ચોમાસા પહેલા વરસેલા વરસાદે ખોલી તંત્રની પોલ! અમદાવાદમાં 10 દિવસની અંદર પડ્યા 19 જેટલા ભૂવા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-06 11:26:12

ગુજરાતમાં ચોમાસું આવવાની વાર છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક શહેરોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ચોમાસા દરમિયાન ભૂવા પડવાની વાત સામાન્ય હોય છે પરંતુ હવે તો કમોસમી વરસાદમાં પણ ભૂવા પડી રહ્યા છે. થોડા સમય પહેલા પડેલા વરસાદને કારણે ભૂવો પડ્યો હતો જેમાં એક ગાડીનો ગરકાવ થઈ ગયો હતો. ત્યારે એક રિપોર્ટ અનુસાર 10 દિવસ દરમિયાન વરસેલા વરસાદને કારણે માત્ર અમદાવાદમાં 19 સ્થળો પર ભૂવા પડ્યા છે.


અમદાવાદમાં 10 દિવસની અંદર 19 જેટલા ભુવા પડ્યા!

ગુજરાત માટે વિકાસશીલ ગુજરાત એવી જાહેરાતો કરવામાં આવતી હોય છે. રાજ્યમાં બધું સારું છે તેવા દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ કુદરત અનેક વખત તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓની પોલ ખોલી દેતી હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. ચોમાસાને હજી વાર છે કે પરંતુ માવઠાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના સમાચાર તેમજ માવઠાને કારણે નુકસાન થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે માવઠાને કારણે અમદાવામાં માત્ર 10 દિવસ જેટલા સમયની અંદર 19 જેટલા ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.      


કમોસમી વરસાદને કારણે પડ્યા મસમોટા ભુવા!

અમદાવાદ માટે સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદે આ દાવા પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદ પડતાં જ અમદાવાદમાં ભૂવા (ખાડા) રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસના સમયની અંદર 19 જેટલા જગ્યાઓ પર ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રસ્તાઓ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ જ્યારે ટકાઉ અને ગુણવત્તાવાળા રસ્તાની વાત કરવામાં આવે ત્યારે શું પરિણામ આપણી સામે આવે છે તે આપણે જાણીએ છીએ. ભૂવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 


આ જગ્યાઓ પર પડ્યા ભુવા!

જો અમદાવાદમાં પડેલા ભૂવાની વાત કરીએ તો માહિતી અનુસાર 22મેના રોજ રાણીપ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો. 26મેના રોજ ફતેવાડી કેનાલ પાસે તેમજ બાવાલવલવી નગર નજીક, જ્યારે 28મેના રોજ સરખેજના શબરી તળાવ પાસે ભૂવા પડ્યા હતા. 29મેના રોજ અંદાજીત 6 જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા જેમાં ચિલોડા સર્કલ નજીક, ગેલેક્સી ચાર રસ્તા પાસે, જોગેશ્વરી રોડ ઉપર સહિત અનેક જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર 30મેના રોજ ચાર જેટલી જગ્યાઓ પર ભૂવો પડ્યા હતા જેમાં વાળીનાથ ચોક પાસે, મોહનકૃપા સોસાયટી પાસે ભૂવા પડ્યા હતા. તે સિવાય પહેલી જૂને એક જગ્યા પર ભૂવો પડ્યો, જ્યારે બે જૂનના રોજ બે જગ્યાઓ પર ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્રણ જૂને પણ ભૂવો પડ્યો હતો અને પાંચ જૂને પણ રાજેન્દ્ર પાર્ક પાસે ભૂવો પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આમાંથી અનેક ભૂવો પૂરાઈ ગયા છે જ્યારે અનેક જગ્યાઓ પર કામ ચાલૂ છે. 


એક ભૂવાના સમારકામ માટે થાય છે લાખો રુપિયાનો ખર્ચ!

મહત્વનું છે કે હજી સત્તાવાર રીતે ચોમાસુ પણ નથી બેઠું અને આ હાલ છે ત્યારે ચોમાસા દરમિયાન શું હાલ હશે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરતા હોવાની વાતો પણ લોકો કરી રહ્યા છે. જ્યારે ભૂવાનું રિપેરિંગ કરવામાં આવે છે તેની પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પૈસા પાણીની જેમ વહાવામાં આવે છે તે પૈસા જનતાના હોય છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં 100 જેટલા ભૂવા પડ્યા હતા. 2021માં 66 ભૂવા પડ્યા હતા.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.