આવતીકાલે રાષ્ટ્રપતિ મૂર્મુ બ્રિટનના રાણીની અંતિમવિધિમાં જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:45:27



બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું થોડા દિવસો અગાઉ નિધન થયું હતું. ત્યારે 19 સપ્ટેમ્બર સોમવારના દિવસે બ્રિટિશ મહારાણીની અંતિમવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે બ્રિટનના સમય મુજબ સવારે 11 કલાકે બ્રિટિશ મહારાણીના સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી અનેક રાજકીય નેતાઓ અને વીઆઈપી લોકો ઉપસ્થિત રહેશે. 


કયા મોટા નેતાઓ હાજર રહેશે?

દેશ વિદેશથી અનેક મોટા નેતાઓ અંતિમ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બિડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન બ્રિટનના મહારાણીની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે. વેસ્ટમિન્સ્ટરના એબ્બે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર વિધિમાં દુનિયાભરના 2 હજારથી વધુ વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે.


8 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું 96 વર્ષની વયે સ્કૉટલેન્ડના બાલ્મોરલ કાસલમાં નિધન થયું હતું. તેઓ બ્રિટનના સૌથી લાંબા ગાળા સુધી રહેનારા રાણી હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.