આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી! કરોડોના વિકાસ કામોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-11 16:26:22

આવતી કાલે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના 29મા રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન 13 મે સુધી ગિફ્ટ સિટીમાં યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી પણ હાજર રહેશે. આ સંમેલનમાં 91 હજાર પ્રતિનિધિ હાજર રહેશે.


2 હજાર 452 કરોડના રાજ્યલક્ષી કાર્યોનું કરશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ!

સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 હજાર 452 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ કામોમાં શહેરી વિકાસ વિભાગના 1 હજાર 654 કરોડના, વોટર સપ્લાય વિભાગના 734 કરોડના, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ અને ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે. શહેરી વિકાસ વિભાગ અમદાવાદના બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં STP અને રાઈઝિંગ મેઈનનું લોકાર્પણ કરશે. 


દહેગામમાં ઓડિટોરિયમનું કરશે લોકાર્પણ!

તે સિવાય દહેગામમાં ઓડિટોરિયમ અને અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવાના છે.  આ સાથે શહેરીવિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદમાં ગોતા ખાતે અને અમરાઈવાડીના નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટિયાને જોડતા ફ્લાયઓવર બ્રિજ, વાડજ સતાધાર જંક્શનનો ફોરલેન ફ્લાયઓવર અને એએમસીના ટીપીનું ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ-વાપીની મુલાકાત લીધી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે