મહાદેવને પ્રિય છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-20 17:13:49

હિંદુ ધર્મમાં દરેક તિથિનું વિશેષ મહિમા રહેલું છે. જેમ ચોથ ગણપતિ દાદાને સમર્પિત છે, આઠમ માતાજીને સમર્પિત છે, અગીયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેવી જ રીતે ભગવાન શકંરને સમર્પિત છે તેરસ. ભગવાન શંકરને પ્રસન્ન કરવાના વ્રતોમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહિમા રહેલો છે. હિંદુ કેલેન્ડરના મહિનાઓમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય છે. સુદ અને વદ પક્ષની તેરસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક પ્રદોષનું વ્રત કરવાથી શિવજી ભક્તોના તમામ કષ્ટ કાપે છે. 

આજે વર્ષનું છેલ્લું પ્રદોષ વ્રત, આ રીતે કરો શુક્ર સંબંધિત દોષ દૂર

પ્રદોષ વ્રત છે મહાદેવને અતિપ્રિય

ભગવાન શંકરને પ્રસન્ન કરવા અનેક વ્રતો આપણા ધર્મમાં બતાવ્યા છે. પરંતુ પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન શકંર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે સોમવારના દિવસે પ્રદોષ વ્રત હોવાને કારણે આ વ્રતનો મહિમા વધી જાય છે. સોમવાર પણ ભગવાન શિવને સમર્પિત છે અને પ્રદોષ વ્રત પણ ભગવાન શંકરને સમર્પિત છે, સોમવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું વ્રત-ભક્તિ અનેક ઘણું ફળ આપે છે. એવું માનવામાં છે કે આ દિવસે ભગવાન શંકર પ્રસન્ન મુદ્રામાં હોય છે. જેને કારણે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. 

સાડાસાતી અને ઢૈય્યાના અશુભ પ્રભાવથી બચવા માટે શનિ પ્રદોષ વ્રત કરવામાં આવે  છે | Shani Pradosh Fast Is Also Done To Avoid The Inauspicious Effects Of  Sade Sati And Dhaiya. - Divya Bhaskar

દિવસ દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ   

શિવજીની ઉપાસના કરવાથી દરેક કષ્ટ તેમજ બીમારીઓનો નાશ થાય છે. આ વ્રત કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આખા દિવસ દરમિયાન ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને બને એટલી ઓમ નમ: શિવાયની માળા કરવી જોઈએ. મહાદેવજીના મંદિરે જઈ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ. ઉપરાંત શિવજીને ધતૂરો, બિલીપત્ર, દૂધ, ચંદન સહિતની સામગ્રી અર્પિત કરવી જોઈએ. આ દિવસે તાંડવનો પાઠ પણ કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પ્રદોષ વ્રત કરે છે તેને શ્રાવણ મહિનામાં કરવામાં આવતી ભક્તિ જેટલું પુણ્ય મળે છે. પ્રદોષ વ્રતને મનોવાંચ્છિત ફળ આપનારું વ્રત માનવામાં આવે છે.         


શું છે પ્રદોષ વ્રત પાછળની પ્રચલિત કથા

પૌરાણિક કથા અનુસાર ચંદ્રના વિવાહ પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓ સાથે થયા હતા. પરંતુ 27 પત્નીઓમાંથી ચંદ્રને રોહિણી પ્રત્યે વધારે લાગણી હતી. રોહિણી પ્રત્યે વિશેષ લગાવ હોવાને કારણે બીજી પત્નીઓએ દુખી થઈ આ વાત પોતાના પિતા દક્ષ સામે રજૂ કરી. ગુસ્સામાં ભરાયેલ દક્ષે શ્રાપ આપ્યો જેને કારણે ચંદ્રની કળાઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. ત્યારે નારદજીએ ચંદ્રને અને રોહિણીને ભગવાન શંકરની પૂજા કરવાની સલાહ આપી. ચંદ્ર અને રોહિણીની આરાધનાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યા.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.