આવતીકાલથી પ્રધાનમંત્રી દિવસના ગુજરાત પ્રવાસે, કાલે વલસાડમાં સભા યોજશે


  • Published By :
  • Published Date : 2022-11-18 22:01:27

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અને કેન્દ્રના ભાજપના નેતાઓએ આજથી કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રના સ્ટાર પ્રચારકો અને ગુજરાતના ભાજપના મોટા નેતા ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે અને સભાઓ પણ ગજવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ આવતીકાલથી દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 

PM Narendra Modi to visit Gujarat, Uttarakhand, Uttar Pradesh ahead of  Diwali

આ પ્રવાસમાં પ્રધાનમંત્રીની નજર સૌરાષ્ટ્ર પર

આવતીકાલે સાંજે સાડા છ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ ખાતે વિજય સંકલ્પ જન સંમેલન સંબોધશે. પ્રધાનમંત્રી વાપીની મુલાકાત લેશે ત્યારબાદ અમરેલીમાં સભા યોજશે. પ્રધાનમંત્રી અમરેલીમાં 20 નવેમ્બરે જે જગ્યા પર સભા સંબોધશે તે જ જગ્યા પર અને તે જ સભા મંડપમાં 22 નવેમ્બરે રાહુલ પણ સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરશે. સૌરાષ્ટ્રમાં પ્રચાર પહેલા પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે દાદાના દર્શન કરશે અને ત્યાર બાદ ધોરાજી, વેરાવળ, બોટાદ અને અમરેલીમાં પ્રધાનમંત્રીની સભા યોજાશે. પ્રધાનમંત્રી આ વખતે પોતાનો પણ રેકોર્ડ તોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.