રામની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે, 5100 દિવડાથી કરશે સરયૂ નદીની આરતી


  • Published By :
  • Published Date : 2022-10-23 14:50:04

દર વર્ષે રામનગરી અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં દિવાળી દરમિયાન દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેશે.

  

અયોધ્યામાં ચાલી રહી છે તડામાર તૈયારી

દિવાળીના તહેવારને લઈ સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દિપોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે અંદાજીત 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. આ વર્ષે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવશે, વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો સાંજે 4.55 વાગ્યે રામલલ્લાની પૂજા કરશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનું નિરિક્ષણ કરશે. તે બાદ 6.25 વાગ્યે સરયૂ નદીની આરતીમાં ભાગ લેશે. 6.40 વાગ્યે રામની પીઠડી ખાતે આયોજીત દિપોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે આવતા રામનગરી અભેદ્ય સુરક્ષા કવચમાં ફેરવાઈ ગઈ છે.           



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .