પ્રધાન મંત્રીએ કાંકરેજમાં સભા ગજવી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-12-02 16:19:16

ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને બીજા તબક્કાની બેઠકો પર હજુ પણ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે PM મોદી બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ બીજા તબક્કાના મતદાનમાં વોટરોનો મોટી સંખ્યામાં બહાર નીકળીને મત આપવા જવા હાકલ કરી હતી.


PMએ ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા !!!


PM મોદીએ કહ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશનકાર્ડ હતા જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો, એના લગ્ન થઈ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્શન લેતા. આ કોંગ્રેસીઓ આવું કરતા. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરી મેં આગળનો રસ્તો કર્યો. ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે. કટકી કરવા ન મળે એટલે મોદીનો ગાળો બોલે.


વોટિંગની કરી અપીલ 

વડાપ્રધાને આ સાથે જ 5મી ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વધુમાં વધુ મતદાન કરીને કમળ ખીલવવા માટે હાકલ કરી હતી અને મતદાનના તમામ રેકોર્ડ તોડવા માટે અપીલ કરી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.