નવરાત્રી દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 12:19:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  વડાપ્રધાન તેમજ અમિત શાહ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતમાં આવીને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવાના છે.

પીએમ મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 29,30 સપ્ટેમ્બરે તેમજ 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન 12 જનસભાને સંબોધવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે. નવરાત્રી દરમિયાન તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન પણ કરવાના છે.

પ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે 12 મે સુધી બંધ રહેશે, કોરોના સંક્રમણને લઇ  લેવાયો નિર્ણય | Ambaji temple closed doors for devotees till may 12 | TV9  Gujarati

વડાપ્રધાન મોદીનો શિડ્યુલ

29 અને 30 સપ્ટેમ્બરના રોજ પીએમ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે છે. તે બાદ 9 ઓક્ટોબરના રોજ મોડાસાના પ્રવાસે જઈ શકે છે. 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે અને 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે છે.

શરૂ થયો ચૂંટણી પ્રચારનો દોર

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી પ્રચાર કરવાની છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .