મહાદેવને પ્રિય છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-20 17:13:49

હિંદુ ધર્મમાં દરેક તિથિનું વિશેષ મહિમા રહેલું છે. જેમ ચોથ ગણપતિ દાદાને સમર્પિત છે, આઠમ માતાજીને સમર્પિત છે, અગીયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેવી જ રીતે ભગવાન શકંરને સમર્પિત છે તેરસ. ભગવાન શંકરને પ્રસન્ન કરવાના વ્રતોમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહિમા રહેલો છે. હિંદુ કેલેન્ડરના મહિનાઓમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય છે. સુદ અને વદ પક્ષની તેરસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક પ્રદોષનું વ્રત કરવાથી શિવજી ભક્તોના તમામ કષ્ટ કાપે છે. 

આજે વર્ષનું છેલ્લું પ્રદોષ વ્રત, આ રીતે કરો શુક્ર સંબંધિત દોષ દૂર

પ્રદોષ વ્રત છે મહાદેવને અતિપ્રિય

ભગવાન શંકરને પ્રસન્ન કરવા અનેક વ્રતો આપણા ધર્મમાં બતાવ્યા છે. પરંતુ પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન શકંર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે સોમવારના દિવસે પ્રદોષ વ્રત હોવાને કારણે આ વ્રતનો મહિમા વધી જાય છે. સોમવાર પણ ભગવાન શિવને સમર્પિત છે અને પ્રદોષ વ્રત પણ ભગવાન શંકરને સમર્પિત છે, સોમવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું વ્રત-ભક્તિ અનેક ઘણું ફળ આપે છે. એવું માનવામાં છે કે આ દિવસે ભગવાન શંકર પ્રસન્ન મુદ્રામાં હોય છે. જેને કારણે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. 

સાડાસાતી અને ઢૈય્યાના અશુભ પ્રભાવથી બચવા માટે શનિ પ્રદોષ વ્રત કરવામાં આવે  છે | Shani Pradosh Fast Is Also Done To Avoid The Inauspicious Effects Of  Sade Sati And Dhaiya. - Divya Bhaskar

દિવસ દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ   

શિવજીની ઉપાસના કરવાથી દરેક કષ્ટ તેમજ બીમારીઓનો નાશ થાય છે. આ વ્રત કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આખા દિવસ દરમિયાન ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને બને એટલી ઓમ નમ: શિવાયની માળા કરવી જોઈએ. મહાદેવજીના મંદિરે જઈ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ. ઉપરાંત શિવજીને ધતૂરો, બિલીપત્ર, દૂધ, ચંદન સહિતની સામગ્રી અર્પિત કરવી જોઈએ. આ દિવસે તાંડવનો પાઠ પણ કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પ્રદોષ વ્રત કરે છે તેને શ્રાવણ મહિનામાં કરવામાં આવતી ભક્તિ જેટલું પુણ્ય મળે છે. પ્રદોષ વ્રતને મનોવાંચ્છિત ફળ આપનારું વ્રત માનવામાં આવે છે.         


શું છે પ્રદોષ વ્રત પાછળની પ્રચલિત કથા

પૌરાણિક કથા અનુસાર ચંદ્રના વિવાહ પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓ સાથે થયા હતા. પરંતુ 27 પત્નીઓમાંથી ચંદ્રને રોહિણી પ્રત્યે વધારે લાગણી હતી. રોહિણી પ્રત્યે વિશેષ લગાવ હોવાને કારણે બીજી પત્નીઓએ દુખી થઈ આ વાત પોતાના પિતા દક્ષ સામે રજૂ કરી. ગુસ્સામાં ભરાયેલ દક્ષે શ્રાપ આપ્યો જેને કારણે ચંદ્રની કળાઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. ત્યારે નારદજીએ ચંદ્રને અને રોહિણીને ભગવાન શંકરની પૂજા કરવાની સલાહ આપી. ચંદ્ર અને રોહિણીની આરાધનાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.