PM મોદીએ લોન્ચ કરી અમૃત ભારત સ્ટેશન યોજના, દેશના 508 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે


  • Published By :
  • Published Date : 2023-08-06 13:53:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી. તેમણે AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર ભારતમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે PM મોદીએ કહ્યું કે વિકાસના લક્ષ્ય તરફ આગળ વધી રહેલ ભારત તેના અમૃત સમયગાળાની શરૂઆતમાં છે. નવી ઉર્જા, પ્રેરણા છે, સંકલ્પ છે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પણ એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભારતના લગભગ 1300 મોટા રેલ્વે સ્ટેશનોને હવે અમૃત ભારત રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે અને તેને આધુનિકતા સાથે પુનઃવિકાસ કરવામાં આવશે.


PM મોદીએ શું કહ્યું?


PM મોદીએ  અમૃત ભારત સ્ટેશન યોજના લોન્ચ કરી ત્યારે જણાવ્યું હતું કે આનાથી દેશના તમામ રાજ્યોને ફાયદો થશે. ઉત્તર પ્રદેશમાં લગભગ રૂ. 4500 કરોડના ખર્ચ સાથે 55 AMRUT સ્ટેશનો વિકસાવવામાં આવશે. રાજસ્થાનના 55 રેલવે સ્ટેશન પણ અમૃત રેલવે સ્ટેશન બનશે. તેમણે રેલવે મંત્રાલયની પ્રશંસા કરી અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે રેલ્વેમાં જેટલું કામ થાય છે તે દરેકને ખુશ અને આશ્ચર્યચકિત કરે છે. વિશ્વના દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશોમાં જેટલું રેલવે નેટવર્ક છે તેના કરતાં વધુ રેલ પાટા  દેશમાં આ છેલ્લા  9 વર્ષમાં નાખવામાં આવ્યા છે. એકલા છેલ્લા વર્ષમાં દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં ભારતમાં વધુ રેલ ટ્રેક બનાવવામાં આવ્યા છે.


પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ


વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ પુનર્વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ રૂપિયા હશે અને તે મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 55-55, બિહારના 49, મહારાષ્ટ્રના 44, પશ્ચિમ બંગાળના 37, મધ્ય પ્રદેશના 34, આસામના 32, ઓડિશાના 25, પંજાબના 22, ગુજરાત અને તેલંગાણાના 21-21, ઝારખંડના 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના 18, હરિયાણાના 15 અને કર્ણાટકના 13 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.