સામાન્ય માણસની જેમ વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 09:50:33

ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. અમદાવાદની 21 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.  રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.રાણીપ આવેલી નિશાને સ્કુલમાં તેઓ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતેથી મતદાન કર્યું છે.   

રાણીપની શાળાથી પીએમ મોદીએ કર્યું મતદાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા પહોચ્યા તે પહેલા તેઓ ચાલીને નિશાંત સ્કુલ ખાતે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉભા રહી ગયા હતા. ઉપરાંત મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાન મોદીના ભાઈનું ઘર ત્યાં આવેલું છે જેને કારણે તેઓ રાણીપ ખાતે આવી મતદાન કરે છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.