ભોલે બાબાના શરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરાખંડને આપશે અનેક ભેટ-સોગાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:26:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં જતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ભોલેની સમક્ષ માથું નમાવ્યું હતું. કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ રૂદ્રાભિષેક પણ કર્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાતે આવ્યા છે. દર્શન ઉપરાંત ઉત્તરાખંડને 3400 કરોડ રૂપિયાની વિકાસ કામોની ભેટ પણ આપવાના છે. વડાપ્રધાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિગુરૂ શંકરાચાર્યની સમાધિની પણ મુલાકાત લીધી હતી.  બદ્રીનાથ ધામની પણ પીએમ મોદી મુલાકાત લેવાના છે. 

અનેક વિકાસના કામોનું કરશે શિલાન્યાસ       

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ખાસ ડ્રેસ ડોરામાં જોવા મળ્યા હતા. કેદારનાથની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમજ કેબિનેટ મંત્રી જોવા મળ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યસ કર્યો હતો. આ રોપ-વે 9.7 કિલોમીટર લાંબો હશે. અને આ રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલ આ અંતર કાપવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ રોપ-વે બન્યા બાદ આ સમય માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. અને ચીનની સરહદે આવેલા માણા ક્ષેત્રમાં બે હાઈવે સંબંધિત યોજનાઓનું ખાતમૂહુર્ત કરશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે