આવતીકાલે રાષ્ટ્રપતિ મૂર્મુ બ્રિટનના રાણીની અંતિમવિધિમાં જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:45:27



બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું થોડા દિવસો અગાઉ નિધન થયું હતું. ત્યારે 19 સપ્ટેમ્બર સોમવારના દિવસે બ્રિટિશ મહારાણીની અંતિમવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે બ્રિટનના સમય મુજબ સવારે 11 કલાકે બ્રિટિશ મહારાણીના સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી અનેક રાજકીય નેતાઓ અને વીઆઈપી લોકો ઉપસ્થિત રહેશે. 


કયા મોટા નેતાઓ હાજર રહેશે?

દેશ વિદેશથી અનેક મોટા નેતાઓ અંતિમ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બિડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન બ્રિટનના મહારાણીની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે. વેસ્ટમિન્સ્ટરના એબ્બે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર વિધિમાં દુનિયાભરના 2 હજારથી વધુ વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે.


8 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું 96 વર્ષની વયે સ્કૉટલેન્ડના બાલ્મોરલ કાસલમાં નિધન થયું હતું. તેઓ બ્રિટનના સૌથી લાંબા ગાળા સુધી રહેનારા રાણી હતા. 



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..