ચોમાસા પહેલા વરસેલા વરસાદે ખોલી તંત્રની પોલ! અમદાવાદમાં 10 દિવસની અંદર પડ્યા 19 જેટલા ભૂવા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-06 11:26:12

ગુજરાતમાં ચોમાસું આવવાની વાર છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક શહેરોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ચોમાસા દરમિયાન ભૂવા પડવાની વાત સામાન્ય હોય છે પરંતુ હવે તો કમોસમી વરસાદમાં પણ ભૂવા પડી રહ્યા છે. થોડા સમય પહેલા પડેલા વરસાદને કારણે ભૂવો પડ્યો હતો જેમાં એક ગાડીનો ગરકાવ થઈ ગયો હતો. ત્યારે એક રિપોર્ટ અનુસાર 10 દિવસ દરમિયાન વરસેલા વરસાદને કારણે માત્ર અમદાવાદમાં 19 સ્થળો પર ભૂવા પડ્યા છે.


અમદાવાદમાં 10 દિવસની અંદર 19 જેટલા ભુવા પડ્યા!

ગુજરાત માટે વિકાસશીલ ગુજરાત એવી જાહેરાતો કરવામાં આવતી હોય છે. રાજ્યમાં બધું સારું છે તેવા દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ કુદરત અનેક વખત તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓની પોલ ખોલી દેતી હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. ચોમાસાને હજી વાર છે કે પરંતુ માવઠાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના સમાચાર તેમજ માવઠાને કારણે નુકસાન થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે માવઠાને કારણે અમદાવામાં માત્ર 10 દિવસ જેટલા સમયની અંદર 19 જેટલા ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.      


કમોસમી વરસાદને કારણે પડ્યા મસમોટા ભુવા!

અમદાવાદ માટે સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદે આ દાવા પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદ પડતાં જ અમદાવાદમાં ભૂવા (ખાડા) રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસના સમયની અંદર 19 જેટલા જગ્યાઓ પર ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રસ્તાઓ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ જ્યારે ટકાઉ અને ગુણવત્તાવાળા રસ્તાની વાત કરવામાં આવે ત્યારે શું પરિણામ આપણી સામે આવે છે તે આપણે જાણીએ છીએ. ભૂવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 


આ જગ્યાઓ પર પડ્યા ભુવા!

જો અમદાવાદમાં પડેલા ભૂવાની વાત કરીએ તો માહિતી અનુસાર 22મેના રોજ રાણીપ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો. 26મેના રોજ ફતેવાડી કેનાલ પાસે તેમજ બાવાલવલવી નગર નજીક, જ્યારે 28મેના રોજ સરખેજના શબરી તળાવ પાસે ભૂવા પડ્યા હતા. 29મેના રોજ અંદાજીત 6 જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા જેમાં ચિલોડા સર્કલ નજીક, ગેલેક્સી ચાર રસ્તા પાસે, જોગેશ્વરી રોડ ઉપર સહિત અનેક જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર 30મેના રોજ ચાર જેટલી જગ્યાઓ પર ભૂવો પડ્યા હતા જેમાં વાળીનાથ ચોક પાસે, મોહનકૃપા સોસાયટી પાસે ભૂવા પડ્યા હતા. તે સિવાય પહેલી જૂને એક જગ્યા પર ભૂવો પડ્યો, જ્યારે બે જૂનના રોજ બે જગ્યાઓ પર ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્રણ જૂને પણ ભૂવો પડ્યો હતો અને પાંચ જૂને પણ રાજેન્દ્ર પાર્ક પાસે ભૂવો પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આમાંથી અનેક ભૂવો પૂરાઈ ગયા છે જ્યારે અનેક જગ્યાઓ પર કામ ચાલૂ છે. 


એક ભૂવાના સમારકામ માટે થાય છે લાખો રુપિયાનો ખર્ચ!

મહત્વનું છે કે હજી સત્તાવાર રીતે ચોમાસુ પણ નથી બેઠું અને આ હાલ છે ત્યારે ચોમાસા દરમિયાન શું હાલ હશે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરતા હોવાની વાતો પણ લોકો કરી રહ્યા છે. જ્યારે ભૂવાનું રિપેરિંગ કરવામાં આવે છે તેની પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પૈસા પાણીની જેમ વહાવામાં આવે છે તે પૈસા જનતાના હોય છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં 100 જેટલા ભૂવા પડ્યા હતા. 2021માં 66 ભૂવા પડ્યા હતા.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.