Russiaના President Putinને આવ્યો Heart Attack! જાણો મીડિયા રિપોર્ટમાં શું કરાઈ રહ્યા છે દાવા?


  • Published By :
  • Published Date : 2023-10-24 13:08:23

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે માહિતી સામે આવી છે કે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમર  પુતીનને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિવારે રાતે જ્યારે તે પોતાના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક એટેક આવ્યો હતો. ડોક્ટરના પ્રયત્નોને કારણે તેમનો જીવ બચ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે. 


ટેલિગ્રામ ચેનલમાં કરાયો આ દાવો 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હાર્ટ એટેક આવ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. એક ટેલિગ્રામ ચેનલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. પુતિનની તબિયત ખરાબ છે તેવી માહિતી છેલ્લા એક વર્ષથી સામે આવી રહી હતી. ગયા વર્ષે આવી અનેક વાતો સામે આવી છે. મહત્વનું છે આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલી રહી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.