આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી! કરોડોના વિકાસ કામોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-11 16:26:22

આવતી કાલે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના 29મા રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન 13 મે સુધી ગિફ્ટ સિટીમાં યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી પણ હાજર રહેશે. આ સંમેલનમાં 91 હજાર પ્રતિનિધિ હાજર રહેશે.


2 હજાર 452 કરોડના રાજ્યલક્ષી કાર્યોનું કરશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ!

સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 હજાર 452 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ કામોમાં શહેરી વિકાસ વિભાગના 1 હજાર 654 કરોડના, વોટર સપ્લાય વિભાગના 734 કરોડના, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ અને ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે. શહેરી વિકાસ વિભાગ અમદાવાદના બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં STP અને રાઈઝિંગ મેઈનનું લોકાર્પણ કરશે. 


દહેગામમાં ઓડિટોરિયમનું કરશે લોકાર્પણ!

તે સિવાય દહેગામમાં ઓડિટોરિયમ અને અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવાના છે.  આ સાથે શહેરીવિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદમાં ગોતા ખાતે અને અમરાઈવાડીના નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટિયાને જોડતા ફ્લાયઓવર બ્રિજ, વાડજ સતાધાર જંક્શનનો ફોરલેન ફ્લાયઓવર અને એએમસીના ટીપીનું ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ-વાપીની મુલાકાત લીધી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.