Price Hike : Diwali પહેલા વધ્યા ખાદ્યતેલના ભાવ, જાણો પ્રતિ ડબ્બે કેટલા રુપિયાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2023-11-04 12:34:13

દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવસી દરમિયાન નાસ્તો બનાવવામાં આવતો હોય છે. આ દિવસો દરમિયાન તેલનો ઉપયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળીના સેલિબ્રેશનમાં મોંઘવારી નડતરરૂપ થઈ શકે છે.  મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને મળ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 100 રુપિયાનો વધારો કરાયો છે. રાજકોટમાં જે ડબ્બો પહેલા 1500ની આસપાસ મળતો હતો તે હવે 1600ની આસપાસ મળશે. 

  કપાસિયા તેલ સિંગતેલ લગોલગ! ડબ્બાના ભાવ રૂ. 2400 પહોંચ્યા | Cottonseed oil  is close to cingulum oil The price of a box is Rs 2400 arrived

દિવાળી દરમિયાન ખાદ્યતેલનો વધારે હોય છે વપરાશ  

મોંઘવારી પ્રતિદિન વધી રહી છે. જે વસ્તુઓ પહેલા ઓછી કિંમતમાં મળતી હતી તે પણ આજે મોંઘા ભાવે મળી રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ  પણ સતત મોંઘી થઈ રહી છે. તહેવારના સમયે મોંઘવારી વધે છે તેની સીધી અસર મધ્યમવર્ગીય પરિવાર પર પડતી હોય છે. મોંઘવારી વધતી જાય છે જેને કારણે મધ્યમપરિવારને ભોગવવાનો વારો આવે છે. દિવાળી સમયે તેલનો વપરાશ વધારે થતો હોય છે. આ સમય દરમિયાન તેલની માગ ઘરોમાં સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો ઝિંકાયો છે. 


એક જ દિવસમાં પ્રતિ ડબ્બે આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

દિવાળી સમય તેલની માગ વધતી હોય છે. તહેવારને લઈ નાસ્તા વગેરે પણ બનતા હોય છે જેમાં તેલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. તેલમાં જ નાસ્તા તળવામાં  આવે છે. ત્યારે દિવાળી પહેલા ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો કપાસિયા તેલ પર કરાયો છે. થોડા દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે  આજે કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયા એકસાથે વધારી દેવામાં આવ્યા છે. 1510ની આસપાસ મળતો ડબ્બો ભાવ વધારા બાદ 1610માં મળશે. સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ તહેવાર સમયે ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.        


લગ્નની સિઝન દરમિયાન પણ વધી શકે છે તેલના ભાવ 

દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન પણ શરૂ થવાની છે. લગ્નની સિઝન આવતા જ તેલની માગમાં વધારો થઈ જશે. જો ખાદ્યતેલના ભાવમાં જ વધારો થઈ જશે તો અનેક વસ્તુઓ પર આ ભાવ વધારાની સીધી અસર થશે. સિંગતેલના ભાવમાં પણ આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.