PM ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 9.5 લાખ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા, કોણ કરી શકે છે મદદ જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:18:04

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)2030થી પાંચ વર્ષ પહેલા ટીબીને ખતમ કરવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા 9 સપ્ટેમ્બરનાં રોજ શરૂ કરવામાં આવેલ 'પ્રધાનમંત્રી -ટીબી મુક્ત અભિયાન' હેઠળ 9.5 લાખથી વધારે રોગીઓની સારસંભાળ લેવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ટીબીનાં દર્દીઓની વિશેષ વ્યક્તિ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સંસ્થાનોનાં સંરક્ષણમા સારસંભાળ લેવામાં આવશે. 


PM ટીબી મુક્ત ભારત અભિયાન અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે NI-Kshya પોર્ટલ 2.0 પર ‘Ni-Kshya Mitras’ (TB દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિ) હેઠળ 15,415 નોંધણી કરવામાં આવી છે, જેમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, ઉદ્યોગો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં હાલમાં મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ સહિત કુલ 13,53,443 ટીબીના દર્દીઓમાંથી 9.57 લાખ દર્દીઓએ સંભાળ માટે દત્તક લેવાની સંમતિ આપી છે અને તેમાંથી લગભગ તમામ (9,56,352)ને શનિવાર સુધી સંભાળ માટે અપનાવવામાં આવ્યા છે.



દર્દીઓની કેવી રીતે કરી શકાશે મદદ?


દર્દીઓની સંભાળ કરનારા દાતાઓમાં હિતધારકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોથી લઈને કોર્પોરેટ, એનજીઓ, સંસ્થાઓનો સમાવેશ થઈ શકે છે. કાર્યક્રમ હેઠળ, ક્ષય રોગના પ્રત્યેક દર્દી માટે ત્રણ કિલોગ્રામ ચોખા, 1.5 કિલોગ્રામ કઠોળ, 250 ગ્રામ વનસ્પતિ તેલ અને એક કિલોગ્રામ દૂધનો પાવડર અથવા છ લિટર દૂધ અથવા એક કિલોગ્રામ સીંગદાણાના માસિક ભોજનની ભલામણ કરવામાં આવી છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, તેમાં ત્રીસ જેટલા ઇંડા પણ ઉમેરી શકાય છે.


અધિકારીએ જણાવ્યું છે કે વર્તમાનમાં 65થી 70 ટકા ટીબીનાં દર્દીઓ 15થી 45 વર્ષની ઉંમરનાં છે. એક ટીબીનાં દર્દીની વધારેમાં વધારે સહાયતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો ઓછામાં ઓછો સને એક વર્ષ હશે. જોકે, બે કે ત્રણ વર્ષ સહાયતા કરી શકાય છે. અધિકારીએ કહ્યું કે આ એક સ્વૈચ્છિક પહેલ છે. કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યક્રમ હેઠળ ઓડિશાના ચાર જિલ્લાઓના બઢા ટીબી રોગીઓને દત્તક લીધા છે. કેન્દ્રીય મંત્રીએ સાથે જ કહ્યું કે તે 72 લાભાર્થીઓને વધારેમાં વધારે પોષણની સહાયતા કરશે. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .