Joint Parliamentary Sessionમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન,પેપર લીક, બજેટ, ઈમરજન્સી..જેવા મુદ્દાઓ પર બોલ્યા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-27 15:02:59

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ વખતે સંસદથી એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોતા લાગે કે લોકશાહી જીવંત છે..! ગઈકાલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ખુરશી પર બેસાડવા ગયા હતા. પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એક બીજા સાથે હાથ મિલાવ્યો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધી હતી, જેમાં તેમણે અનેક મુદ્દાઓની વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈમરજન્સીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય યુવાનો, મહિલાઓને લઈ વાત કરી હતી. 

એનડીએના ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા, વિપક્ષના કે. સુરેશ હાર્યા 1 - image

રાષ્ટ્રપતિએ સંસદની સંયુક્ત સભાને સંબોધી 

અઢારમી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મુર્મુનું આ પ્રથમ સંબોધન હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવીને પોતાના અભિભાષણની શરૂઆત કરી  બાદમાં ચુંટણીની વાત કરી અને કહ્યું જનતાએ સતત ત્રીજી વખત સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારી સરકારને સાતત્યમાં વિશ્વાસ છે. બાદમાં આવનાર બજેટમાં શું હશે તેનો ઈશારો કર્યો તેમણે કહ્યું કે આ સરકાર આગામી સત્રોમાં તેના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 

બજેટનો રાષ્ટ્રપતિએ બતાવી દીધો રોડમેપ!

આ બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભાવિ વિઝનનો અસરકારક દસ્તાવેજ બની રહેશે. આ બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયોની સાથે અનેક ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. એટલે આ વખતે બજેટમાં કઈક મોટા ફેરફાર આવશે તેવું લાગી રહ્યું છે.. બીજો એક મુદ્દો જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને સરકાર પર અનેક સવાલો આ મુદ્દે ઉઠયા છે એ મુદ્દો પેપર લીકનો છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ પેપર લીકના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં પેપર લીકની ઘટના બની છે. 


પોતાના સંબોધનમાં પેપર લીકને લઈ કહ્યું કે... 

પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય બગડી જાય છે. મહેનત કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં આવી જાય છે. પેપર લીકને રોકવા માટે કાયદાનું પાલન કરવામાં આવ્યું છે. પેપર લીકને લઈ રાષ્ટ્રપતિએ વાત કરી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, સરકાર પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા આપવા માટે કટિબદ્ધ છે. અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને આ મુદ્દે દેશવ્યાપી નક્કર પગલાં લેવાની જરૂર છે.

 



ઈમરજન્સીનો રાષ્ટ્રપતિએ કર્યો ઉલ્લેખ 

તે સિવાય તેમણે ઈમરજન્સીની વાત કરી હતી. જ્યારે તેમણે ઇમરજન્સીની વાત કરી ત્યારે વિપક્ષે હોબાળો કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આવનારા થોડા મહિનામાં ભારત પ્રજાસત્તાક તરીકે 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. દેશમાં બંધારણ લાગુ થયા બાદ પણ અનેક હુમલાઓ થયા છે. આજે 27મી જૂન છે, 25મી જૂન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટી એ બંધારણ પરના હુમલાનો સીધો પુરાવો છે. પરંતુ દેશ આમાંથી બહાર આવ્યો. 


જ્યારે શિક્ષણ મંત્રી શપથ લેવા જઈ રહ્યા હતા ત્યારે... 

મહત્વનું છે કે આ વખતે સંસદનું સત્ર હંગામે દાર રહેવાનું છે. સંસદમાં વિપક્ષનું સારૂં એવું સંખ્યાબળ છે. તેમજ આ વખતે એનડીએની સરકાર છે. અનેક વખત સંસદમાં હોબાળો થવાની સંભાવના પણ છે. વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે.. સત્રના પ્રથમ દિવસે જ્યારે સાંસદોએ શપથ લીધી હતી અને શપથ લેવા માટે શિક્ષણ મંત્રી આવ્યા ત્યારે વિપક્ષ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.