દેશમાં થતા લવ જેહાદ મુદ્દે પ્રવીણ તોગડિયાએ આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-07-18 13:10:40

ઘણા સમયથી લવ જેહાજની વાતો થઈ રહી છે. હિંદુ છોકરીઓ મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરે તો તેને લવ જેહાદ કહેવાય પરંતુ જો મુસ્લિમ મહિલાઓ હિંદુ ધર્મનો સ્વીકાર કરે તો? વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ જિલ્લા પ્રાંતિય બેઠક મળી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે. 


પ્રવીણ તોડગિયાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

પોતાના નિવેદનમાં પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે મારી પાસે એવી માહિતી છે કે, ભારતમાં પણ કરોડ મુસ્લિમ સ્ત્રીઓ હિન્દુ ઘરોમાં આવવાની તૈયારી કરી રહી છે અનેક જગ્યાએથી એવી માહિતી મળી રહી છે. એટલે અત્યાર સુધી લવ જેહાદ હતું અને હવે એન્ટી લવ જેહાદ. પાકિસ્તાનમાંથી આવે તો વડોદરામાંથી કેમ ન આવે? અમદાવાદમાંથી કેમ ન આવે? સાવધાન હવે એન્ટી લવ જેહાદનું પૂર આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં પૂર ચાલી રહ્યું છે. હવે દેશમાં એન્ટી લવ જેહાદ પૂર ઉભુ થયું છે. 


સરકાર સમક્ષ મૂકી ચાર માગણીઓ! 

આ બેઠકમાં સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકવામાં આવી છે. જો તેમના માંગણીની વાત કરીઓ તો તેમની 4 માંગણીઓ છે. પહેલી માગણી એ છે કે  કેન્દ્ર સરકાર મુસ્લિમોની વધી રહેલી વસ્તી રોકવા માટે વસ્તી વધારાનો કાયદો કરે, એન્ટી લવ જેહાદ કાયદો કરે, ધર્માંતરણ વિરુદ્ધ કાયદો કરે અને 3 કરોડ બાંગ્લાદેશીઓને હટાવે. 

ડો.ભરત કાનાબારે આપી પ્રતિક્રિયા

આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે ડો.ભરત કાનાબારે ટ્વીટમાં પહેલા જે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું તે લખ્યું અને અને નીચે લખ્યું એક કરોડ મુસ્લિમ સ્ત્રીઓ ભેગી થઇ આવું એક સરખું વિચારીને આવી જેહાદ કરે ?

આવી ઉટપટાંગ વાતો લોકોના માથા પર મારવાનો અર્થ શું ? 

દેશમાં આજકાલ “Free for all” જેવો માહોલ છે. 

જેને જે મનમાં આવે તે બોલે છે અને જ્ઞાતિ - જાતિ અને ધર્મો વચ્ચે ઝેર ફેલાવે છે. 

કમનસીબી એ છે કે આવી વાતો કરનારને કોઈ રુક જાવ કહેનાર નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.