આવતીકાલે રાષ્ટ્રપતિ મૂર્મુ બ્રિટનના રાણીની અંતિમવિધિમાં જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:45:27



બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું થોડા દિવસો અગાઉ નિધન થયું હતું. ત્યારે 19 સપ્ટેમ્બર સોમવારના દિવસે બ્રિટિશ મહારાણીની અંતિમવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે બ્રિટનના સમય મુજબ સવારે 11 કલાકે બ્રિટિશ મહારાણીના સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી અનેક રાજકીય નેતાઓ અને વીઆઈપી લોકો ઉપસ્થિત રહેશે. 


કયા મોટા નેતાઓ હાજર રહેશે?

દેશ વિદેશથી અનેક મોટા નેતાઓ અંતિમ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બિડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન બ્રિટનના મહારાણીની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે. વેસ્ટમિન્સ્ટરના એબ્બે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર વિધિમાં દુનિયાભરના 2 હજારથી વધુ વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે.


8 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું 96 વર્ષની વયે સ્કૉટલેન્ડના બાલ્મોરલ કાસલમાં નિધન થયું હતું. તેઓ બ્રિટનના સૌથી લાંબા ગાળા સુધી રહેનારા રાણી હતા. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.