Suratમાં Pre Navratri સ્પર્ધાનું આયોજન,5 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 750 જેટલાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં, જુઓ ગરબાની રમઝટનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-11 15:47:58

ગુજરાતીઓ માટે એવું કહેવાય છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાસાળ ગુજરાત...  એટલે કે જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતી પરંપરા જોવા મળતી હોય છે. ગુજરાતીઓ ગરબા ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકે છે. કોઈ પણ તહેવાર કેમ ન હોય  તે તહેવારની ઉજવણી ગરબા વગર અધૂરી ગણાય. હજી નવરાત્રી આવવાને વાર છે પરંતુ ગુજરાતીઓએ હમણાંથી ગરબાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતમાં એક ગ્રુપે ગઈકાલે રાતે બિફોર નવરાત્રી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો.

 


મોલમાં ગરબાની મોજ!

થોડા સમય બાદ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ગણપતિના તહેવારની તૈયારીઓ તો લોકો કરી રહ્યા છે પરંતુ નવરાત્રિ તહેવારની પણ જાણે તૈયારીઓ આરંભી દીધી હોય તેવું લાગે છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ... નવરાત્રિ દરમિયાન ગરબા રમવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક કલાકો સુધી સુરતીઓએ રોકાવવાનું નામ લીધું ન હતું. ખેલૈયા ગ્રુપ દ્વારા ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ખેલૈયાઓ નવરાત્રીમાં તૈયાર થાય તે જ રીતે મોલમાં રાખવામાં આવેલા ગરબામાં તૈયાર થઈને આવ્યા હતા. ઉધના વિસ્તારમાં આવેલા મોલમાં ખેલૈયાઓ એવા ગરબા રમ્યા હતા જાણે કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા રમી રહ્યા હોય.      



નવરાત્રિ પહેલા સર્જાયા નવરાત્રિ જેવા દ્રશ્યો!

મહત્વનું છે કે જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને પણ ગરબા કરવા પર મજબૂર કરી દે તેવા છે. એક દિવસ માટે પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. એક મહિના પહેલેથી જ સુરતીઓમાં ગરબાનો અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ગરબા ક્લાસ ચલાવતા એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેડિશનલ કપડા પહેરી સુરતીઓએ ગરબામાં ભાગ લીધો હતો.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.