વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી કરશે ભાજપનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-05 11:52:15

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 

ભુપેન્દ્ર

પીએમ અનેક જનસભાઓમાં કરશે ગર્જના 

ચૂંટણીની તારીખ જાહેર થઈ તે બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવે છે. ભાજપના તેઓ સ્ટાર પ્રચારક ગણાય છે. તેમના ચહેરાથી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે. ગુજરાતના પ્રવાસે આવી ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં હાજરી આપવાના છે. સમૂહ લગ્નમાં હાજરી આપ્યા બાદ તેઓ સુરેન્દ્રનગર તેમજ વલસાડમાં જનસભા સંબોધવાના છે. 

પ્રવાસમાં માત્ર કરી શકશે પ્રચાર 

ગુજરાતમાં ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદીએ સ્વયં પ્રચારની કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા તેમના આંટાફેરા  ગુજરાતમાં વધી ગયા છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેઓ ગણાવે છે. ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થતા તેઓ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ નહીં આપી શકે. આ વખતે તેઓ માત્ર પ્રચાર જ કરી શકશે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar

આપ અને કોંગ્રેસ પણ કરી રહી છે પ્રચાર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.