Suratમાં Pre Navratri સ્પર્ધાનું આયોજન,5 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 750 જેટલાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં, જુઓ ગરબાની રમઝટનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-11 15:47:58

ગુજરાતીઓ માટે એવું કહેવાય છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાસાળ ગુજરાત...  એટલે કે જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતી પરંપરા જોવા મળતી હોય છે. ગુજરાતીઓ ગરબા ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકે છે. કોઈ પણ તહેવાર કેમ ન હોય  તે તહેવારની ઉજવણી ગરબા વગર અધૂરી ગણાય. હજી નવરાત્રી આવવાને વાર છે પરંતુ ગુજરાતીઓએ હમણાંથી ગરબાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતમાં એક ગ્રુપે ગઈકાલે રાતે બિફોર નવરાત્રી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો.

 


મોલમાં ગરબાની મોજ!

થોડા સમય બાદ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ગણપતિના તહેવારની તૈયારીઓ તો લોકો કરી રહ્યા છે પરંતુ નવરાત્રિ તહેવારની પણ જાણે તૈયારીઓ આરંભી દીધી હોય તેવું લાગે છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ... નવરાત્રિ દરમિયાન ગરબા રમવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક કલાકો સુધી સુરતીઓએ રોકાવવાનું નામ લીધું ન હતું. ખેલૈયા ગ્રુપ દ્વારા ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ખેલૈયાઓ નવરાત્રીમાં તૈયાર થાય તે જ રીતે મોલમાં રાખવામાં આવેલા ગરબામાં તૈયાર થઈને આવ્યા હતા. ઉધના વિસ્તારમાં આવેલા મોલમાં ખેલૈયાઓ એવા ગરબા રમ્યા હતા જાણે કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા રમી રહ્યા હોય.      



નવરાત્રિ પહેલા સર્જાયા નવરાત્રિ જેવા દ્રશ્યો!

મહત્વનું છે કે જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને પણ ગરબા કરવા પર મજબૂર કરી દે તેવા છે. એક દિવસ માટે પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. એક મહિના પહેલેથી જ સુરતીઓમાં ગરબાનો અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ગરબા ક્લાસ ચલાવતા એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેડિશનલ કપડા પહેરી સુરતીઓએ ગરબામાં ભાગ લીધો હતો.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી