ઈ-વિધાનસભાના કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ મુર્મૂની આમંત્રણ પ્રત્રિકામાં PRESIDENT OF BHARAT લખાયું, મંત્રી ઋષિકેશ પટેલે સરકારના નિર્ણયનો કર્યો બચાવ


  • Published By :
  • Published Date : 2023-09-12 20:54:40

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. આવતી કાલે ઇ-વિધાનસભાના લોન્ચિંગ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઇને છાપવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સ્થાને પ્રેસિન્ડેન્ટ ઓફ ભારત દર્શાવામાં આવ્યુ છે.



રાષ્ટ્રપતિનું ગુજરાતમાં આગમન


ગુજરાત વિધાનસભાના આમંત્રણ પ્રત્રિકામાં President of Bharat લખવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ બનાવવા માટે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે કરવામાં આવવાનું છે. તેના માટે રાષ્ટ્રપતિ મૂર્મુ ગુજરાત આવી રહ્યાં છે. 13મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં પણ President of Bharat લખતા હવે દેશનું નામ બદલવાની વાતને હવા મળી છે.


પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યુ?


રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને પાઠવવામાં આવેલી આમંત્રણ પ્રત્રિકા આ અંગે સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, 'આમંત્રણ પ્રત્રિકામા President of Bharat  લખવામાં આવ્યું છે. સનાતન સાથે જોડાયેલા ભારત શબ્દ રાજા ભરત પરથી ભારત શબ્દ આવ્યો છે. ભૂતકાળમાં ગુલામી કાળમાં જે નિશાનો હતા, તે બધા નિશાનો મિટાવીને આ નામ પોતાની પરંપરા મુજબ રાખેલું છે અને ભારત નામ સ્વાભાવિક છે. હવે અંગ્રેજી નામોની આપણે જરૂર નથી. આખા દેશમાં દરેક લોકો ભારત સાથે જોડાયેલા છે, ભારત શબ્દથી જોડાયેલા છે. જી-20માં ભારત લખાયુ છે અને હવે દરેક જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે."



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.