Surendranagarમાં પ્રાથમિક શાળાના બાળકોને BJPના સદસ્યો બનવવામાં આવ્યા, આચાર્ય રજા પર ઉતર્યા


  • Published By :
  • Published Date : 2024-09-09 18:33:11

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.... ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યમાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે... ભાજપના સભ્યો બનાવવા માટે નેતાઓ, સાંસદો, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.... લોકો સામેથી જોડાય ત્યાં સુધી વાંધો નથી... એ એમની પસંદગીનો વિષય છે.. પણ ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં બાળકોનો ઉપયોગ થાય એ કેટલું યોગ્ય છે... બાળકોને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય? 

ટાર્ગેટ પૂરો કરવા બાળકોને પાર્ટીમાં જોડી દેવાયા! 

દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભુલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી છે..... 


આવા ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં થયા વાયરલ 

ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે....એટલું જ નહીં, શાળામાંથી તમામ બાળકોને વાલીનો ફોન ફરજિયાત લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.. અને મેસેજ પણ કરવામાં આવ્યો હતો.... ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટોઝ પણ વાયરલ થયા છે... જેના કારણે વિવાદ થયો છે... 


શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી!

બીજી બાજુ આ વિવાદ થતા શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા છે... મીડિયાને જોતા શાળાના ઓરડા અને બારી બારણાં બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી હતી.. પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? એવું કહેવાઈ રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.... વાલીઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શાળાના પ્રિન્સિપાલના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે..... 


વિદ્યાર્થીઓને કેવી રીતે પાર્ટીના સદસ્ય બનાવી શકાય?

સવાલ એ છે કે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે... વિદ્યાર્થીઓને કેમ રાજકીય અખાડામાં ઉતારવામાં આવી રહ્યાં છે... કેમ કે ધોરણ 8થી 9ના વિદ્યાર્થીઓ છે જેમની ઉંમર મેક્સિમમ 13થી 15 વર્ષની હોય.... 18 વર્ષની ઉમર પહેલા તો મતદાન માટેનો પણ અધિકાર નથી મળતો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોને કેમ નિશાન બનાવવાના? રાજકીય પાર્ટીના સદસ્ય કેવી રીતે બનાવી શકાય?... આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવશે કે પછી રાજકીય કાર્યો કરશે?



વિવાદ સામે આવ્યા બાદ શું કહ્યું શાળાના આચાર્યએ?

વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઇએ શાળામાં કોઇ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જો કે આચાર્ય રજા પર ઉતરી ગયા છે... બીજી વાત કે આટલી ઉમરના વિદ્યાર્થીઓને તો શાળામાં પણ મોબાઈલ લઈને આવવાનું અલાઉડ નથી હોતું તો ભાજપ માટે નિયમો તોડવામાં આવ્યા એવું થયુને? રાજનેતાઓ કે રાજકીય માણસો પોતાના રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બાળકોને કેમ બનાવી રહ્યાં છે.... તમારુ આ મુદ્દે શુ માનવુ છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો..



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.