માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:20:10

ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમામ નેતાઓનું ધ્યાન ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડિંડોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. 


માનગઢ હિલ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવી રહ્યા છે. માનગઢ હિલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે ચર્ચાઓ ઉઠી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે. માનગઢ હિલ સાથે આદિવાસી સમાજના લોકોની આસ્થા અને અસ્મિતા જોડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે લડત કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પણ નજીક છે અને પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે તો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 


કેમ આદિવાસીઓ માનગઢ હિલ માટે કરી રહ્યા છે લડત?

પંજાબમાં 13 એપ્રિલ 1919માં જેમ જલિયાવાલા હત્યાકાંડ થયો હતો તેમ ગુજરાતમાં પણ હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડ અંગ્રેજોએ આદિવાસીઓ પર ગોળીઓ ચલાવીને કર્યો હતો. આદિવાસી લોકોએ 1913માં ગોવિંદ ગુરુની આગેવાનીમાં અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ થઈ હતી. ગોવિંદ ગુરુએ અંગ્રેજોના અત્યાચાર સામે ભગત આંદોલન ચલાવ્યું હતું જેને દબાવવા માટે અંગ્રેજોએ આદિવાસી લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં અનેક આદિવાસી લોકો શહીદ થયા હતા. 


ભાજપ આદિવાસીઓને આકર્ષવા કરી રહી છે પ્રયાસ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા મોટી માત્રામાં છે. ગુજરાતની દક્ષિણનો પટ્ટો અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદનો જે પટ્ટો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ગુજરાત સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે જમીનોનું સંપાદન કર્યું હતું જેમાં આદિવાસીઓની જમીનો સરકારે માગી હતી અને અમુક જમીનો સરકારે લઈ લીધી હતી તેવું આદિવાસીઓનું કહેવું છે. પોતાની જમીનો પર સરકારે કબજો કર્યો છે તેવું આદિવાસીઓનું માનવું છે આથી તેઓ સરકારથી નારાજ છે. પાર તાપી લિંક પ્રોજેક્ટ મામલે પણ સરકારને આદિવાસીઓ પાસેથી જોઈએ તેવું વલણ નહોતું મળ્યું. જમીનોનું સંપાદન થયું ત્યારે આદિવાસી લોકો સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તો સરકાર સામે ઝુંબેશ ઉઠાવી હતી. 


કુદરતે માનગઢ હિલને આપી છે સૌંદર્યની ભેટ

માનગઢ હિલ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર છે. માનગઢ હિલને કુદરતે કુદરતી સૌંદર્યની ભેટ આપી છે. 1913ની અંદર ગોવિંદ ગુરુની આગેવાનીમાં અહીં અંગ્રેજો સામે લડત આપવાની યોજનાઓ ઘડાઈ હતી. ગુજરાતના માનગઢ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યા કાંડ કરતા પણ  મોટો નરસંહાર છે. જલિયાવાલા બાગ કાંડના પહેલા પાંચ વર્ષ પહેલા આદિવાસીઓનો નરસંહાર થયો હતો તે માનગઢ હિલને અંગ્રેજોથી બચાવવા માટે જ થયો હતો. 


ત્યારે હવે ટૂંક સમયની અંદર જ આચાર સંહિતા જાહેર થઈ જશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને કેટલી મનાવશે અને કેવી રીતે આદિવાસીઓના મતોને પોતાના પક્ષમાં ખેંચી શકશે તે જોવાનું રહેશે. 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.