PM ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 9.5 લાખ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા, કોણ કરી શકે છે મદદ જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:18:04

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)2030થી પાંચ વર્ષ પહેલા ટીબીને ખતમ કરવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા 9 સપ્ટેમ્બરનાં રોજ શરૂ કરવામાં આવેલ 'પ્રધાનમંત્રી -ટીબી મુક્ત અભિયાન' હેઠળ 9.5 લાખથી વધારે રોગીઓની સારસંભાળ લેવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ટીબીનાં દર્દીઓની વિશેષ વ્યક્તિ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સંસ્થાનોનાં સંરક્ષણમા સારસંભાળ લેવામાં આવશે. 


PM ટીબી મુક્ત ભારત અભિયાન અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે NI-Kshya પોર્ટલ 2.0 પર ‘Ni-Kshya Mitras’ (TB દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિ) હેઠળ 15,415 નોંધણી કરવામાં આવી છે, જેમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, ઉદ્યોગો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં હાલમાં મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ સહિત કુલ 13,53,443 ટીબીના દર્દીઓમાંથી 9.57 લાખ દર્દીઓએ સંભાળ માટે દત્તક લેવાની સંમતિ આપી છે અને તેમાંથી લગભગ તમામ (9,56,352)ને શનિવાર સુધી સંભાળ માટે અપનાવવામાં આવ્યા છે.



દર્દીઓની કેવી રીતે કરી શકાશે મદદ?


દર્દીઓની સંભાળ કરનારા દાતાઓમાં હિતધારકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોથી લઈને કોર્પોરેટ, એનજીઓ, સંસ્થાઓનો સમાવેશ થઈ શકે છે. કાર્યક્રમ હેઠળ, ક્ષય રોગના પ્રત્યેક દર્દી માટે ત્રણ કિલોગ્રામ ચોખા, 1.5 કિલોગ્રામ કઠોળ, 250 ગ્રામ વનસ્પતિ તેલ અને એક કિલોગ્રામ દૂધનો પાવડર અથવા છ લિટર દૂધ અથવા એક કિલોગ્રામ સીંગદાણાના માસિક ભોજનની ભલામણ કરવામાં આવી છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, તેમાં ત્રીસ જેટલા ઇંડા પણ ઉમેરી શકાય છે.


અધિકારીએ જણાવ્યું છે કે વર્તમાનમાં 65થી 70 ટકા ટીબીનાં દર્દીઓ 15થી 45 વર્ષની ઉંમરનાં છે. એક ટીબીનાં દર્દીની વધારેમાં વધારે સહાયતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો ઓછામાં ઓછો સને એક વર્ષ હશે. જોકે, બે કે ત્રણ વર્ષ સહાયતા કરી શકાય છે. અધિકારીએ કહ્યું કે આ એક સ્વૈચ્છિક પહેલ છે. કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યક્રમ હેઠળ ઓડિશાના ચાર જિલ્લાઓના બઢા ટીબી રોગીઓને દત્તક લીધા છે. કેન્દ્રીય મંત્રીએ સાથે જ કહ્યું કે તે 72 લાભાર્થીઓને વધારેમાં વધારે પોષણની સહાયતા કરશે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.