Surendranagarમાં પ્રાથમિક શાળાના બાળકોને BJPના સદસ્યો બનવવામાં આવ્યા, આચાર્ય રજા પર ઉતર્યા


  • Published By :
  • Published Date : 2024-09-09 18:33:11

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.... ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યમાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે... ભાજપના સભ્યો બનાવવા માટે નેતાઓ, સાંસદો, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.... લોકો સામેથી જોડાય ત્યાં સુધી વાંધો નથી... એ એમની પસંદગીનો વિષય છે.. પણ ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં બાળકોનો ઉપયોગ થાય એ કેટલું યોગ્ય છે... બાળકોને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય? 

ટાર્ગેટ પૂરો કરવા બાળકોને પાર્ટીમાં જોડી દેવાયા! 

દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભુલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી છે..... 


આવા ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં થયા વાયરલ 

ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે....એટલું જ નહીં, શાળામાંથી તમામ બાળકોને વાલીનો ફોન ફરજિયાત લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.. અને મેસેજ પણ કરવામાં આવ્યો હતો.... ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટોઝ પણ વાયરલ થયા છે... જેના કારણે વિવાદ થયો છે... 


શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી!

બીજી બાજુ આ વિવાદ થતા શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા છે... મીડિયાને જોતા શાળાના ઓરડા અને બારી બારણાં બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી હતી.. પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? એવું કહેવાઈ રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.... વાલીઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શાળાના પ્રિન્સિપાલના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે..... 


વિદ્યાર્થીઓને કેવી રીતે પાર્ટીના સદસ્ય બનાવી શકાય?

સવાલ એ છે કે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે... વિદ્યાર્થીઓને કેમ રાજકીય અખાડામાં ઉતારવામાં આવી રહ્યાં છે... કેમ કે ધોરણ 8થી 9ના વિદ્યાર્થીઓ છે જેમની ઉંમર મેક્સિમમ 13થી 15 વર્ષની હોય.... 18 વર્ષની ઉમર પહેલા તો મતદાન માટેનો પણ અધિકાર નથી મળતો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોને કેમ નિશાન બનાવવાના? રાજકીય પાર્ટીના સદસ્ય કેવી રીતે બનાવી શકાય?... આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવશે કે પછી રાજકીય કાર્યો કરશે?



વિવાદ સામે આવ્યા બાદ શું કહ્યું શાળાના આચાર્યએ?

વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઇએ શાળામાં કોઇ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જો કે આચાર્ય રજા પર ઉતરી ગયા છે... બીજી વાત કે આટલી ઉમરના વિદ્યાર્થીઓને તો શાળામાં પણ મોબાઈલ લઈને આવવાનું અલાઉડ નથી હોતું તો ભાજપ માટે નિયમો તોડવામાં આવ્યા એવું થયુને? રાજનેતાઓ કે રાજકીય માણસો પોતાના રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બાળકોને કેમ બનાવી રહ્યાં છે.... તમારુ આ મુદ્દે શુ માનવુ છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો..



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .