પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી, જામીન અરજી પર મુદ્દત પડી, 3 ઓગષ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-28 14:18:37

અમદાવાદના ઈસ્કોન ઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 નિર્દોશ લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે.


3 ઓગષ્ટે જામીન અરજી પર સુનાવણી


ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જશીટ ફાઇલ ન થતાં જામીન અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે. મહત્વનું છે કે, ગ્રામ્ય કોર્ટમાં હત્યારા તથ્યના પિતાએ કરી જામીન અરજી હતી. જોકે હવે આરોપી પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં રહેવું પડશે.


પ્રજ્ઞેશ પટેલ તેની ઓડિયો ક્લિપ વાયરલ


જો કે આજકાલ પ્રજ્ઞેશ પટેલ તેની ઓડિયો ક્લિપને લઈ ચર્ચામાં છે. ગઇકાલથી પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ચુકી છે. જેમાં તથ્યનો લૂલો બચાવ કરતાં જોવા મળ્યો હતો.આ ઓડિયો ક્લિપ કથિત રીતે પ્રજ્ઞેશ પટેલની હોવાનું કહેવાય છે. જેમાં તે બોલે છે કે, આજીવન કંઈ નહીં થાય, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય ને, 19-20ના વર્ષના છોકરાથી આવી રીતે કોઈ-કોઈ દિવસ થઈ જાય હવે બહુ ટેન્શન નહીં કરવાનું, પણ માપમાં રાખવાના એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના લઈશ.


પ્રજ્ઞેશ પટેલની વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાશે


તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત એક ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછી કયારની છે તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19 - 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. તેવી વાત કરી રહ્યો છે. જો કે, સામે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી. જો કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જેના આધારે પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે