Suratમાં Pre Navratri સ્પર્ધાનું આયોજન,5 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 750 જેટલાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં, જુઓ ગરબાની રમઝટનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-11 15:47:58

ગુજરાતીઓ માટે એવું કહેવાય છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાસાળ ગુજરાત...  એટલે કે જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતી પરંપરા જોવા મળતી હોય છે. ગુજરાતીઓ ગરબા ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકે છે. કોઈ પણ તહેવાર કેમ ન હોય  તે તહેવારની ઉજવણી ગરબા વગર અધૂરી ગણાય. હજી નવરાત્રી આવવાને વાર છે પરંતુ ગુજરાતીઓએ હમણાંથી ગરબાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતમાં એક ગ્રુપે ગઈકાલે રાતે બિફોર નવરાત્રી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો.

 


મોલમાં ગરબાની મોજ!

થોડા સમય બાદ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ગણપતિના તહેવારની તૈયારીઓ તો લોકો કરી રહ્યા છે પરંતુ નવરાત્રિ તહેવારની પણ જાણે તૈયારીઓ આરંભી દીધી હોય તેવું લાગે છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ... નવરાત્રિ દરમિયાન ગરબા રમવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક કલાકો સુધી સુરતીઓએ રોકાવવાનું નામ લીધું ન હતું. ખેલૈયા ગ્રુપ દ્વારા ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ખેલૈયાઓ નવરાત્રીમાં તૈયાર થાય તે જ રીતે મોલમાં રાખવામાં આવેલા ગરબામાં તૈયાર થઈને આવ્યા હતા. ઉધના વિસ્તારમાં આવેલા મોલમાં ખેલૈયાઓ એવા ગરબા રમ્યા હતા જાણે કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા રમી રહ્યા હોય.      



નવરાત્રિ પહેલા સર્જાયા નવરાત્રિ જેવા દ્રશ્યો!

મહત્વનું છે કે જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને પણ ગરબા કરવા પર મજબૂર કરી દે તેવા છે. એક દિવસ માટે પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. એક મહિના પહેલેથી જ સુરતીઓમાં ગરબાનો અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ગરબા ક્લાસ ચલાવતા એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેડિશનલ કપડા પહેરી સુરતીઓએ ગરબામાં ભાગ લીધો હતો.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.