વડાપ્રધાન ભાજપ સાથે કોંગ્રેસનો પણ કરી રહ્યા છે પ્રચાર - ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:43:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી લડાવાની છે. મતદારો સુધી પહોંચવા દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ લગાવતા હોય છે. આપ અને ભાજપ વચ્ચે આ સામાન્ય બની ગયું છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. જેના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જીવંત રાખવાનું કામ પીએમ મોદી કરી રહ્યા છે. જો થોડી સીટ પણ કોંગ્રેસ જીતે તો ભાજપ કોંગ્રેસના MLAને ખરીદી શકે.

વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે - ઈસુદાન 

ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવા અનેક સ્થળો પર જનસભા પણ સંબોધી હતી. પોતાના પ્રચાર દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ નવી રણનીતિ બનાવી લોકોને ભ્રમિત કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. આ વાત પર આપે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં છે જ નહીં. વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે. 27 વર્ષથી ભાજપ એટલા માટે સત્તા પર છે કારણ કે જ્યારે પણ જરૂરત હોય છે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ખરીદી લે છે.


કોંગ્રસના ધારાસભ્યોને ખરીદી ભાજપ સત્તા પર આવે છે - ઈસુદાન

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઆઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ વિરૂદ્ધ આંદોલન કરનાર આંદોલનકારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એનો મતલબ સાફ છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવી, ધમકાવીને ભાજપમાં સામેલ કરી રહી છે. પણ આ વખતે ગુજરાતની જનતાએ મન મનાવી લીધુ છે કે ભાજપ કે કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે નહીં આમ આદમી પાર્ટી જ આવશે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .