પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 20:07:27

મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલના પ્રાંગણમાં બનેલા શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકાલની પૂજા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારતક મેળાની જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. 

શું છે શ્રી મહાકાલ લોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોરાથી બનેલા શિવલિંગને લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું હતું. તેને મહાકાલ લોકનું પ્રતિક સ્વરૂપ માનવામાં આવે છે. રક્ષાસૂત્રથી બનેલા 16 ફુટ ઉંચા શિવલિંગનું અનાવરણ અને લોકાર્પણ કરાયું હતું. 

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ પૂજા કરાવી

પંડિત ઘનશ્યામ મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી છે. તેમનો પરિવાર વારસાગત રીતે મહાકાલની પૂજા કરતો આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પંડિત ઘનશ્યામે પૂજા કરાવી હતી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .