માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:20:10

ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમામ નેતાઓનું ધ્યાન ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડિંડોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. 


માનગઢ હિલ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવી રહ્યા છે. માનગઢ હિલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે ચર્ચાઓ ઉઠી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે. માનગઢ હિલ સાથે આદિવાસી સમાજના લોકોની આસ્થા અને અસ્મિતા જોડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે લડત કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પણ નજીક છે અને પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે તો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 


કેમ આદિવાસીઓ માનગઢ હિલ માટે કરી રહ્યા છે લડત?

પંજાબમાં 13 એપ્રિલ 1919માં જેમ જલિયાવાલા હત્યાકાંડ થયો હતો તેમ ગુજરાતમાં પણ હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડ અંગ્રેજોએ આદિવાસીઓ પર ગોળીઓ ચલાવીને કર્યો હતો. આદિવાસી લોકોએ 1913માં ગોવિંદ ગુરુની આગેવાનીમાં અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ થઈ હતી. ગોવિંદ ગુરુએ અંગ્રેજોના અત્યાચાર સામે ભગત આંદોલન ચલાવ્યું હતું જેને દબાવવા માટે અંગ્રેજોએ આદિવાસી લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં અનેક આદિવાસી લોકો શહીદ થયા હતા. 


ભાજપ આદિવાસીઓને આકર્ષવા કરી રહી છે પ્રયાસ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા મોટી માત્રામાં છે. ગુજરાતની દક્ષિણનો પટ્ટો અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદનો જે પટ્ટો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ગુજરાત સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે જમીનોનું સંપાદન કર્યું હતું જેમાં આદિવાસીઓની જમીનો સરકારે માગી હતી અને અમુક જમીનો સરકારે લઈ લીધી હતી તેવું આદિવાસીઓનું કહેવું છે. પોતાની જમીનો પર સરકારે કબજો કર્યો છે તેવું આદિવાસીઓનું માનવું છે આથી તેઓ સરકારથી નારાજ છે. પાર તાપી લિંક પ્રોજેક્ટ મામલે પણ સરકારને આદિવાસીઓ પાસેથી જોઈએ તેવું વલણ નહોતું મળ્યું. જમીનોનું સંપાદન થયું ત્યારે આદિવાસી લોકો સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તો સરકાર સામે ઝુંબેશ ઉઠાવી હતી. 


કુદરતે માનગઢ હિલને આપી છે સૌંદર્યની ભેટ

માનગઢ હિલ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર છે. માનગઢ હિલને કુદરતે કુદરતી સૌંદર્યની ભેટ આપી છે. 1913ની અંદર ગોવિંદ ગુરુની આગેવાનીમાં અહીં અંગ્રેજો સામે લડત આપવાની યોજનાઓ ઘડાઈ હતી. ગુજરાતના માનગઢ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યા કાંડ કરતા પણ  મોટો નરસંહાર છે. જલિયાવાલા બાગ કાંડના પહેલા પાંચ વર્ષ પહેલા આદિવાસીઓનો નરસંહાર થયો હતો તે માનગઢ હિલને અંગ્રેજોથી બચાવવા માટે જ થયો હતો. 


ત્યારે હવે ટૂંક સમયની અંદર જ આચાર સંહિતા જાહેર થઈ જશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને કેટલી મનાવશે અને કેવી રીતે આદિવાસીઓના મતોને પોતાના પક્ષમાં ખેંચી શકશે તે જોવાનું રહેશે. 

 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.