વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી કરશે ભાજપનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 11:52:15

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 

ભુપેન્દ્ર

પીએમ અનેક જનસભાઓમાં કરશે ગર્જના 

ચૂંટણીની તારીખ જાહેર થઈ તે બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવે છે. ભાજપના તેઓ સ્ટાર પ્રચારક ગણાય છે. તેમના ચહેરાથી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે. ગુજરાતના પ્રવાસે આવી ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં હાજરી આપવાના છે. સમૂહ લગ્નમાં હાજરી આપ્યા બાદ તેઓ સુરેન્દ્રનગર તેમજ વલસાડમાં જનસભા સંબોધવાના છે. 

પ્રવાસમાં માત્ર કરી શકશે પ્રચાર 

ગુજરાતમાં ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદીએ સ્વયં પ્રચારની કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા તેમના આંટાફેરા  ગુજરાતમાં વધી ગયા છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેઓ ગણાવે છે. ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થતા તેઓ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ નહીં આપી શકે. આ વખતે તેઓ માત્ર પ્રચાર જ કરી શકશે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar

આપ અને કોંગ્રેસ પણ કરી રહી છે પ્રચાર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.    



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .