નવરાત્રી દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 12:19:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  વડાપ્રધાન તેમજ અમિત શાહ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતમાં આવીને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવાના છે.

પીએમ મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 29,30 સપ્ટેમ્બરે તેમજ 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન 12 જનસભાને સંબોધવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે. નવરાત્રી દરમિયાન તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન પણ કરવાના છે.

પ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે 12 મે સુધી બંધ રહેશે, કોરોના સંક્રમણને લઇ  લેવાયો નિર્ણય | Ambaji temple closed doors for devotees till may 12 | TV9  Gujarati

વડાપ્રધાન મોદીનો શિડ્યુલ

29 અને 30 સપ્ટેમ્બરના રોજ પીએમ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે છે. તે બાદ 9 ઓક્ટોબરના રોજ મોડાસાના પ્રવાસે જઈ શકે છે. 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે અને 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે છે.

શરૂ થયો ચૂંટણી પ્રચારનો દોર

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી પ્રચાર કરવાની છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.