પ્રધાનમંત્રી મોદી આવતી કાલે કરશે મતદાન, આજે સાંજે અમદાવાદ પહોંચશે


  • Published By :
  • Published Date : 2022-12-04 13:07:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે સોમવારે યોજાશે. બીજા તબક્કામાં રાજ્યની 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. આમ તો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે પણ ડોર ટુ ડોર અને ઘાટલા બેઠકોનો દોર ચાલું છે. પ્રધાનમંત્રી મોદી પણ કાલે મતદાન કરશે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે સાંજે ફરી એકવાર અમદાવાદ આવી પહોંચશે. 


PM મોદી ક્યાં મતદાન કરશે? 


PM મોદી આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. આ ઉપરાંત તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી શકે છે. તેઓ બીજા તબક્કામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરશે. અત્રે PM મોદીના માતા હીરાબા 100થી વધુ ઉંમરના છે અને તેઓ દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને મતદાન કરવા માટે જતા હોય છે. આવતીકાલે તેઓ પરિવારના સદસ્યો સાથે મતદાન કરવા માટે જઈ શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.