Price Hike : Diwali પહેલા વધ્યા ખાદ્યતેલના ભાવ, જાણો પ્રતિ ડબ્બે કેટલા રુપિયાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2023-11-04 12:34:13

દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવસી દરમિયાન નાસ્તો બનાવવામાં આવતો હોય છે. આ દિવસો દરમિયાન તેલનો ઉપયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળીના સેલિબ્રેશનમાં મોંઘવારી નડતરરૂપ થઈ શકે છે.  મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને મળ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 100 રુપિયાનો વધારો કરાયો છે. રાજકોટમાં જે ડબ્બો પહેલા 1500ની આસપાસ મળતો હતો તે હવે 1600ની આસપાસ મળશે. 

  કપાસિયા તેલ સિંગતેલ લગોલગ! ડબ્બાના ભાવ રૂ. 2400 પહોંચ્યા | Cottonseed oil  is close to cingulum oil The price of a box is Rs 2400 arrived

દિવાળી દરમિયાન ખાદ્યતેલનો વધારે હોય છે વપરાશ  

મોંઘવારી પ્રતિદિન વધી રહી છે. જે વસ્તુઓ પહેલા ઓછી કિંમતમાં મળતી હતી તે પણ આજે મોંઘા ભાવે મળી રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ  પણ સતત મોંઘી થઈ રહી છે. તહેવારના સમયે મોંઘવારી વધે છે તેની સીધી અસર મધ્યમવર્ગીય પરિવાર પર પડતી હોય છે. મોંઘવારી વધતી જાય છે જેને કારણે મધ્યમપરિવારને ભોગવવાનો વારો આવે છે. દિવાળી સમયે તેલનો વપરાશ વધારે થતો હોય છે. આ સમય દરમિયાન તેલની માગ ઘરોમાં સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો ઝિંકાયો છે. 


એક જ દિવસમાં પ્રતિ ડબ્બે આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

દિવાળી સમય તેલની માગ વધતી હોય છે. તહેવારને લઈ નાસ્તા વગેરે પણ બનતા હોય છે જેમાં તેલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. તેલમાં જ નાસ્તા તળવામાં  આવે છે. ત્યારે દિવાળી પહેલા ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો કપાસિયા તેલ પર કરાયો છે. થોડા દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે  આજે કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયા એકસાથે વધારી દેવામાં આવ્યા છે. 1510ની આસપાસ મળતો ડબ્બો ભાવ વધારા બાદ 1610માં મળશે. સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ તહેવાર સમયે ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.        


લગ્નની સિઝન દરમિયાન પણ વધી શકે છે તેલના ભાવ 

દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન પણ શરૂ થવાની છે. લગ્નની સિઝન આવતા જ તેલની માગમાં વધારો થઈ જશે. જો ખાદ્યતેલના ભાવમાં જ વધારો થઈ જશે તો અનેક વસ્તુઓ પર આ ભાવ વધારાની સીધી અસર થશે. સિંગતેલના ભાવમાં પણ આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.