મંદિરમાં દર્શન કર્યા બાદ કરવામાં આવે છે પ્રદક્ષિણા, જાણો કયા ભગવાનની કેટલી કરવી જોઈએ પ્રદક્ષિણા


  • Published By :
  • Published Date : 2022-11-22 16:13:03

હિંદુ ધર્મમાં ભગવાનની પ્રદક્ષિણા કરવાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આપણે કોઈ પણ મંદિરે દર્શાનાર્થે જઈએ છીએ ત્યારે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાંથી વાઈબ્રેશન નિકળતા રહે છે. મૂર્તિની આસપાસ ચાલવાથી મૂર્તિમાં રહેલી ઉર્જા આપણામાં આવે છે. પ્રદક્ષિણા હમેશાં જમણેથી ડાબે ફરવામાં આવે છે. એવું માનવામાં આવે છે પ્રદક્ષિણા કરવાથી અનેક ઘણુ ફળ મળે છે. આપણે ત્યાં ન માત્ર મંદિરોમાં પરિક્રમા કરવામાં આવે છે પરંતુ નદીઓની, પર્વતોની, વૃક્ષોની પણ પરિક્રમા કરવામાં આવે છે.   

પ્રદક્ષિણા કરવાનો મહિમા 

આપણે જ્યારે કોઈ પણ મંદિરે જઈયે છીએ ત્યારે પ્રદક્ષિણા અવશ્ય કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે કોઈ પણ ભગવાનના મંદિરે જઈએ છીએ ત્યારે એક પરિક્રમા કરતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે કયા દેવની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ? ત્યારે આજે જાણીએ કયા ભગવાનની કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

Ganpati Sthapana Muhurat 2022: Know When The Auspicious Time To Establish  The Idol Of Ganeshji Is, These Benefits Come From Worship | Ganpati  Sthapana Muhurat 2022: જાણો ગણેશજીની મૂર્તિની સ્થાપનાનું શુભ મુહૂર્ત

Devi Ambika.. by Yogi Ananda Saraswathi - Goddess Vidya

ગણપતિજીની ત્રણ વખત કરવામાં આવે છે પરિક્રમા 

આપણે ત્યાં દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ પ્રદક્ષિણા કરવાનું વિધાન છે. સૌથી પહેલા વાત કરીએ પ્રથમ પૂજ્ય ગણેશજીની, તો તેમની 3 વખત પરિક્રમા કરવી જોઈએ જેનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન સૂર્યદેવની સાત વખત પરિક્રમા કરવી જોઈએ. જ્યારે માતાજીની એક વખત જ પ્રદક્ષિણા કરવી જોઈએ. 

મકરસંક્રાંતિ પર આ નાનકડી વસ્તુથી અવશ્ય કરો સૂર્યદેવની પૂજા, ઘરમાંથી ક્યારેય  નહીં ખૂટે ધન-ધાન્ય - GSTV

શંકર ભગવાનની અડધી પરિક્રમા કરવી જોઈએ  

ભગવાન વિષ્ણુની ચાર વખત પરિક્રમા કરવી જોઈએ. હનુમાનજીની પણ ત્રણ પરિક્રમા કરવામાં આવે છે. જ્યારે શંકરની ભગવાનની અડધી પરિક્રમા જ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સોમસૂત્રને ઓળંગી શકાય નહીં. સોમસૂત્ર એટલે એ ધારા જ્યાંથી ભગવાન શંકરને અર્પિત કરવામાં આવેલું જળ અથવા દૂધની ધારા વહે છે. આ ધારાને કોઈ દિવસ ઓળંગવી ન જોઈએ.

શ્રાવણ સોમવાર 2020 : જાણો, શિવ પૂજાના મહત્ત્વ વિશે... | sawan month 2020  sawan somvar sawan puja vidhi sawan puja samagri and shiv mantra

પરિક્રમા દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ 

આપણે જ્યારે પરિક્રમા કરતા હોઈએ ત્યારે મનમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જો ભગવાન ગણપતિના મંદિરે ગયા હોઈએ તો ઓમ્ ગં ગણપતયે નમ: નો જાપ કરવો જોઈએ. જો માતાજીના મંદિરે ગયા હોઈએ તો ઓમ્ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ: નો જાપ કરવો જોઈએ. સૂર્યદેવની પરિક્રમા કરતી વખતે ઓમ્ સૂર્યાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ અથવા તો સૂર્ય ભગવાનના 12 નામોનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા કરતી વખતે ઓમ્ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. અને શિવાલયે જઈ ઓમ્ નમ: શિવાયનો મંત્રનો જાપ કરવો જોઈએ. અથવા તો  || યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સવાર્ણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે ।। મંત્રથી પ્રદક્ષિણા કરવી જોઈએ.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.