પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા કરે છે વિદ્યાર્થીઓનું મનોરંજન! સાબરકાંઠાના શિક્ષકના પ્રયાસની લોકોએ કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-28 12:38:38

શાળાનું જીવન એ બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આપણા શિક્ષકો પાસેથી આપણને જે પ્રવૃત્તિ કરવા મળી હોય, જે શીખ મળી હોય, જેવા અનુભવો થયા હોય, સારા કે ખરાબ તે આજીવન યાદ રહી જતા હોય છે. મારા, તમારા સૌના એવા કિસ્સાઓ, અનુભવો હશે જેને યાદ કરી આપણા ચહેરા પર મુસ્કાન આવી જાય તો ક્યારેક આંખના ખૂણા પણ ભીના થઈ જતા હોય છે.ચાણક્યજી કહેતા હતા કે શિક્ષક કોઈ દિવસ સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળામાં રમતા હોય છે.

ખુલ્લા મેદાનમાં શિક્ષક બાળકો સાથે કરે છે ડાન્સ

ત્યારે થોડા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ આ ન્યુઝમાં આ અંગે વાત નથી કરવી. વાત કરવી છે એવા શિક્ષકની જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક સ્કૂલમાં પોઝિટિવ વાતાવરણ ઉભું થાય તે માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે. 


ગમ્મત સાથે જ્ઞાન પિરસવાની કોશિશ કરતા શિક્ષક 

રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિ પર જ્યારે આટલા દિવસોથી ચર્ચા થઇ રહી છે ત્યારે આ વિવાદો અને શિક્ષણના અભાવો વચ્ચે વાત એક એવા શિક્ષકની જે સકારાત્મકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. શિક્ષણની પરિસ્થિતિની વાસ્તવિક્તા હમેશાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસ્તવિક્તા ઘણી વખત અમને દુખી કરી દે છે, પરંતુ એવા શિક્ષકો પણ છે જે ગમ્મત સાથે જ્ઞાન પિરસવાનું કામ કરતા હોય છે. બાળકને શિક્ષણ બોજરૂપ ન લાગે તે માટે શિક્ષણને સહેલું કરી તેમને સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે. 


શાળામાં ડાન્સ કરી વિદ્યાર્થીઓના એન્ટરટેનર બને છે શિક્ષક 

ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાનો છે. આ શાળામાં હિતેશ પટેલ કરીને એક શિક્ષક છે જે આમતો વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે પરંતુ તેઓ ક્યારેક બાળકોના એન્ટરટેઇનર પણ બની જાય છે.. શાળામાં સતત ભણતા બાળકો થોડું હળવું મહેસૂસ કરે બાળકો અને શિક્ષકો વચ્ચે એક પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય એ માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે. 


સુંદર પ્રવૃત્તિના સમાચાર પહોંચાડવાની પણ છે જવાબદારી 

આ વીડિયોમાં શિક્ષક હિતેશ પટેલ ડાન્સ કરીને બાળકોનું મનોરંજન કરીને તેમને સ્કૂલે આવવા માટે પ્રેરિત કરે છે. અને તમે કદાચ કહેશો કે આવું તો બધા શિક્ષકો કરે પણ એવું કરવાવાળા શિક્ષકો છે કેટલા? કેટલા એવા શિક્ષકો હશે જે ભણાવવાની નોકરીને ફક્ત નોકરી તરીકે ન લે, પરંતુ જે તેમની પાસે બાળકો ભણવા આવે છે તેમની માનસિકતા સમજે, તે મુજબ ભણતરનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરે. આ સમાચાર તેમજ વીડિયો તમારી સામે લાવવાનો ઉદ્દેશ્ય એક જ  છે કે જો અમે માધ્યમ તરીકે કોઇ ક્ષેત્રમાં ચાલતી ગેરરિતીઓને તમારી સામે મુકતા હોઇએ તો કોઇ ક્ષેત્રમાં ચાલી રહેલી સુંદર પ્રવૃત્તિઓને પણ તમારી સામે અમારે લાવવી જોઇએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.