સામાન્ય માણસની જેમ વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 09:50:33

ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. અમદાવાદની 21 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.  રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.રાણીપ આવેલી નિશાને સ્કુલમાં તેઓ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતેથી મતદાન કર્યું છે.   

રાણીપની શાળાથી પીએમ મોદીએ કર્યું મતદાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા પહોચ્યા તે પહેલા તેઓ ચાલીને નિશાંત સ્કુલ ખાતે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉભા રહી ગયા હતા. ઉપરાંત મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાન મોદીના ભાઈનું ઘર ત્યાં આવેલું છે જેને કારણે તેઓ રાણીપ ખાતે આવી મતદાન કરે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે