ભોલે બાબાના શરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરાખંડને આપશે અનેક ભેટ-સોગાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:26:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં જતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ભોલેની સમક્ષ માથું નમાવ્યું હતું. કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ રૂદ્રાભિષેક પણ કર્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાતે આવ્યા છે. દર્શન ઉપરાંત ઉત્તરાખંડને 3400 કરોડ રૂપિયાની વિકાસ કામોની ભેટ પણ આપવાના છે. વડાપ્રધાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિગુરૂ શંકરાચાર્યની સમાધિની પણ મુલાકાત લીધી હતી.  બદ્રીનાથ ધામની પણ પીએમ મોદી મુલાકાત લેવાના છે. 

અનેક વિકાસના કામોનું કરશે શિલાન્યાસ       

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ખાસ ડ્રેસ ડોરામાં જોવા મળ્યા હતા. કેદારનાથની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમજ કેબિનેટ મંત્રી જોવા મળ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યસ કર્યો હતો. આ રોપ-વે 9.7 કિલોમીટર લાંબો હશે. અને આ રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલ આ અંતર કાપવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ રોપ-વે બન્યા બાદ આ સમય માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. અને ચીનની સરહદે આવેલા માણા ક્ષેત્રમાં બે હાઈવે સંબંધિત યોજનાઓનું ખાતમૂહુર્ત કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.