પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 20:07:27

મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલના પ્રાંગણમાં બનેલા શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકાલની પૂજા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારતક મેળાની જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. 

શું છે શ્રી મહાકાલ લોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોરાથી બનેલા શિવલિંગને લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું હતું. તેને મહાકાલ લોકનું પ્રતિક સ્વરૂપ માનવામાં આવે છે. રક્ષાસૂત્રથી બનેલા 16 ફુટ ઉંચા શિવલિંગનું અનાવરણ અને લોકાર્પણ કરાયું હતું. 

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ પૂજા કરાવી

પંડિત ઘનશ્યામ મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી છે. તેમનો પરિવાર વારસાગત રીતે મહાકાલની પૂજા કરતો આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પંડિત ઘનશ્યામે પૂજા કરાવી હતી. 



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.