પ્રધાનમંત્રી મોદી લોથલના વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:08:53

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ કલાકે લોથલના નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષના સાઈટવર્ક પ્રોગ્રેસની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રોજેક્ટની સમીક્ષા કરશે અને સંબોધન પણ કરશે. 


લોથલ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે

લોથલ આપણો ઐતિહાસિક વારસો છે. ગુજરાતના લોથલને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. 3500 કરોડના ખર્ચે વિકસતા પ્રોજેક્ટની શરૂઆત માર્ચ 2022માં કરવામાં આવી હતી. 


નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષમાં શું હશે?

આ પ્રોજેક્ટ અંતર્ગત લોથલ ખાતે ચાર થીમ પાર્ક- મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઈમ અને નેવી થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક બનાવવામાં આવશે. અહીં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ; હડપ્પન સમયથી શરૂ કરીને અત્યાર સુધી ભારતના દરિયાઈ વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ; રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું દરિયાકાંઠાના રાજ્યોના પેવેલિયન પણ બનાવવામાં આવશે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે