આવતીકાલથી પ્રધાનમંત્રી દિવસના ગુજરાત પ્રવાસે, કાલે વલસાડમાં સભા યોજશે


  • Published By :
  • Published Date : 2022-11-18 22:01:27

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અને કેન્દ્રના ભાજપના નેતાઓએ આજથી કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રના સ્ટાર પ્રચારકો અને ગુજરાતના ભાજપના મોટા નેતા ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે અને સભાઓ પણ ગજવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ આવતીકાલથી દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 

PM Narendra Modi to visit Gujarat, Uttarakhand, Uttar Pradesh ahead of  Diwali

આ પ્રવાસમાં પ્રધાનમંત્રીની નજર સૌરાષ્ટ્ર પર

આવતીકાલે સાંજે સાડા છ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ ખાતે વિજય સંકલ્પ જન સંમેલન સંબોધશે. પ્રધાનમંત્રી વાપીની મુલાકાત લેશે ત્યારબાદ અમરેલીમાં સભા યોજશે. પ્રધાનમંત્રી અમરેલીમાં 20 નવેમ્બરે જે જગ્યા પર સભા સંબોધશે તે જ જગ્યા પર અને તે જ સભા મંડપમાં 22 નવેમ્બરે રાહુલ પણ સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરશે. સૌરાષ્ટ્રમાં પ્રચાર પહેલા પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે દાદાના દર્શન કરશે અને ત્યાર બાદ ધોરાજી, વેરાવળ, બોટાદ અને અમરેલીમાં પ્રધાનમંત્રીની સભા યોજાશે. પ્રધાનમંત્રી આ વખતે પોતાનો પણ રેકોર્ડ તોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરશે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.