Ahmedabadમાં ખાનગી બસ ચાલકે સર્જ્યો અકસ્માત, ઘટનામાં મહિલાનું થયું મોત, સામે આવ્યા વિચલીત કરી દે તેવા સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2023-11-27 14:37:22

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.  કોઈ એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. હિટ એન્ડ રનના બનાવમાં અનેક પરિવારના સભ્યોને ગુમાવ્યા હશે. ત્યારે અમદાવાદના શિવરંજનીમાં એક બનાવ બન્યો હતો જેમાં બાઈક પર બે લોકો જઈ રહ્યા હતા. પાછળથી ખાનગી બસ આવી. બાઈકને ટક્કર મારી. આ અકસ્માતમાં મહિલાનું મોત થઈ ગઈ ગયું છે. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે એકદમ વિચલીત કરી દે તેવા છે. અકસ્માત સર્જીને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એવી માહિતી સામે આવી છે કે પોલીસે બસ ચાલકની ધરપકડ કરી લીધી છે. 

બસ ચાલકે યુવતીને કચડી નાખી! 

અમદાવાદના શિવરંજનીમાં એક અકસ્માત બન્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું. એ મહિલા જેની ડોલી થોડા સમય બાદ ઉઠવાની હતી તેની અર્થી ઉઠી છે. એક ખાનગી બસની અડફેટે બાઈક સવાર આવ્યા હતા.એ ટક્કર એટલી ભયંકર કરી હતી કે ઘટનાસ્થળ પર યુવતીનું મોત થયું હતું. બસ ચાલકે યુવતીને કચડી નાખી હતી. રોડ અકસ્માતની ઘટનામાં ધરખમ વધારો નોંધાયો છે. અનેક પરિવારનો માળો અકસ્માતને કારણે વિખેરાયો છે. અનેક લોકોએ પોતાના સ્વજનને અકસ્માતમાં ગુમાવ્યા હશે. 

Ahmedabad News: 22-yr-old dies as bus runs over her at Shivranjani Ahmedabad News: બાઇક પર સવાર કપલને ખાનગી બસે મારી ટક્કર, મંગેતરની સામે જ રોડ પર યુવતીનું મોત

22 વર્ષીય યુવતીનું થયું મોત જેના થવાના હતા લગ્ન 

અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં કોઈ બીજાની ભૂલ કોઈ માટે સજા સાબિત થતી હોય છે. જે બસથી આ અકસ્માત સર્જાયો છે તે બસ પાલડીની પટેલ ટ્રાવેલ્સની ઓફિસથી  મુન્દ્રા જઈ રહી હતી. બસ શિવરંજની પહોંચે છે અને બાઈક સવારને અડફેટે લે છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જે મહિલાનું મોત થયું તે 22 વર્ષની હતી. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં આ આખી ઘટના કેદ થઈ છે.  આ સીસીટીવી ફૂટેજ એકદમ ડરાવના છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ચાલક પોલીસની પકડમાં છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.