પ્રાંતિજના ભાજપ MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ સગીરા સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-22 09:19:18

એક સમયના રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલ પ્રાંતિજના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરી એક વખત ગંભીર ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગજેન્દ્ર પરમાર અનેક વખત વિવાદમાં રહેતા હોય છે. થોડા મહિના પહેલા મહિલાએ શારિરીક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વખતે રાજસ્થાનમાં સગીર દીકરીની માતાએ દીકરી સાથે શારિરીક હડપલા કરી જબરજસ્તી કર્યાના આક્ષેપો લગાવ્યા છે. 


હાઈકોર્ટમાં થઈ હતી કેસની સુનાવણી  

થોડા મહિના પહેલા અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્ર પરમાર વિરૂદ્ધ લગ્નની લાલચ આપી શારિરીક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં કરી હતી. સત્તામાં હોવાને કારણે તેમની વિરૂદ્ધ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. જેને કારણે આરોપ લગાવનાર મહિલાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે મહિલાએ રાજકીય અદાવત રાખી, બદલો લેવાની ભાવના સાથે ખોટા આક્ષેપ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

   

જેસલમેર જતી વખતે છેડતી કરી હોવાનો આરોપ 

ત્યારે ફરી એક વખત પ્રાંતિજના ધારાસભ્ય આવા જ કેસને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ સગીરા સાથે છેડતી કર્યા હોવાનો ગુન્હો રાજસ્થાનના સિરોહીમાં નોંધાયો છે. પોક્સો એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ઘટના 2020ની છે.  પીડિતાની માતાના કહેવા પ્રમાણે ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભામાં  મુલાકાત થતી હતી જે દરમિયાન તેઓ સારા મિત્રો બની ગયા હતા. ગજેન્દ્રસિંહે તેમને પોતાની પત્ની તરીકે રાખવાનો ભરોસો આપી શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા. 2020માં ફરિયાદી પોતાની સગીર દીરકરી સાથે ગજેન્દ્ર પરમાર સાથે જેસેલમેર જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને ઉલ્ટી થઈ જેને કારણે ગાડીને ઉભી રાખવી પડી હતી.  આઈસ્કીમ ખવડાવવાને બહાને ગજેન્દ્ર પરમાર અને તેમની સાથે આવેલા મિત્રો મહિલાની દીકરીને લઈ ગયા અને ત્યાં તેની જોડે શારિરીક હડપલાં કર્યા તેમજ જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી.   


કોઈ પગલા ન લેવાતા સિરોહી કોર્ટના ખખડાવ્યા દ્વાર 

પરત આવી દીકરીએ રડતાં-રડતાં ઘરે જવાની વાત કરી. અનેક વખત પૂછવા છતાંય દીકરીએ આ અંગે જણાવ્યું નહીં. આ લોકોના ત્રાસથી પીડિતાની માતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલમાં હતી તે સમય દરમિયાન તેમની દીકરીએ તેમણે જણાવ્યું કે તેની સાથે પણ આવો બનાવ બન્યો છે. આ લોકોએ એટલે કે શારિરીક છેડતી કરી હતી અને જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જે બાદ સિરોહી કોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવી. અને કાર્યવાહી થતા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ રાજસ્થાનના આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ થવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.  






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.