તુતી પર ડાન્સ પરફોર્મન્સ કર્યું છે. નીતા અંબાણીએ માતાજીની સ્તુતી પર નૃત્ય કર્યું છે. ડાન્સનો વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે... 

આમંત્રિત મહેમાનોએ કર્યા હતા ગરબા!

અંબાણી પરિવાર પોતાના લાઈફસ્ટાઈલ, પોતાની ફેશનને કારણે તો ચર્ચામાં રહે છે પરંતુ તેમના સંસ્કારો, સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ પણ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરે છે. જામનગરમાં અંબાણી પરિવારે ગ્રામજનોને જમાડ્યા હતા. મુકેશ અંબાણી, અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટે ભોજન પીરસ્યું હતું. તે બાદ જામનગર માટે નીતા અંબાણીએ તેમજ અનંત અંબાણીએ નિવેદન આપ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો. ગરબાના તાલે આમંત્રિત મહેમાનો ઝુમ્યા હતા.            



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .