પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા કરે છે વિદ્યાર્થીઓનું મનોરંજન! સાબરકાંઠાના શિક્ષકના પ્રયાસની લોકોએ કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-28 12:38:38

શાળાનું જીવન એ બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આપણા શિક્ષકો પાસેથી આપણને જે પ્રવૃત્તિ કરવા મળી હોય, જે શીખ મળી હોય, જેવા અનુભવો થયા હોય, સારા કે ખરાબ તે આજીવન યાદ રહી જતા હોય છે. મારા, તમારા સૌના એવા કિસ્સાઓ, અનુભવો હશે જેને યાદ કરી આપણા ચહેરા પર મુસ્કાન આવી જાય તો ક્યારેક આંખના ખૂણા પણ ભીના થઈ જતા હોય છે.ચાણક્યજી કહેતા હતા કે શિક્ષક કોઈ દિવસ સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળામાં રમતા હોય છે.

ખુલ્લા મેદાનમાં શિક્ષક બાળકો સાથે કરે છે ડાન્સ

ત્યારે થોડા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ આ ન્યુઝમાં આ અંગે વાત નથી કરવી. વાત કરવી છે એવા શિક્ષકની જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક સ્કૂલમાં પોઝિટિવ વાતાવરણ ઉભું થાય તે માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે. 


ગમ્મત સાથે જ્ઞાન પિરસવાની કોશિશ કરતા શિક્ષક 

રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિ પર જ્યારે આટલા દિવસોથી ચર્ચા થઇ રહી છે ત્યારે આ વિવાદો અને શિક્ષણના અભાવો વચ્ચે વાત એક એવા શિક્ષકની જે સકારાત્મકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. શિક્ષણની પરિસ્થિતિની વાસ્તવિક્તા હમેશાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસ્તવિક્તા ઘણી વખત અમને દુખી કરી દે છે, પરંતુ એવા શિક્ષકો પણ છે જે ગમ્મત સાથે જ્ઞાન પિરસવાનું કામ કરતા હોય છે. બાળકને શિક્ષણ બોજરૂપ ન લાગે તે માટે શિક્ષણને સહેલું કરી તેમને સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે. 


શાળામાં ડાન્સ કરી વિદ્યાર્થીઓના એન્ટરટેનર બને છે શિક્ષક 

ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાનો છે. આ શાળામાં હિતેશ પટેલ કરીને એક શિક્ષક છે જે આમતો વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે પરંતુ તેઓ ક્યારેક બાળકોના એન્ટરટેઇનર પણ બની જાય છે.. શાળામાં સતત ભણતા બાળકો થોડું હળવું મહેસૂસ કરે બાળકો અને શિક્ષકો વચ્ચે એક પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય એ માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે. 


સુંદર પ્રવૃત્તિના સમાચાર પહોંચાડવાની પણ છે જવાબદારી 

આ વીડિયોમાં શિક્ષક હિતેશ પટેલ ડાન્સ કરીને બાળકોનું મનોરંજન કરીને તેમને સ્કૂલે આવવા માટે પ્રેરિત કરે છે. અને તમે કદાચ કહેશો કે આવું તો બધા શિક્ષકો કરે પણ એવું કરવાવાળા શિક્ષકો છે કેટલા? કેટલા એવા શિક્ષકો હશે જે ભણાવવાની નોકરીને ફક્ત નોકરી તરીકે ન લે, પરંતુ જે તેમની પાસે બાળકો ભણવા આવે છે તેમની માનસિકતા સમજે, તે મુજબ ભણતરનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરે. આ સમાચાર તેમજ વીડિયો તમારી સામે લાવવાનો ઉદ્દેશ્ય એક જ  છે કે જો અમે માધ્યમ તરીકે કોઇ ક્ષેત્રમાં ચાલતી ગેરરિતીઓને તમારી સામે મુકતા હોઇએ તો કોઇ ક્ષેત્રમાં ચાલી રહેલી સુંદર પ્રવૃત્તિઓને પણ તમારી સામે અમારે લાવવી જોઇએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.