પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથનું લોકાર્પણ કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:24:31

કેન્દ્રમાં NDAની સરકાર આવ્યા બાદ વિવિધ સ્થળોનું નામ બદલી તે સ્થળને નવી ઓળખ આપવામાં આવી રહી છે. ત્યારે 26મી જાન્યુઆરીના દિવસે જે સ્થળે પરેડ નિકળતી હોય તે સ્થળ એટલે રાજ પથને નવી ઓળખ મળી છે. રાજ પથ હવેથી કર્તવ્ય પથથી ઓળખાશે. 


પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

કર્તવ્ય પથનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે. સાંજે 7:00 વાગે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું લોકાર્પણ કરશે. 7:10એ વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પહોંચશે. તે બાદ 7:25 વાગ્યે કામદારો સાથે સંવાદ કરશે. જે બાદ કર્તવ્ય પથનું લોકોર્પણ 7:30 ક્લાકે કરશે. 7:40 વાગ્યે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે અને 8:02 ક્લાકે વડાપ્રધાન મોદી સંબોધન કરશે. અગાઉ આ સ્થળ પર જ્યોર્જ પંચમની મૂર્તિ હતી જે હટાવીને સુભાષચંદ્ર બોઝનું પ્રોજેક્ટર સ્ટેચ્યૂ રાખવામાં આવ્યું હતું.


ચાલો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની માહિતી મેળવીએ

કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનની જાહેરાત કરી હતી, જે પૂર્ણ થવા જઈ રહ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત જૂની ઈમારતો તોડી તેનું પુન નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં અંતર્ગત નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી આવાસ, ઉપરાષ્ટ્રપતિ આવાસ સહિત તમામ સરકારી વિભાગો અને મંત્રાલયો બનાવામાં આવ્યા છે. અંદાજીત 20,000 કરોડના ખર્ચે થનારો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજીત 10,000 કરોડના ખર્ચે નવું સંસદ ભવન નિર્માણ પામ્યું છે. 64,500 વર્ગ મીટરમાં આ નવું સંસદ ભવન જૂના ભવન કરતા વધારે મોટું હશે. ત્રિકોણ આકારમાં બનેલા સંસદ ભવનમાં લોકસભામાં 888 સાંસદ અને રાજ્યસભામાં 384 સાંસદોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 


કર્તવ્ય પથની વિશેષતા 

3,90,000 સ્ક્વેર ગ્રીન એરિયામાં આ પથ વિસ્તરેલો છે. તે ઉપરાંત સામાન્ય જનતા પણ આ પથની મુલાકાત લઈ શકે તે માટે 16.5 કિલો મીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. લાલ પથ્થરનો ઉપયોગ આ રસ્તાના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. પૂરા રસ્તા પર 974 લાઈટ પોલ પણ લગાવવામાં આવ્યા છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે આખો પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1.1 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 4087 વૃક્ષોની જાળવણી કરવામાં આવી છે. કુલ ચાર અંડરપાસ બનાવાયા છે. બે જનપથ તરફ અને બે અંડરપાસ સી-હેક્સાગનને જોડતો બનાવામાં આવ્યા છે. ઉપરાંત રાહદારીઓને અગવડના પડે તે માટે 16 પુલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 


મહિલા સશક્તિને અપાશે પ્રોત્સાહન 

દેશની પ્રગતિમાં મહિલાઓ દ્વારા અપાતા યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું છે. ઈતિહાસની મહિલાઓને યાદ કરવા નવા સંસદ ભવનની દિવાલો પર દેશની 75 પ્રતિષ્ઠિત મહિલાઓના પેઈન્ટિંગ લગાડવામાં આવશે. મહિલા સશક્તિ કરણને પ્રોત્સાહિક કરવા ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવતી મહિલાઓ એવા દ્રોપદી, સીતા, અહિલ્યાબાઈની, રઝિયા સુલતાન તેમજ અનેક પ્રસિદ્ધ મહિલાઓના પેઈન્ટિંગને  લગાડવામાં આવશે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.