પ્રધાનમંત્રી મોદી આવતી કાલે કરશે મતદાન, આજે સાંજે અમદાવાદ પહોંચશે


  • Published By :
  • Published Date : 2022-12-04 13:07:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે સોમવારે યોજાશે. બીજા તબક્કામાં રાજ્યની 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. આમ તો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે પણ ડોર ટુ ડોર અને ઘાટલા બેઠકોનો દોર ચાલું છે. પ્રધાનમંત્રી મોદી પણ કાલે મતદાન કરશે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે સાંજે ફરી એકવાર અમદાવાદ આવી પહોંચશે. 


PM મોદી ક્યાં મતદાન કરશે? 


PM મોદી આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. આ ઉપરાંત તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી શકે છે. તેઓ બીજા તબક્કામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરશે. અત્રે PM મોદીના માતા હીરાબા 100થી વધુ ઉંમરના છે અને તેઓ દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને મતદાન કરવા માટે જતા હોય છે. આવતીકાલે તેઓ પરિવારના સદસ્યો સાથે મતદાન કરવા માટે જઈ શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે