રામની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે, 5100 દિવડાથી કરશે સરયૂ નદીની આરતી


  • Published By :
  • Published Date : 2022-10-23 14:50:04

દર વર્ષે રામનગરી અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં દિવાળી દરમિયાન દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેશે.

  

અયોધ્યામાં ચાલી રહી છે તડામાર તૈયારી

દિવાળીના તહેવારને લઈ સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દિપોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે અંદાજીત 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. આ વર્ષે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવશે, વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો સાંજે 4.55 વાગ્યે રામલલ્લાની પૂજા કરશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનું નિરિક્ષણ કરશે. તે બાદ 6.25 વાગ્યે સરયૂ નદીની આરતીમાં ભાગ લેશે. 6.40 વાગ્યે રામની પીઠડી ખાતે આયોજીત દિપોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે આવતા રામનગરી અભેદ્ય સુરક્ષા કવચમાં ફેરવાઈ ગઈ છે.           



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.