Russiaના President Putinને આવ્યો Heart Attack! જાણો મીડિયા રિપોર્ટમાં શું કરાઈ રહ્યા છે દાવા?


  • Published By :
  • Published Date : 2023-10-24 13:08:23

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે માહિતી સામે આવી છે કે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમર  પુતીનને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિવારે રાતે જ્યારે તે પોતાના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક એટેક આવ્યો હતો. ડોક્ટરના પ્રયત્નોને કારણે તેમનો જીવ બચ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે. 


ટેલિગ્રામ ચેનલમાં કરાયો આ દાવો 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હાર્ટ એટેક આવ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. એક ટેલિગ્રામ ચેનલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. પુતિનની તબિયત ખરાબ છે તેવી માહિતી છેલ્લા એક વર્ષથી સામે આવી રહી હતી. ગયા વર્ષે આવી અનેક વાતો સામે આવી છે. મહત્વનું છે આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલી રહી છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.