વડાપ્રધાન ભાજપ સાથે કોંગ્રેસનો પણ કરી રહ્યા છે પ્રચાર - ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:43:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી લડાવાની છે. મતદારો સુધી પહોંચવા દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ લગાવતા હોય છે. આપ અને ભાજપ વચ્ચે આ સામાન્ય બની ગયું છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. જેના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જીવંત રાખવાનું કામ પીએમ મોદી કરી રહ્યા છે. જો થોડી સીટ પણ કોંગ્રેસ જીતે તો ભાજપ કોંગ્રેસના MLAને ખરીદી શકે.

વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે - ઈસુદાન 

ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવા અનેક સ્થળો પર જનસભા પણ સંબોધી હતી. પોતાના પ્રચાર દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ નવી રણનીતિ બનાવી લોકોને ભ્રમિત કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. આ વાત પર આપે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં છે જ નહીં. વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે. 27 વર્ષથી ભાજપ એટલા માટે સત્તા પર છે કારણ કે જ્યારે પણ જરૂરત હોય છે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ખરીદી લે છે.


કોંગ્રસના ધારાસભ્યોને ખરીદી ભાજપ સત્તા પર આવે છે - ઈસુદાન

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઆઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ વિરૂદ્ધ આંદોલન કરનાર આંદોલનકારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એનો મતલબ સાફ છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવી, ધમકાવીને ભાજપમાં સામેલ કરી રહી છે. પણ આ વખતે ગુજરાતની જનતાએ મન મનાવી લીધુ છે કે ભાજપ કે કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે નહીં આમ આદમી પાર્ટી જ આવશે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે