સામાન્ય માણસની જેમ વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 09:50:33

ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. અમદાવાદની 21 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.  રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.રાણીપ આવેલી નિશાને સ્કુલમાં તેઓ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતેથી મતદાન કર્યું છે.   

રાણીપની શાળાથી પીએમ મોદીએ કર્યું મતદાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા પહોચ્યા તે પહેલા તેઓ ચાલીને નિશાંત સ્કુલ ખાતે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉભા રહી ગયા હતા. ઉપરાંત મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાન મોદીના ભાઈનું ઘર ત્યાં આવેલું છે જેને કારણે તેઓ રાણીપ ખાતે આવી મતદાન કરે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.