મહાદેવને પ્રિય છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-20 17:13:49

હિંદુ ધર્મમાં દરેક તિથિનું વિશેષ મહિમા રહેલું છે. જેમ ચોથ ગણપતિ દાદાને સમર્પિત છે, આઠમ માતાજીને સમર્પિત છે, અગીયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેવી જ રીતે ભગવાન શકંરને સમર્પિત છે તેરસ. ભગવાન શંકરને પ્રસન્ન કરવાના વ્રતોમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહિમા રહેલો છે. હિંદુ કેલેન્ડરના મહિનાઓમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય છે. સુદ અને વદ પક્ષની તેરસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક પ્રદોષનું વ્રત કરવાથી શિવજી ભક્તોના તમામ કષ્ટ કાપે છે. 

આજે વર્ષનું છેલ્લું પ્રદોષ વ્રત, આ રીતે કરો શુક્ર સંબંધિત દોષ દૂર

પ્રદોષ વ્રત છે મહાદેવને અતિપ્રિય

ભગવાન શંકરને પ્રસન્ન કરવા અનેક વ્રતો આપણા ધર્મમાં બતાવ્યા છે. પરંતુ પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન શકંર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે સોમવારના દિવસે પ્રદોષ વ્રત હોવાને કારણે આ વ્રતનો મહિમા વધી જાય છે. સોમવાર પણ ભગવાન શિવને સમર્પિત છે અને પ્રદોષ વ્રત પણ ભગવાન શંકરને સમર્પિત છે, સોમવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું વ્રત-ભક્તિ અનેક ઘણું ફળ આપે છે. એવું માનવામાં છે કે આ દિવસે ભગવાન શંકર પ્રસન્ન મુદ્રામાં હોય છે. જેને કારણે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. 

સાડાસાતી અને ઢૈય્યાના અશુભ પ્રભાવથી બચવા માટે શનિ પ્રદોષ વ્રત કરવામાં આવે  છે | Shani Pradosh Fast Is Also Done To Avoid The Inauspicious Effects Of  Sade Sati And Dhaiya. - Divya Bhaskar

દિવસ દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ   

શિવજીની ઉપાસના કરવાથી દરેક કષ્ટ તેમજ બીમારીઓનો નાશ થાય છે. આ વ્રત કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આખા દિવસ દરમિયાન ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને બને એટલી ઓમ નમ: શિવાયની માળા કરવી જોઈએ. મહાદેવજીના મંદિરે જઈ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ. ઉપરાંત શિવજીને ધતૂરો, બિલીપત્ર, દૂધ, ચંદન સહિતની સામગ્રી અર્પિત કરવી જોઈએ. આ દિવસે તાંડવનો પાઠ પણ કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પ્રદોષ વ્રત કરે છે તેને શ્રાવણ મહિનામાં કરવામાં આવતી ભક્તિ જેટલું પુણ્ય મળે છે. પ્રદોષ વ્રતને મનોવાંચ્છિત ફળ આપનારું વ્રત માનવામાં આવે છે.         


શું છે પ્રદોષ વ્રત પાછળની પ્રચલિત કથા

પૌરાણિક કથા અનુસાર ચંદ્રના વિવાહ પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓ સાથે થયા હતા. પરંતુ 27 પત્નીઓમાંથી ચંદ્રને રોહિણી પ્રત્યે વધારે લાગણી હતી. રોહિણી પ્રત્યે વિશેષ લગાવ હોવાને કારણે બીજી પત્નીઓએ દુખી થઈ આ વાત પોતાના પિતા દક્ષ સામે રજૂ કરી. ગુસ્સામાં ભરાયેલ દક્ષે શ્રાપ આપ્યો જેને કારણે ચંદ્રની કળાઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. ત્યારે નારદજીએ ચંદ્રને અને રોહિણીને ભગવાન શંકરની પૂજા કરવાની સલાહ આપી. ચંદ્ર અને રોહિણીની આરાધનાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યા.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.