પ્રિયંકા ગાંધી રાયબરેલીથી બન્યા કોંગ્રેસના ઉમેદવાર, BJP કોને ઉતારશે મેદાનમાં? આ બે નામ છે ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2024-02-16 16:10:05

ઉત્તર પ્રદેશના રાયબબરેલીમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધી હવે રાજ્ય સભા દ્વારા તેમની રાજનીતિ કરશે. તેમણે રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમનું નામાંકન પણ ભરી દીધું છે. હવે સોનિયા ગાંધીના બદલે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર બની શકે છે. રાયબરેલીમાં ગાંધી પરિવારના વારસાને સંભાળવાની જવાબદારી હવે પ્રિયંકા પર આવી છે.  



કોણ હશે બિજેપીનો ઉમેદવાર


પ્રિયંકા ગાંધીની ઉમેદવારી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપ રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી શકે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી અમેઠીની સાથે-સાથે રાયબરેલીમાં સક્રિય રહી છે. તેથી સ્મતિ ઈરાનીની શક્યતા વધુ જણાઈ રહી છે. 

Image

અદિતી સિંહના નામની પણ ચર્ચા


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલી અદિતી સિંહ પણ રાયબરેલીમાં પ્રિયંકાને પડકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન અદિતી સિંહે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને જીત મેળવી હતી. ત્યારે પણ તેમણે પ્રિયંકાને રાયબરેલીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સ્થિતીમાં ભાજપ બીજા વિકલ્પ તરીકે અદિતી સિંહને રાયબરેલી લોકસભા સીટ માટે ટિકિટ આપી શકે છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .