નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદી લેશે મા અંબાના આશીર્વાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:49:03

હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિરે જઈ માતાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એમાં પણ જો નવરાત્રીમાં શક્તિ પીઠના દર્શનનો અવસર મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે. નરેન્દ્ર મોદી પણ શક્તિના ઉપાસક છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ શક્તિ પીઠ અંબાજીના દર્શન માટે જવાના છે. એવું માનવામાં આવે છે માતા સતીનું હ્દય આ સ્થાનકે પડ્યું હતું. જેને કારણે આ શક્તિપીઠનું મહાત્મય વધી જાય છે. અંબાજી ખાતે તેઓ દર્શન અને પૂજા કરશે તથા મહાઆરતી પણ ઉતારશે. અંબાજી પર વડાપ્રધાનને અખૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન બન્યા તે પહેલા પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત માના આશીર્વાદ લેવા, શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હતા. આવો જોઈએ અંબાજી ખાતે જોડાયેલી તેમની યાદોને વિવિધ તસ્વીરો દ્વારા.

Shri Narendra Modi offers prayers at Ambaji Temple    

PM Modi's dream of seeing 51 Shakti Peeth temples in Ambaji came true |  PiPa News

Shri Narendra Modi offers prayers at Ambaji Temple

Shri Narendra Modi offers prayers at Ambaji Temple - YouTube



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .