ડોનાલ્ડ ટ્રમ્પનો "ટેરિફ" રૂપી પલટવાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-03 22:43:10

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આખરે ગઈકાલે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે ૧:૩૦ વાગે વિશ્વના મોટા ભાગના દેશો પર રેસિપ્રોકલ એટલે કે , જેવા સાથે તેવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. આપણા ભારત પર ૨૬ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે. ટ્રમ્પએ આ ટેરિફ વિસ્ફોટ કરતા પેહલા સ્પષ્ટ કરી દીધું છે કે , વિશ્વના દેશો ઇચ્છતા હોય કે અમરિકા ટેરિફ હળવા કરે તો પેહલા પોતે અમેરિકન વસ્તુઓ પર લગાવવામાં આવતા ટેરિફમાં પોતપોતાના દેશોમાં ઘટાડો કરે, સાથે શૂન્ય ટેરિફ જોઈતું હોય અમેરિકામાં ઉત્પાદન કરો.તો

આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફ વિસ્ફોટ વિશે વિસ્તારથી... 

બીજી એપ્રિલ કે જેને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આર્થિક સ્વતંત્રતાનો દિવસ ગણે છે. આ જ દિવસ પર તેમણે વિશ્વના મોટા ભાગના દેશ પર રેસિપ્રોકલ ટેરિફ જાહેર કર્યા છે. ભારત પર તેમણે ડીસ્કાઉન્ટ સાથે ૨૬ ટકા ટેરિફની જાહેરાત કરી છે.અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આ જાહેરાત કરવા માટે એક ચાર્ટ લઇને આવ્યા હતા . જેમાં એક તરફ અલગ અલગ દેશના નામ હતા તો બીજી બાજુ અમેરિકન વસ્તુઓ  લકહી હતી જેમાં કયો દેશ, કેટલો ટેરિફ લગાડે છે તે દર્શાવ્યું હતું.  





હવે અમેરિકા બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ પર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.

વાત કરીએ આપણા પાડોશી દેશમાં લાગેલા ટેરિફની વાત કરીએ તો, ચાઇના પર ૩૪ ટકા, વિયેતનામ પર ૪૬ ટકા, બાંગ્લાદેશ પર ૩૭ અને થાઈલેન્ડ પર ૩૬ ટકા લગાવવામાં આવ્યો છે.જાપાન પર આપણા કરતા ઓછો એટલેકે, ૨૪ ટકા ટેરિફ , સાઉથ કોરિયા પર ૨૫ ટકા ટેરિફ , મલેશિયા પર ૨૪ ટકા ટેરિફ લગાડાયો છે. વાત કરીએ યુરોપીન યુનિયનની તો તેની પર ૨૦ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પએ આ બધા જ ટેરિફ ડિસ્કાઉન્ટ સાથે લગાડ્યા છે. આ તમામ વચ્ચે ભારત માટે એક સારી વાત એ છે કે , ભારત પર વિયેતનામ,બાંગલાદેશ અને ચાઈના કરતા ઓછો ટેરિફ લાદયો છે. માટે હવે ભારત,અમેરિકન માર્કેટમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટની સારી નિકાસ માટે માર્ગ મોકળો થશે.આ ટેક્સ્ટાઈલ સેક્ટરમાં વિયેતનામ,બાંગ્લાદેશ અને ચાઈના આપણા મુખ્ય સ્પર્ધક છે. 



આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?