પ્રિયંકા ગાંધી રાયબરેલીથી બન્યા કોંગ્રેસના ઉમેદવાર, BJP કોને ઉતારશે મેદાનમાં? આ બે નામ છે ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2024-02-16 16:10:05

ઉત્તર પ્રદેશના રાયબબરેલીમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધી હવે રાજ્ય સભા દ્વારા તેમની રાજનીતિ કરશે. તેમણે રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમનું નામાંકન પણ ભરી દીધું છે. હવે સોનિયા ગાંધીના બદલે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર બની શકે છે. રાયબરેલીમાં ગાંધી પરિવારના વારસાને સંભાળવાની જવાબદારી હવે પ્રિયંકા પર આવી છે.  



કોણ હશે બિજેપીનો ઉમેદવાર


પ્રિયંકા ગાંધીની ઉમેદવારી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપ રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી શકે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી અમેઠીની સાથે-સાથે રાયબરેલીમાં સક્રિય રહી છે. તેથી સ્મતિ ઈરાનીની શક્યતા વધુ જણાઈ રહી છે. 

Image

અદિતી સિંહના નામની પણ ચર્ચા


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલી અદિતી સિંહ પણ રાયબરેલીમાં પ્રિયંકાને પડકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન અદિતી સિંહે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને જીત મેળવી હતી. ત્યારે પણ તેમણે પ્રિયંકાને રાયબરેલીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સ્થિતીમાં ભાજપ બીજા વિકલ્પ તરીકે અદિતી સિંહને રાયબરેલી લોકસભા સીટ માટે ટિકિટ આપી શકે છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .