પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથનું લોકાર્પણ કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:24:31

કેન્દ્રમાં NDAની સરકાર આવ્યા બાદ વિવિધ સ્થળોનું નામ બદલી તે સ્થળને નવી ઓળખ આપવામાં આવી રહી છે. ત્યારે 26મી જાન્યુઆરીના દિવસે જે સ્થળે પરેડ નિકળતી હોય તે સ્થળ એટલે રાજ પથને નવી ઓળખ મળી છે. રાજ પથ હવેથી કર્તવ્ય પથથી ઓળખાશે. 


પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

કર્તવ્ય પથનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે. સાંજે 7:00 વાગે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું લોકાર્પણ કરશે. 7:10એ વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પહોંચશે. તે બાદ 7:25 વાગ્યે કામદારો સાથે સંવાદ કરશે. જે બાદ કર્તવ્ય પથનું લોકોર્પણ 7:30 ક્લાકે કરશે. 7:40 વાગ્યે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે અને 8:02 ક્લાકે વડાપ્રધાન મોદી સંબોધન કરશે. અગાઉ આ સ્થળ પર જ્યોર્જ પંચમની મૂર્તિ હતી જે હટાવીને સુભાષચંદ્ર બોઝનું પ્રોજેક્ટર સ્ટેચ્યૂ રાખવામાં આવ્યું હતું.


ચાલો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની માહિતી મેળવીએ

કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનની જાહેરાત કરી હતી, જે પૂર્ણ થવા જઈ રહ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત જૂની ઈમારતો તોડી તેનું પુન નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં અંતર્ગત નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી આવાસ, ઉપરાષ્ટ્રપતિ આવાસ સહિત તમામ સરકારી વિભાગો અને મંત્રાલયો બનાવામાં આવ્યા છે. અંદાજીત 20,000 કરોડના ખર્ચે થનારો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજીત 10,000 કરોડના ખર્ચે નવું સંસદ ભવન નિર્માણ પામ્યું છે. 64,500 વર્ગ મીટરમાં આ નવું સંસદ ભવન જૂના ભવન કરતા વધારે મોટું હશે. ત્રિકોણ આકારમાં બનેલા સંસદ ભવનમાં લોકસભામાં 888 સાંસદ અને રાજ્યસભામાં 384 સાંસદોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 


કર્તવ્ય પથની વિશેષતા 

3,90,000 સ્ક્વેર ગ્રીન એરિયામાં આ પથ વિસ્તરેલો છે. તે ઉપરાંત સામાન્ય જનતા પણ આ પથની મુલાકાત લઈ શકે તે માટે 16.5 કિલો મીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. લાલ પથ્થરનો ઉપયોગ આ રસ્તાના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. પૂરા રસ્તા પર 974 લાઈટ પોલ પણ લગાવવામાં આવ્યા છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે આખો પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1.1 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 4087 વૃક્ષોની જાળવણી કરવામાં આવી છે. કુલ ચાર અંડરપાસ બનાવાયા છે. બે જનપથ તરફ અને બે અંડરપાસ સી-હેક્સાગનને જોડતો બનાવામાં આવ્યા છે. ઉપરાંત રાહદારીઓને અગવડના પડે તે માટે 16 પુલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 


મહિલા સશક્તિને અપાશે પ્રોત્સાહન 

દેશની પ્રગતિમાં મહિલાઓ દ્વારા અપાતા યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું છે. ઈતિહાસની મહિલાઓને યાદ કરવા નવા સંસદ ભવનની દિવાલો પર દેશની 75 પ્રતિષ્ઠિત મહિલાઓના પેઈન્ટિંગ લગાડવામાં આવશે. મહિલા સશક્તિ કરણને પ્રોત્સાહિક કરવા ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવતી મહિલાઓ એવા દ્રોપદી, સીતા, અહિલ્યાબાઈની, રઝિયા સુલતાન તેમજ અનેક પ્રસિદ્ધ મહિલાઓના પેઈન્ટિંગને  લગાડવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.