Presstonic Engineeringનો IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો, રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-12-11 15:31:24

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. Presstonic Engineeringનો IPO રોકાણકારો માટે આજે ખુલતા મોટી સંખ્યામાં ઈન્વેસ્ટરોએ સબ્સક્રિપ્શન કર્યું હતું. આઈપીઓમાં આગામી 13 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. કંપની આ આઈપીઓ દ્વારા 23.30 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આઈપીઓ માટે 72 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ રાખવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા 32.37 લાખ ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે.  ઉલ્લેખનિય છે કે આજે આ  IPOને લઈ રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો છે.


કેટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ? 


Presstonic Engineeringના IPO માટે 1600 શેરોની લોટ સાઈઝ રાખવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 1600 શેરો અને તેના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે.  એક લોટ સાઈઝ માટે ઓછામાં ઓછા 1,15,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. sHNIsને ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જ્યારે bHNIsને ઓછામાં ઓછા 9 લોટ માટે અરજી કરવી પડશે. કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 99.97 ટકા છે. આઈપીઓ બાદ તે ઘટીને 57.99 ટકા સુધી થઈ જશે. 


ક્યારે થશે લિસ્ટિંગ?


રિપોર્ટસ મુજબ સફળ રોકાણકારોને સ્ટોકનું એલોટમેન્ટ 14 ડિસેમ્બરે થઈ જશે, જ્યારે નિષ્ફળ રોકાણકારોને 15 ડિસેમ્બરે રિફંડ મળવાનું શરૂ થઈ જશે. રોકાણકારોના એકાઉન્ટમાં શેર આ જ દિવસે ક્રેડિટ કરી દેવામાં આવશે. કંપનીના શેરોનું લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 18 ડિસેમ્બરના રોજ થશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.