વડાપ્રધાન ભાજપ સાથે કોંગ્રેસનો પણ કરી રહ્યા છે પ્રચાર - ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:43:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી લડાવાની છે. મતદારો સુધી પહોંચવા દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ લગાવતા હોય છે. આપ અને ભાજપ વચ્ચે આ સામાન્ય બની ગયું છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. જેના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જીવંત રાખવાનું કામ પીએમ મોદી કરી રહ્યા છે. જો થોડી સીટ પણ કોંગ્રેસ જીતે તો ભાજપ કોંગ્રેસના MLAને ખરીદી શકે.

વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે - ઈસુદાન 

ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવા અનેક સ્થળો પર જનસભા પણ સંબોધી હતી. પોતાના પ્રચાર દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ નવી રણનીતિ બનાવી લોકોને ભ્રમિત કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. આ વાત પર આપે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં છે જ નહીં. વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે. 27 વર્ષથી ભાજપ એટલા માટે સત્તા પર છે કારણ કે જ્યારે પણ જરૂરત હોય છે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ખરીદી લે છે.


કોંગ્રસના ધારાસભ્યોને ખરીદી ભાજપ સત્તા પર આવે છે - ઈસુદાન

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઆઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ વિરૂદ્ધ આંદોલન કરનાર આંદોલનકારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એનો મતલબ સાફ છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવી, ધમકાવીને ભાજપમાં સામેલ કરી રહી છે. પણ આ વખતે ગુજરાતની જનતાએ મન મનાવી લીધુ છે કે ભાજપ કે કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે નહીં આમ આદમી પાર્ટી જ આવશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.