આવતીકાલથી પ્રધાનમંત્રી દિવસના ગુજરાત પ્રવાસે, કાલે વલસાડમાં સભા યોજશે


  • Published By :
  • Published Date : 2022-11-18 22:01:27

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અને કેન્દ્રના ભાજપના નેતાઓએ આજથી કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રના સ્ટાર પ્રચારકો અને ગુજરાતના ભાજપના મોટા નેતા ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે અને સભાઓ પણ ગજવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ આવતીકાલથી દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 

PM Narendra Modi to visit Gujarat, Uttarakhand, Uttar Pradesh ahead of  Diwali

આ પ્રવાસમાં પ્રધાનમંત્રીની નજર સૌરાષ્ટ્ર પર

આવતીકાલે સાંજે સાડા છ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ ખાતે વિજય સંકલ્પ જન સંમેલન સંબોધશે. પ્રધાનમંત્રી વાપીની મુલાકાત લેશે ત્યારબાદ અમરેલીમાં સભા યોજશે. પ્રધાનમંત્રી અમરેલીમાં 20 નવેમ્બરે જે જગ્યા પર સભા સંબોધશે તે જ જગ્યા પર અને તે જ સભા મંડપમાં 22 નવેમ્બરે રાહુલ પણ સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરશે. સૌરાષ્ટ્રમાં પ્રચાર પહેલા પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે દાદાના દર્શન કરશે અને ત્યાર બાદ ધોરાજી, વેરાવળ, બોટાદ અને અમરેલીમાં પ્રધાનમંત્રીની સભા યોજાશે. પ્રધાનમંત્રી આ વખતે પોતાનો પણ રેકોર્ડ તોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.