Surendranagarમાં પ્રાથમિક શાળાના બાળકોને BJPના સદસ્યો બનવવામાં આવ્યા, આચાર્ય રજા પર ઉતર્યા


  • Published By :
  • Published Date : 2024-09-09 18:33:11

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.... ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યમાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે... ભાજપના સભ્યો બનાવવા માટે નેતાઓ, સાંસદો, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.... લોકો સામેથી જોડાય ત્યાં સુધી વાંધો નથી... એ એમની પસંદગીનો વિષય છે.. પણ ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં બાળકોનો ઉપયોગ થાય એ કેટલું યોગ્ય છે... બાળકોને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય? 

ટાર્ગેટ પૂરો કરવા બાળકોને પાર્ટીમાં જોડી દેવાયા! 

દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભુલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી છે..... 


આવા ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં થયા વાયરલ 

ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે....એટલું જ નહીં, શાળામાંથી તમામ બાળકોને વાલીનો ફોન ફરજિયાત લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.. અને મેસેજ પણ કરવામાં આવ્યો હતો.... ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટોઝ પણ વાયરલ થયા છે... જેના કારણે વિવાદ થયો છે... 


શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી!

બીજી બાજુ આ વિવાદ થતા શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા છે... મીડિયાને જોતા શાળાના ઓરડા અને બારી બારણાં બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી હતી.. પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? એવું કહેવાઈ રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.... વાલીઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શાળાના પ્રિન્સિપાલના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે..... 


વિદ્યાર્થીઓને કેવી રીતે પાર્ટીના સદસ્ય બનાવી શકાય?

સવાલ એ છે કે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે... વિદ્યાર્થીઓને કેમ રાજકીય અખાડામાં ઉતારવામાં આવી રહ્યાં છે... કેમ કે ધોરણ 8થી 9ના વિદ્યાર્થીઓ છે જેમની ઉંમર મેક્સિમમ 13થી 15 વર્ષની હોય.... 18 વર્ષની ઉમર પહેલા તો મતદાન માટેનો પણ અધિકાર નથી મળતો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોને કેમ નિશાન બનાવવાના? રાજકીય પાર્ટીના સદસ્ય કેવી રીતે બનાવી શકાય?... આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવશે કે પછી રાજકીય કાર્યો કરશે?



વિવાદ સામે આવ્યા બાદ શું કહ્યું શાળાના આચાર્યએ?

વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઇએ શાળામાં કોઇ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જો કે આચાર્ય રજા પર ઉતરી ગયા છે... બીજી વાત કે આટલી ઉમરના વિદ્યાર્થીઓને તો શાળામાં પણ મોબાઈલ લઈને આવવાનું અલાઉડ નથી હોતું તો ભાજપ માટે નિયમો તોડવામાં આવ્યા એવું થયુને? રાજનેતાઓ કે રાજકીય માણસો પોતાના રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બાળકોને કેમ બનાવી રહ્યાં છે.... તમારુ આ મુદ્દે શુ માનવુ છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો..



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .