Priyanka Gandhi અને Arvind Kejriwalની વધી મુશ્કેલી, જાણો BJPની કઈ ફરિયાદને લઈ બન્ને નેતાઓને પાઠવવામાં આવી નોટિસ?


  • Published By :
  • Published Date : 2023-11-15 12:30:10

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે જેની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. રેલી કે જનસભાને સંબોધિત કરતી વખતે બીજા પર ટિપ્પણી કરતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી જેને લઈ તે બંનેને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ નોટિસ બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર કરવામાં આવી છે. 

બીજેપીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ 

ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યત્વે જોવા મળ્યું છે કે પ્રચારકો પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી પાર્ટીએ કયા કામો નથી કર્યા તે ગણાવે છે. ત્યારે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીઓના પ્રચારકો દ્વારા એકબીજા પર શાબ્દીક પ્રહારો કરે છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે તે બધા વચ્ચે ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધી તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે. બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં રાખી આ નોટિસ આપવામાં આવી છે. 

Election Commission Sends Notices To Priyanka Gandhi, Arvind Kejriwal Over  Remarks On PM Modi

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલને પાઠવવામાં આવી નોટિસ 

પાર્ટીએ ફરિયાદ કરી હતી કે પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં મધ્યપ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી વિશે ખોટા અને અપ્રમાણિત નિવેદનો આપ્યા હતા. એક રેલીમાં પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ)નું ખાનગીકરણ કર્યું છે. તે ઉપરાંત બીજેપીએ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પણ ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ આપને 16 નવેમ્બર સાંજે સાત વાગ્યા સુધીમાં જવાબ આપવો પડશે જ્યારે પ્રિયંકા ગાંધીને પણ જવાબ આપવા માટે 16 નવેમ્બર આપવામાં આવી છે. 

ચૂંટણી પંચ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને પાંચ રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય  સચિવો સાથે વિધાનસભા ચૂંટણીઓ અંગે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે.

જો નિર્ધારિત સમયની અંદર જવાબ નહીં આપવામાં આવે તો...

આમ આદમી પાર્ટીને પણ બીજેપીની ફરિયાદના આધારે નોટિસ પાઠવવામાં આવી છે. અરવિંદ કેજરીવાલને પણ પંચે નોટિસ પાઠવી છે. 10 નવેમ્બરના રોજ ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને અસ્વીકાર્ય અને અનૈતિક ગણાવ્યો હતો અને પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં એવું પણ જણાવ્યું કે જો નિર્ધારિત સમયની અંદર કોઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે  તો એવું માની લેવામાં આવશે કે તમારે આ બાબતે કંઈ કહેવું નથી. આ મામલે ચૂંટણી પંચ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.  


સોશિયલ મીડિયા પર પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે પ્રચાર 

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પાર્ટીઓ દ્વારા વીડિયો શેર કરવામાં આવે છે જેમાં બીજી પાર્ટી પર પ્રહારો કરવામાં આવે છે! ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવે છે તો આપ તેમજ કોંગ્રેસ દ્વારા પણ વીડિયો શેર કરી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહારો કરવામાં આવે છે!   

 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.