Priyanka Gandhi અને Arvind Kejriwalની વધી મુશ્કેલી, જાણો BJPની કઈ ફરિયાદને લઈ બન્ને નેતાઓને પાઠવવામાં આવી નોટિસ?


  • Published By :
  • Published Date : 2023-11-15 12:30:10

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે જેની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. રેલી કે જનસભાને સંબોધિત કરતી વખતે બીજા પર ટિપ્પણી કરતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી જેને લઈ તે બંનેને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ નોટિસ બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર કરવામાં આવી છે. 

બીજેપીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ 

ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યત્વે જોવા મળ્યું છે કે પ્રચારકો પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી પાર્ટીએ કયા કામો નથી કર્યા તે ગણાવે છે. ત્યારે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીઓના પ્રચારકો દ્વારા એકબીજા પર શાબ્દીક પ્રહારો કરે છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે તે બધા વચ્ચે ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધી તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે. બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં રાખી આ નોટિસ આપવામાં આવી છે. 

Election Commission Sends Notices To Priyanka Gandhi, Arvind Kejriwal Over  Remarks On PM Modi

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલને પાઠવવામાં આવી નોટિસ 

પાર્ટીએ ફરિયાદ કરી હતી કે પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં મધ્યપ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી વિશે ખોટા અને અપ્રમાણિત નિવેદનો આપ્યા હતા. એક રેલીમાં પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ)નું ખાનગીકરણ કર્યું છે. તે ઉપરાંત બીજેપીએ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પણ ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ આપને 16 નવેમ્બર સાંજે સાત વાગ્યા સુધીમાં જવાબ આપવો પડશે જ્યારે પ્રિયંકા ગાંધીને પણ જવાબ આપવા માટે 16 નવેમ્બર આપવામાં આવી છે. 

ચૂંટણી પંચ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને પાંચ રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય  સચિવો સાથે વિધાનસભા ચૂંટણીઓ અંગે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે.

જો નિર્ધારિત સમયની અંદર જવાબ નહીં આપવામાં આવે તો...

આમ આદમી પાર્ટીને પણ બીજેપીની ફરિયાદના આધારે નોટિસ પાઠવવામાં આવી છે. અરવિંદ કેજરીવાલને પણ પંચે નોટિસ પાઠવી છે. 10 નવેમ્બરના રોજ ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને અસ્વીકાર્ય અને અનૈતિક ગણાવ્યો હતો અને પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં એવું પણ જણાવ્યું કે જો નિર્ધારિત સમયની અંદર કોઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે  તો એવું માની લેવામાં આવશે કે તમારે આ બાબતે કંઈ કહેવું નથી. આ મામલે ચૂંટણી પંચ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.  


સોશિયલ મીડિયા પર પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે પ્રચાર 

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પાર્ટીઓ દ્વારા વીડિયો શેર કરવામાં આવે છે જેમાં બીજી પાર્ટી પર પ્રહારો કરવામાં આવે છે! ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવે છે તો આપ તેમજ કોંગ્રેસ દ્વારા પણ વીડિયો શેર કરી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહારો કરવામાં આવે છે!   

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.