Surendranagarમાં પ્રાથમિક શાળાના બાળકોને BJPના સદસ્યો બનવવામાં આવ્યા, આચાર્ય રજા પર ઉતર્યા


  • Published By :
  • Published Date : 2024-09-09 18:33:11

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.... ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યમાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે... ભાજપના સભ્યો બનાવવા માટે નેતાઓ, સાંસદો, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.... લોકો સામેથી જોડાય ત્યાં સુધી વાંધો નથી... એ એમની પસંદગીનો વિષય છે.. પણ ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં બાળકોનો ઉપયોગ થાય એ કેટલું યોગ્ય છે... બાળકોને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય? 

ટાર્ગેટ પૂરો કરવા બાળકોને પાર્ટીમાં જોડી દેવાયા! 

દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભુલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી છે..... 


આવા ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં થયા વાયરલ 

ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે....એટલું જ નહીં, શાળામાંથી તમામ બાળકોને વાલીનો ફોન ફરજિયાત લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.. અને મેસેજ પણ કરવામાં આવ્યો હતો.... ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટોઝ પણ વાયરલ થયા છે... જેના કારણે વિવાદ થયો છે... 


શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી!

બીજી બાજુ આ વિવાદ થતા શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા છે... મીડિયાને જોતા શાળાના ઓરડા અને બારી બારણાં બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી હતી.. પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? એવું કહેવાઈ રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.... વાલીઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શાળાના પ્રિન્સિપાલના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે..... 


વિદ્યાર્થીઓને કેવી રીતે પાર્ટીના સદસ્ય બનાવી શકાય?

સવાલ એ છે કે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે... વિદ્યાર્થીઓને કેમ રાજકીય અખાડામાં ઉતારવામાં આવી રહ્યાં છે... કેમ કે ધોરણ 8થી 9ના વિદ્યાર્થીઓ છે જેમની ઉંમર મેક્સિમમ 13થી 15 વર્ષની હોય.... 18 વર્ષની ઉમર પહેલા તો મતદાન માટેનો પણ અધિકાર નથી મળતો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોને કેમ નિશાન બનાવવાના? રાજકીય પાર્ટીના સદસ્ય કેવી રીતે બનાવી શકાય?... આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવશે કે પછી રાજકીય કાર્યો કરશે?



વિવાદ સામે આવ્યા બાદ શું કહ્યું શાળાના આચાર્યએ?

વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઇએ શાળામાં કોઇ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જો કે આચાર્ય રજા પર ઉતરી ગયા છે... બીજી વાત કે આટલી ઉમરના વિદ્યાર્થીઓને તો શાળામાં પણ મોબાઈલ લઈને આવવાનું અલાઉડ નથી હોતું તો ભાજપ માટે નિયમો તોડવામાં આવ્યા એવું થયુને? રાજનેતાઓ કે રાજકીય માણસો પોતાના રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બાળકોને કેમ બનાવી રહ્યાં છે.... તમારુ આ મુદ્દે શુ માનવુ છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો..



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.