પ્રિયંકા ગાંધી રાયબરેલીથી બન્યા કોંગ્રેસના ઉમેદવાર, BJP કોને ઉતારશે મેદાનમાં? આ બે નામ છે ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2024-02-16 16:10:05

ઉત્તર પ્રદેશના રાયબબરેલીમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધી હવે રાજ્ય સભા દ્વારા તેમની રાજનીતિ કરશે. તેમણે રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમનું નામાંકન પણ ભરી દીધું છે. હવે સોનિયા ગાંધીના બદલે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર બની શકે છે. રાયબરેલીમાં ગાંધી પરિવારના વારસાને સંભાળવાની જવાબદારી હવે પ્રિયંકા પર આવી છે.  



કોણ હશે બિજેપીનો ઉમેદવાર


પ્રિયંકા ગાંધીની ઉમેદવારી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપ રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી શકે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી અમેઠીની સાથે-સાથે રાયબરેલીમાં સક્રિય રહી છે. તેથી સ્મતિ ઈરાનીની શક્યતા વધુ જણાઈ રહી છે. 

Image

અદિતી સિંહના નામની પણ ચર્ચા


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલી અદિતી સિંહ પણ રાયબરેલીમાં પ્રિયંકાને પડકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન અદિતી સિંહે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને જીત મેળવી હતી. ત્યારે પણ તેમણે પ્રિયંકાને રાયબરેલીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સ્થિતીમાં ભાજપ બીજા વિકલ્પ તરીકે અદિતી સિંહને રાયબરેલી લોકસભા સીટ માટે ટિકિટ આપી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.