આણંદને પ્રવિણ ચૌધરી રૂપે મળ્યા નવા કલેકટર, નર્મદા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજની કેન્દ્રમાં બદલી


  • Published By :
  • Published Date : 2023-09-21 22:34:39

આણંદ કલેકટર કચેરી કાંડ બાદ નવા કલેક્ટર તરીકે કોણ આવશે તેની ચર્ચાઓ થઈ રહી છે. જો કે રાજ્ય સરકારે આજે આણંદના નવા કલેક્ટર  તરીકે પ્રવિણ ચૌધરીની નિમણુક કરી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સેવા આપતા પ્રવિણ ચૌધરીની આણંદ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આણંદના પૂર્વ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ IAS લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ બાદ આ મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સસ્પેન્ડ કરી દીધા હતા.



નર્મદા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજની બદલી


નર્મદા નદીમાં પૂર આવતા ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જાતા હોબાળો મચી ગયો છે. હવે મા મામલે દોષનો ટોપલો નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજ ઢોળતા તેમની બદલી કરવામાં આવી છે.  નર્મદા વિભાગના 1997ની બેચના આઇએએસ પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને દેશના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના UIDIA વિભાગમાં એટલે યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલની જવાબદારી મળી છે. ઉલ્લેખનિય છે કે આ બદલી થવાનું નક્કી જ હતું. કેન્દ્ર સરકારે આ બદલી અંગેનો ઓર્ડર પણ જારી કર્યો હતો. 

ઉલ્લેખનિય છે કે સરદાર સરોવર નર્મદા ડૅમમાંથી 18 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવતા નદીમાં ભારે પૂર આવ્યું હતું જેને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીના સપાટી 41.50 ફૂટ વટાવતા અંકલેશ્વર તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી વધુ નુકસાન થયું છે. લગભગ 55થી વધુ ગામડાંઓમાં પૂરની અસર થઈ છે. રાતના સમયે એકાએક આવી ગયેલા પૂરનાં પાણીને પગલે લોકોને પોતાની ઘરવખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો ન હતો.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.