શક્તિપીઠ અંબાજીમાં હવેથી મોહનથાળની જગ્યાએ અપાશે ચિક્કીનો પ્રસાદ, મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા ભાજપના પ્રવક્તાએ કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-04 12:11:26

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળ ત્યાંની ઓળખ બની ગયું છે. મંદિરમાં અપાતો મોહનથાળ જગ વિખ્યાત છે. ત્યારે એકાએક મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાતા માઈભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી છે. શુક્રવાર બપોર સુધી ચાલે એટલો જ પ્રસાદ મંદિરમાં હતો ઉપરાંત પ્રસાદ માટેનો નવો ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો. પ્રસાદના રૂપમાં ચિક્કી આપવામાં આવી રહી છે. આ વાતની માહિતી મળતા જ માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદને લઈ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દેવેએ પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી છે. તે ઉપરાંત અનેક સંગઠનો દ્વારા ટ્રસ્ટને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 


ચીકીનો પ્રસાદ મળતા માઈભક્તોએ દર્શાવી નારાજગી 

જેમ ડાકોરમાં મળતો લાડુનો પ્રસાદ ડાકોરની ઓળખ છે તેમ શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ અંબાજીની ઓળખ છે. પરંતુ મોહનથાળ પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવશે તેવી માહિતી સામે આવતા માઈભક્તોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. શુક્રવાર બપોર સુધી જ ચાલે તેઓ પ્રસાદ ઉપલબ્ધ હતો. પ્રસાદ પૂરો થતા પ્રસાદીનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે પ્રસાદી કેન્દ્રો પર એકઠા થયેલા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર મોહનથાળની બદલીમાં ચીકીનો પ્રસાદ આપવામાં આવશે તેવી વાત સામે આવી છે. 

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ પ્રસાદ અંગે કર્યું ટ્વીટ               

મોહનથાળનો પ્રસાદ ન મળતા માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વહીવટી તંત્ર સામે ભક્તો આક્રોશ ઠાલવી રહ્યા હતા. ન માત્ર માઈભક્તો પરંતુ સ્થાનિકો દ્વારા પણ આ વાતને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ તેમજ માઈભક્તોએ મોહનથાળને લઈને કરવામાં આવેલા નિર્ણયની ટીકા કરી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ આ વાતને લઈ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ. તે ઉપરાંત ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓએ મૌખીક રીતે વિરોધ નોંધાવ્યો હતો.    


ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિવિધ સંગઠનોએ આપી 

આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે માત્ર સ્થાનિક કક્ષાએ જ માતાજીના ભક્તો નથી વિશ્વભરમાં માતાજીના ભક્તો છે અને નવરાત્રી, પૂનમ દરમિયાન દર્શનાર્થે આવતાં ભક્તો ઉપવાસ દરમિયાન ચાચરચોકમાં બેસીને ગ્રહણ કરી શકે અને વિદેશમાં પણ પ્રસાદ મોકલાવી શકાય તેવા પ્રસાદની માગ હતી. આથી લાંબો સમય સાચવી શકાય તેવા પ્રસાદ તરીકે ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે. સોમનાથમાં પણ ચીકીનો પ્રસાદ મળે છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં મોહનથાળ પ્રસાદને ફરી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો થોડા સમયમાં જ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિવિધ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.