પ્રાંતિજના ભાજપ MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ સગીરા સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-22 09:19:18

એક સમયના રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલ પ્રાંતિજના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરી એક વખત ગંભીર ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગજેન્દ્ર પરમાર અનેક વખત વિવાદમાં રહેતા હોય છે. થોડા મહિના પહેલા મહિલાએ શારિરીક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વખતે રાજસ્થાનમાં સગીર દીકરીની માતાએ દીકરી સાથે શારિરીક હડપલા કરી જબરજસ્તી કર્યાના આક્ષેપો લગાવ્યા છે. 


હાઈકોર્ટમાં થઈ હતી કેસની સુનાવણી  

થોડા મહિના પહેલા અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્ર પરમાર વિરૂદ્ધ લગ્નની લાલચ આપી શારિરીક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં કરી હતી. સત્તામાં હોવાને કારણે તેમની વિરૂદ્ધ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. જેને કારણે આરોપ લગાવનાર મહિલાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે મહિલાએ રાજકીય અદાવત રાખી, બદલો લેવાની ભાવના સાથે ખોટા આક્ષેપ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

   

જેસલમેર જતી વખતે છેડતી કરી હોવાનો આરોપ 

ત્યારે ફરી એક વખત પ્રાંતિજના ધારાસભ્ય આવા જ કેસને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ સગીરા સાથે છેડતી કર્યા હોવાનો ગુન્હો રાજસ્થાનના સિરોહીમાં નોંધાયો છે. પોક્સો એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ઘટના 2020ની છે.  પીડિતાની માતાના કહેવા પ્રમાણે ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભામાં  મુલાકાત થતી હતી જે દરમિયાન તેઓ સારા મિત્રો બની ગયા હતા. ગજેન્દ્રસિંહે તેમને પોતાની પત્ની તરીકે રાખવાનો ભરોસો આપી શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા. 2020માં ફરિયાદી પોતાની સગીર દીરકરી સાથે ગજેન્દ્ર પરમાર સાથે જેસેલમેર જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને ઉલ્ટી થઈ જેને કારણે ગાડીને ઉભી રાખવી પડી હતી.  આઈસ્કીમ ખવડાવવાને બહાને ગજેન્દ્ર પરમાર અને તેમની સાથે આવેલા મિત્રો મહિલાની દીકરીને લઈ ગયા અને ત્યાં તેની જોડે શારિરીક હડપલાં કર્યા તેમજ જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી.   


કોઈ પગલા ન લેવાતા સિરોહી કોર્ટના ખખડાવ્યા દ્વાર 

પરત આવી દીકરીએ રડતાં-રડતાં ઘરે જવાની વાત કરી. અનેક વખત પૂછવા છતાંય દીકરીએ આ અંગે જણાવ્યું નહીં. આ લોકોના ત્રાસથી પીડિતાની માતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલમાં હતી તે સમય દરમિયાન તેમની દીકરીએ તેમણે જણાવ્યું કે તેની સાથે પણ આવો બનાવ બન્યો છે. આ લોકોએ એટલે કે શારિરીક છેડતી કરી હતી અને જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જે બાદ સિરોહી કોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવી. અને કાર્યવાહી થતા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ રાજસ્થાનના આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ થવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.  






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે