ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ તેજ, શું પ્લાન?


  • Published By : Admin
  • Published Date : 2025-03-22 18:10:18


શું 30 વર્ષ સત્તાથી દુર રહેલી કોંગ્રેસ ફરી સત્તામાં વાપસી કરશે... શું રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની દશા અને દિશા બદલી શકશે.. શું ગુજરાત કોંગ્રેસ ગણ્યા ગાંઠયામાંથી પોતાની એક ફોજ ઉભી કરી શકશે... જવાબો તો 2027ના પરિણામો પછી મળશે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે... 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે કમિટીઓ નિમી દેવામાં આવી છે... કોંગ્રેસમાં વિભિષણોનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.... હવે પછીનો કોંગ્રેસનો માસ્ટર પ્લાન શું છે તેના વિશે વાત કરીશું.

ગુજરાતમાં 30 વર્ષથી સત્તા વિનાની કોંગ્રેસને બેઠી કરવા હવે હાઈકમાન્ડ તૈયાર થઈ ગયું છે... 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન ગુજરાતમાં 8-9 એપ્રિલે યોજાય રહ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષમાં કોંગ્રેસના 55 ધારાસભ્યો અને 12 સાંસદોએ પક્ષને છોડી દીધો એની સાથે બાકીના કાર્યકરો અને નેતાઓ ગયા તે અલગ. ગુજરાતમાંથી 25 ટકા કરતા વધારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય ગયા. અને આ સાથે જ 35 વર્ષમાં કોંગ્રેસ ગુજરાતના 85 ટકા વિસ્તારોમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે. પક્ષપલટુઓ, મજબૂત સંગઠનનો અભાવ, જુથવાદ અને મતની ટકાવારીનો સતત ઘટતો ગ્રાફ કોંગ્રેસની હાલત કફોળી કરી રહ્યો છે. આ બધા જ પડકારોની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસને હવે બેઠુ થવાનું છે અને રાહુલ ગાંધી હમણાં જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે કહીને પણ ગયા કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે.  દિગ્ગજ નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. અને હવે રેસના ઘોડાને રેસમાં અને લગ્નના ઘોડાને લગ્નમાં દોડાવવામાં આવશે. તૈયારીઓ ફુલ કરી દેવામાં આવી છે.  

એ બધાની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દેશના જુદા-જુદા રાજ્યોને જોડતો એક સાંસકૃતિક કાર્યક્રમ હશે જેના દ્વારા ભારતની ઝાંખી દેખાડવામાં આવશે.  તો 8મી એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે ગાંધીઆશ્રમમાં સાંજે પ્રાર્થના સભા હશે. કોંગ્રેસના સોનિયાગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિતના તમામ આગેવાનો હાજર રહેશે. અને 9મીએ AICCના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અધ્યક્ષતા કરશે. અને કોંગ્રેસની સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીજ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજર રહેશે. વરિષ્ઠ નેતાઓ અને અન્ય પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. 

કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે એ બહુ જ મહત્વપૂર્ણ વાત છે. આ અધિવેશનથી ગુજરાતના કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓને દિશા અને નવી દિશા મળશે. રાહુલ ગાંધીના નિશાને એ નેતાઓ છે જે છે તો કોંગ્રેસમાં પણ કામ ભાજપનું કરી રહ્યાં છે. હવે કોંગ્રેસમાંથી એ તમામ વિભિષણનો સફાયો કરવામાં આવશે. ચર્ચા એવી પણ છે કે રાહુલ ગાંધી ત્રણ વર્ષનો રોડમેપ કે એક્શન પ્લાન તૈયાર કરીને આપશે. ભાજપના કેટલાક વફાદાર ધારાસભ્યો તેમના નિશાના પર છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો અને એક સાંસદ છે. હવે એ આંકડો વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવુ કહેવાય છે કોંગ્રેસ ગુજરાતમાં હારવા માટે લડે છે પણ હવે જીત માટે લડશે. છેલ્લાં 25 વર્ષની વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં સત્તા પર ભલે ભાજપ આવે પણ કોંગ્રેસને 30% આસપાસ મત મળ્યા જ છે. ગમે તેવી લહેરમાં કોંગ્રેસના કમિટેડ મતદારો હજુ યથાવત્ છે. માત્ર 2022 વિધાનસભા ચૂંટણીમાં વોટશેર 30%થી નીચે ગયો હતો. હવે દોઢ વર્ષમાં જ 2024 લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસનો વોટશેર 31.24% પર પહોંચ્યો છે. કોંગ્રેસનો એક જમાનો હતો જેને પાછો લાવવા મહેનત તો થઈ રહી છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે મતદારોનો વિશ્વાસ પાછો કેવી રીતે લવાશે, કોંગ્રેસ એમની વચ્ચે જશે કેવી રીતે, શું ગેરેન્ટી આપીને મત માંગવા જશે. અને જૂથવાદનો ખાત્મો શું કોંગ્રેસમાંથી થશે ખરા. રાહુલ ગાંધી જે પણ કહીને ગયા છે તે સર્વવિદિત હકીકતો છે એ જાણ્યા પછી પણ એ પ્રમાણે કામ થશે ખરા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.