પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 20:07:27

મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલના પ્રાંગણમાં બનેલા શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકાલની પૂજા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારતક મેળાની જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. 

શું છે શ્રી મહાકાલ લોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોરાથી બનેલા શિવલિંગને લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું હતું. તેને મહાકાલ લોકનું પ્રતિક સ્વરૂપ માનવામાં આવે છે. રક્ષાસૂત્રથી બનેલા 16 ફુટ ઉંચા શિવલિંગનું અનાવરણ અને લોકાર્પણ કરાયું હતું. 

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ પૂજા કરાવી

પંડિત ઘનશ્યામ મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી છે. તેમનો પરિવાર વારસાગત રીતે મહાકાલની પૂજા કરતો આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પંડિત ઘનશ્યામે પૂજા કરાવી હતી. 



મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.