Nita Ambaniની શક્તિ આરાધના! Anant Ambani- Radhika Merchant Pre Weddingમાં Nita Ambaniએ કર્યું નૃત્ય, જુઓ મંત્રમુગ્ધ કરી દેતું નૃત્ય


  • Published By :
  • Published Date : 2024-03-04 11:21:29

જામનગર ખાતે Ambani Familyએ Anant Ambani અને  Radhika Merchantના પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશવિદેશથી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ અંબાણી પરિવાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ. પ્રી વેડિંગ કાર્યક્રમમાં નીતા અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ કર્યો હતો. શક્તિની આરાધના નીતા અંબાણી દ્વારા કરવામાં આવી છે. વિશ્વંભરી સ્તુતી પર નીતા અંબાણીએ પરફોર્મ કર્યું છે જે ખૂબ પસંદ આવી રહ્યું છે.

માતાજીની સ્તૃતિ પર નીતા અંબાણીનો ડાન્સ! 

નીતા અંબાણી એક સારા ક્લાસીકલ ડાન્સર છે તે આપણે જાણીએ છીએ. તેમના ડાન્સના અનેક વીડિયો આપણને જોવા પણ મળતા હોય છે. થોડા વર્ષો પહેલા તેમણે એક ભજન પર તેમણે ડાન્સ કર્યો હતો ત્યારે ફરી એક વખત નીતા અંબાણીએ સ્તુતી પર ડાન્સ પરફોર્મન્સ કર્યું છે. નીતા અંબાણીએ માતાજીની સ્તુતી પર નૃત્ય કર્યું છે. ડાન્સનો વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે... 

આમંત્રિત મહેમાનોએ કર્યા હતા ગરબા!

અંબાણી પરિવાર પોતાના લાઈફસ્ટાઈલ, પોતાની ફેશનને કારણે તો ચર્ચામાં રહે છે પરંતુ તેમના સંસ્કારો, સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ પણ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરે છે. જામનગરમાં અંબાણી પરિવારે ગ્રામજનોને જમાડ્યા હતા. મુકેશ અંબાણી, અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટે ભોજન પીરસ્યું હતું. તે બાદ જામનગર માટે નીતા અંબાણીએ તેમજ અનંત અંબાણીએ નિવેદન આપ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો. ગરબાના તાલે આમંત્રિત મહેમાનો ઝુમ્યા હતા.            



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"