Presstonic Engineeringનો IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો, રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-12-11 15:31:24

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. Presstonic Engineeringનો IPO રોકાણકારો માટે આજે ખુલતા મોટી સંખ્યામાં ઈન્વેસ્ટરોએ સબ્સક્રિપ્શન કર્યું હતું. આઈપીઓમાં આગામી 13 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. કંપની આ આઈપીઓ દ્વારા 23.30 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આઈપીઓ માટે 72 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ રાખવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા 32.37 લાખ ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે.  ઉલ્લેખનિય છે કે આજે આ  IPOને લઈ રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો છે.


કેટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ? 


Presstonic Engineeringના IPO માટે 1600 શેરોની લોટ સાઈઝ રાખવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 1600 શેરો અને તેના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે.  એક લોટ સાઈઝ માટે ઓછામાં ઓછા 1,15,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. sHNIsને ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જ્યારે bHNIsને ઓછામાં ઓછા 9 લોટ માટે અરજી કરવી પડશે. કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 99.97 ટકા છે. આઈપીઓ બાદ તે ઘટીને 57.99 ટકા સુધી થઈ જશે. 


ક્યારે થશે લિસ્ટિંગ?


રિપોર્ટસ મુજબ સફળ રોકાણકારોને સ્ટોકનું એલોટમેન્ટ 14 ડિસેમ્બરે થઈ જશે, જ્યારે નિષ્ફળ રોકાણકારોને 15 ડિસેમ્બરે રિફંડ મળવાનું શરૂ થઈ જશે. રોકાણકારોના એકાઉન્ટમાં શેર આ જ દિવસે ક્રેડિટ કરી દેવામાં આવશે. કંપનીના શેરોનું લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 18 ડિસેમ્બરના રોજ થશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.