Presstonic Engineeringનો IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો, રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-12-11 15:31:24

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. Presstonic Engineeringનો IPO રોકાણકારો માટે આજે ખુલતા મોટી સંખ્યામાં ઈન્વેસ્ટરોએ સબ્સક્રિપ્શન કર્યું હતું. આઈપીઓમાં આગામી 13 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. કંપની આ આઈપીઓ દ્વારા 23.30 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આઈપીઓ માટે 72 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ રાખવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા 32.37 લાખ ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે.  ઉલ્લેખનિય છે કે આજે આ  IPOને લઈ રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો છે.


કેટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ? 


Presstonic Engineeringના IPO માટે 1600 શેરોની લોટ સાઈઝ રાખવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 1600 શેરો અને તેના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે.  એક લોટ સાઈઝ માટે ઓછામાં ઓછા 1,15,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. sHNIsને ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જ્યારે bHNIsને ઓછામાં ઓછા 9 લોટ માટે અરજી કરવી પડશે. કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 99.97 ટકા છે. આઈપીઓ બાદ તે ઘટીને 57.99 ટકા સુધી થઈ જશે. 


ક્યારે થશે લિસ્ટિંગ?


રિપોર્ટસ મુજબ સફળ રોકાણકારોને સ્ટોકનું એલોટમેન્ટ 14 ડિસેમ્બરે થઈ જશે, જ્યારે નિષ્ફળ રોકાણકારોને 15 ડિસેમ્બરે રિફંડ મળવાનું શરૂ થઈ જશે. રોકાણકારોના એકાઉન્ટમાં શેર આ જ દિવસે ક્રેડિટ કરી દેવામાં આવશે. કંપનીના શેરોનું લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 18 ડિસેમ્બરના રોજ થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.