ભોલે બાબાના શરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરાખંડને આપશે અનેક ભેટ-સોગાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:26:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં જતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ભોલેની સમક્ષ માથું નમાવ્યું હતું. કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ રૂદ્રાભિષેક પણ કર્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાતે આવ્યા છે. દર્શન ઉપરાંત ઉત્તરાખંડને 3400 કરોડ રૂપિયાની વિકાસ કામોની ભેટ પણ આપવાના છે. વડાપ્રધાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિગુરૂ શંકરાચાર્યની સમાધિની પણ મુલાકાત લીધી હતી.  બદ્રીનાથ ધામની પણ પીએમ મોદી મુલાકાત લેવાના છે. 

અનેક વિકાસના કામોનું કરશે શિલાન્યાસ       

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ખાસ ડ્રેસ ડોરામાં જોવા મળ્યા હતા. કેદારનાથની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમજ કેબિનેટ મંત્રી જોવા મળ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યસ કર્યો હતો. આ રોપ-વે 9.7 કિલોમીટર લાંબો હશે. અને આ રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલ આ અંતર કાપવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ રોપ-વે બન્યા બાદ આ સમય માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. અને ચીનની સરહદે આવેલા માણા ક્ષેત્રમાં બે હાઈવે સંબંધિત યોજનાઓનું ખાતમૂહુર્ત કરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .