વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી કરશે ભાજપનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-05 11:52:15

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 

ભુપેન્દ્ર

પીએમ અનેક જનસભાઓમાં કરશે ગર્જના 

ચૂંટણીની તારીખ જાહેર થઈ તે બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવે છે. ભાજપના તેઓ સ્ટાર પ્રચારક ગણાય છે. તેમના ચહેરાથી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે. ગુજરાતના પ્રવાસે આવી ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં હાજરી આપવાના છે. સમૂહ લગ્નમાં હાજરી આપ્યા બાદ તેઓ સુરેન્દ્રનગર તેમજ વલસાડમાં જનસભા સંબોધવાના છે. 

પ્રવાસમાં માત્ર કરી શકશે પ્રચાર 

ગુજરાતમાં ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદીએ સ્વયં પ્રચારની કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા તેમના આંટાફેરા  ગુજરાતમાં વધી ગયા છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેઓ ગણાવે છે. ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થતા તેઓ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ નહીં આપી શકે. આ વખતે તેઓ માત્ર પ્રચાર જ કરી શકશે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar

આપ અને કોંગ્રેસ પણ કરી રહી છે પ્રચાર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.