નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદી લેશે મા અંબાના આશીર્વાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:49:03

હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિરે જઈ માતાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એમાં પણ જો નવરાત્રીમાં શક્તિ પીઠના દર્શનનો અવસર મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે. નરેન્દ્ર મોદી પણ શક્તિના ઉપાસક છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ શક્તિ પીઠ અંબાજીના દર્શન માટે જવાના છે. એવું માનવામાં આવે છે માતા સતીનું હ્દય આ સ્થાનકે પડ્યું હતું. જેને કારણે આ શક્તિપીઠનું મહાત્મય વધી જાય છે. અંબાજી ખાતે તેઓ દર્શન અને પૂજા કરશે તથા મહાઆરતી પણ ઉતારશે. અંબાજી પર વડાપ્રધાનને અખૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન બન્યા તે પહેલા પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત માના આશીર્વાદ લેવા, શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હતા. આવો જોઈએ અંબાજી ખાતે જોડાયેલી તેમની યાદોને વિવિધ તસ્વીરો દ્વારા.

Shri Narendra Modi offers prayers at Ambaji Temple    

PM Modi's dream of seeing 51 Shakti Peeth temples in Ambaji came true |  PiPa News

Shri Narendra Modi offers prayers at Ambaji Temple

Shri Narendra Modi offers prayers at Ambaji Temple - YouTube



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.