Nita Ambaniની શક્તિ આરાધના! Anant Ambani- Radhika Merchant Pre Weddingમાં Nita Ambaniએ કર્યું નૃત્ય, જુઓ મંત્રમુગ્ધ કરી દેતું નૃત્ય


  • Published By :
  • Published Date : 2024-03-04 11:21:29

જામનગર ખાતે Ambani Familyએ Anant Ambani અને  Radhika Merchantના પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશવિદેશથી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ અંબાણી પરિવાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ. પ્રી વેડિંગ કાર્યક્રમમાં નીતા અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ કર્યો હતો. શક્તિની આરાધના નીતા અંબાણી દ્વારા કરવામાં આવી છે. વિશ્વંભરી સ્તુતી પર નીતા અંબાણીએ પરફોર્મ કર્યું છે જે ખૂબ પસંદ આવી રહ્યું છે.

માતાજીની સ્તૃતિ પર નીતા અંબાણીનો ડાન્સ! 

નીતા અંબાણી એક સારા ક્લાસીકલ ડાન્સર છે તે આપણે જાણીએ છીએ. તેમના ડાન્સના અનેક વીડિયો આપણને જોવા પણ મળતા હોય છે. થોડા વર્ષો પહેલા તેમણે એક ભજન પર તેમણે ડાન્સ કર્યો હતો ત્યારે ફરી એક વખત નીતા અંબાણીએ સ્તુતી પર ડાન્સ પરફોર્મન્સ કર્યું છે. નીતા અંબાણીએ માતાજીની સ્તુતી પર નૃત્ય કર્યું છે. ડાન્સનો વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે... 

આમંત્રિત મહેમાનોએ કર્યા હતા ગરબા!

અંબાણી પરિવાર પોતાના લાઈફસ્ટાઈલ, પોતાની ફેશનને કારણે તો ચર્ચામાં રહે છે પરંતુ તેમના સંસ્કારો, સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ પણ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરે છે. જામનગરમાં અંબાણી પરિવારે ગ્રામજનોને જમાડ્યા હતા. મુકેશ અંબાણી, અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટે ભોજન પીરસ્યું હતું. તે બાદ જામનગર માટે નીતા અંબાણીએ તેમજ અનંત અંબાણીએ નિવેદન આપ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો. ગરબાના તાલે આમંત્રિત મહેમાનો ઝુમ્યા હતા.            



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે