દેશમાં થતા લવ જેહાદ મુદ્દે પ્રવીણ તોગડિયાએ આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-07-18 13:10:40

ઘણા સમયથી લવ જેહાજની વાતો થઈ રહી છે. હિંદુ છોકરીઓ મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરે તો તેને લવ જેહાદ કહેવાય પરંતુ જો મુસ્લિમ મહિલાઓ હિંદુ ધર્મનો સ્વીકાર કરે તો? વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ જિલ્લા પ્રાંતિય બેઠક મળી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે. 


પ્રવીણ તોડગિયાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

પોતાના નિવેદનમાં પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે મારી પાસે એવી માહિતી છે કે, ભારતમાં પણ કરોડ મુસ્લિમ સ્ત્રીઓ હિન્દુ ઘરોમાં આવવાની તૈયારી કરી રહી છે અનેક જગ્યાએથી એવી માહિતી મળી રહી છે. એટલે અત્યાર સુધી લવ જેહાદ હતું અને હવે એન્ટી લવ જેહાદ. પાકિસ્તાનમાંથી આવે તો વડોદરામાંથી કેમ ન આવે? અમદાવાદમાંથી કેમ ન આવે? સાવધાન હવે એન્ટી લવ જેહાદનું પૂર આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં પૂર ચાલી રહ્યું છે. હવે દેશમાં એન્ટી લવ જેહાદ પૂર ઉભુ થયું છે. 


સરકાર સમક્ષ મૂકી ચાર માગણીઓ! 

આ બેઠકમાં સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકવામાં આવી છે. જો તેમના માંગણીની વાત કરીઓ તો તેમની 4 માંગણીઓ છે. પહેલી માગણી એ છે કે  કેન્દ્ર સરકાર મુસ્લિમોની વધી રહેલી વસ્તી રોકવા માટે વસ્તી વધારાનો કાયદો કરે, એન્ટી લવ જેહાદ કાયદો કરે, ધર્માંતરણ વિરુદ્ધ કાયદો કરે અને 3 કરોડ બાંગ્લાદેશીઓને હટાવે. 

ડો.ભરત કાનાબારે આપી પ્રતિક્રિયા

આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે ડો.ભરત કાનાબારે ટ્વીટમાં પહેલા જે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું તે લખ્યું અને અને નીચે લખ્યું એક કરોડ મુસ્લિમ સ્ત્રીઓ ભેગી થઇ આવું એક સરખું વિચારીને આવી જેહાદ કરે ?

આવી ઉટપટાંગ વાતો લોકોના માથા પર મારવાનો અર્થ શું ? 

દેશમાં આજકાલ “Free for all” જેવો માહોલ છે. 

જેને જે મનમાં આવે તે બોલે છે અને જ્ઞાતિ - જાતિ અને ધર્મો વચ્ચે ઝેર ફેલાવે છે. 

કમનસીબી એ છે કે આવી વાતો કરનારને કોઈ રુક જાવ કહેનાર નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.