રામની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે, 5100 દિવડાથી કરશે સરયૂ નદીની આરતી


  • Published By :
  • Published Date : 2022-10-23 14:50:04

દર વર્ષે રામનગરી અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં દિવાળી દરમિયાન દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેશે.

  

અયોધ્યામાં ચાલી રહી છે તડામાર તૈયારી

દિવાળીના તહેવારને લઈ સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દિપોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે અંદાજીત 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. આ વર્ષે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવશે, વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો સાંજે 4.55 વાગ્યે રામલલ્લાની પૂજા કરશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનું નિરિક્ષણ કરશે. તે બાદ 6.25 વાગ્યે સરયૂ નદીની આરતીમાં ભાગ લેશે. 6.40 વાગ્યે રામની પીઠડી ખાતે આયોજીત દિપોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે આવતા રામનગરી અભેદ્ય સુરક્ષા કવચમાં ફેરવાઈ ગઈ છે.           



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.