પ્રાંતિજના ભાજપ MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ સગીરા સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-22 09:19:18

એક સમયના રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલ પ્રાંતિજના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરી એક વખત ગંભીર ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગજેન્દ્ર પરમાર અનેક વખત વિવાદમાં રહેતા હોય છે. થોડા મહિના પહેલા મહિલાએ શારિરીક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વખતે રાજસ્થાનમાં સગીર દીકરીની માતાએ દીકરી સાથે શારિરીક હડપલા કરી જબરજસ્તી કર્યાના આક્ષેપો લગાવ્યા છે. 


હાઈકોર્ટમાં થઈ હતી કેસની સુનાવણી  

થોડા મહિના પહેલા અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્ર પરમાર વિરૂદ્ધ લગ્નની લાલચ આપી શારિરીક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં કરી હતી. સત્તામાં હોવાને કારણે તેમની વિરૂદ્ધ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. જેને કારણે આરોપ લગાવનાર મહિલાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે મહિલાએ રાજકીય અદાવત રાખી, બદલો લેવાની ભાવના સાથે ખોટા આક્ષેપ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

   

જેસલમેર જતી વખતે છેડતી કરી હોવાનો આરોપ 

ત્યારે ફરી એક વખત પ્રાંતિજના ધારાસભ્ય આવા જ કેસને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ સગીરા સાથે છેડતી કર્યા હોવાનો ગુન્હો રાજસ્થાનના સિરોહીમાં નોંધાયો છે. પોક્સો એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ઘટના 2020ની છે.  પીડિતાની માતાના કહેવા પ્રમાણે ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભામાં  મુલાકાત થતી હતી જે દરમિયાન તેઓ સારા મિત્રો બની ગયા હતા. ગજેન્દ્રસિંહે તેમને પોતાની પત્ની તરીકે રાખવાનો ભરોસો આપી શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા. 2020માં ફરિયાદી પોતાની સગીર દીરકરી સાથે ગજેન્દ્ર પરમાર સાથે જેસેલમેર જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને ઉલ્ટી થઈ જેને કારણે ગાડીને ઉભી રાખવી પડી હતી.  આઈસ્કીમ ખવડાવવાને બહાને ગજેન્દ્ર પરમાર અને તેમની સાથે આવેલા મિત્રો મહિલાની દીકરીને લઈ ગયા અને ત્યાં તેની જોડે શારિરીક હડપલાં કર્યા તેમજ જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી.   


કોઈ પગલા ન લેવાતા સિરોહી કોર્ટના ખખડાવ્યા દ્વાર 

પરત આવી દીકરીએ રડતાં-રડતાં ઘરે જવાની વાત કરી. અનેક વખત પૂછવા છતાંય દીકરીએ આ અંગે જણાવ્યું નહીં. આ લોકોના ત્રાસથી પીડિતાની માતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલમાં હતી તે સમય દરમિયાન તેમની દીકરીએ તેમણે જણાવ્યું કે તેની સાથે પણ આવો બનાવ બન્યો છે. આ લોકોએ એટલે કે શારિરીક છેડતી કરી હતી અને જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જે બાદ સિરોહી કોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવી. અને કાર્યવાહી થતા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ રાજસ્થાનના આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ થવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.  






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.