પ્રધાન મંત્રીએ કાંકરેજમાં સભા ગજવી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-12-02 16:19:16

ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને બીજા તબક્કાની બેઠકો પર હજુ પણ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે PM મોદી બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ બીજા તબક્કાના મતદાનમાં વોટરોનો મોટી સંખ્યામાં બહાર નીકળીને મત આપવા જવા હાકલ કરી હતી.


PMએ ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા !!!


PM મોદીએ કહ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશનકાર્ડ હતા જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો, એના લગ્ન થઈ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્શન લેતા. આ કોંગ્રેસીઓ આવું કરતા. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરી મેં આગળનો રસ્તો કર્યો. ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે. કટકી કરવા ન મળે એટલે મોદીનો ગાળો બોલે.


વોટિંગની કરી અપીલ 

વડાપ્રધાને આ સાથે જ 5મી ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વધુમાં વધુ મતદાન કરીને કમળ ખીલવવા માટે હાકલ કરી હતી અને મતદાનના તમામ રેકોર્ડ તોડવા માટે અપીલ કરી હતી.




સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.