પ્રધાનમંત્રી મોદી આવતી કાલે કરશે મતદાન, આજે સાંજે અમદાવાદ પહોંચશે


  • Published By :
  • Published Date : 2022-12-04 13:07:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે સોમવારે યોજાશે. બીજા તબક્કામાં રાજ્યની 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. આમ તો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે પણ ડોર ટુ ડોર અને ઘાટલા બેઠકોનો દોર ચાલું છે. પ્રધાનમંત્રી મોદી પણ કાલે મતદાન કરશે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે સાંજે ફરી એકવાર અમદાવાદ આવી પહોંચશે. 


PM મોદી ક્યાં મતદાન કરશે? 


PM મોદી આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. આ ઉપરાંત તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી શકે છે. તેઓ બીજા તબક્કામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરશે. અત્રે PM મોદીના માતા હીરાબા 100થી વધુ ઉંમરના છે અને તેઓ દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને મતદાન કરવા માટે જતા હોય છે. આવતીકાલે તેઓ પરિવારના સદસ્યો સાથે મતદાન કરવા માટે જઈ શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.