આવતીકાલથી પ્રધાનમંત્રી દિવસના ગુજરાત પ્રવાસે, કાલે વલસાડમાં સભા યોજશે


  • Published By :
  • Published Date : 2022-11-18 22:01:27

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અને કેન્દ્રના ભાજપના નેતાઓએ આજથી કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રના સ્ટાર પ્રચારકો અને ગુજરાતના ભાજપના મોટા નેતા ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે અને સભાઓ પણ ગજવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ આવતીકાલથી દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 

PM Narendra Modi to visit Gujarat, Uttarakhand, Uttar Pradesh ahead of  Diwali

આ પ્રવાસમાં પ્રધાનમંત્રીની નજર સૌરાષ્ટ્ર પર

આવતીકાલે સાંજે સાડા છ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ ખાતે વિજય સંકલ્પ જન સંમેલન સંબોધશે. પ્રધાનમંત્રી વાપીની મુલાકાત લેશે ત્યારબાદ અમરેલીમાં સભા યોજશે. પ્રધાનમંત્રી અમરેલીમાં 20 નવેમ્બરે જે જગ્યા પર સભા સંબોધશે તે જ જગ્યા પર અને તે જ સભા મંડપમાં 22 નવેમ્બરે રાહુલ પણ સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરશે. સૌરાષ્ટ્રમાં પ્રચાર પહેલા પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે દાદાના દર્શન કરશે અને ત્યાર બાદ ધોરાજી, વેરાવળ, બોટાદ અને અમરેલીમાં પ્રધાનમંત્રીની સભા યોજાશે. પ્રધાનમંત્રી આ વખતે પોતાનો પણ રેકોર્ડ તોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.