પ્રિયંકા ગાંધીની તબિયત લથડી, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-19 19:21:48

કોંગ્રેસના અગ્રણી નેતા પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા તેમને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સુત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ડિહાઈડ્રેશન અને પેટમાં ઈન્ફેક્શનનાં કારણે પ્રિયંકા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઈલાજ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. 


16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું


આ અગાઉ પ્રિયંકા ગાંધીએ 16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે "હું ખૂબ જ આતુરતાથી ઉત્તર પ્રદેશમાં ભારત જોડા ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી. પરંતું બિમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, સાજી થતાં જ હું ફરીથી યાત્રામાં જોડાઈ જઈશ. અત્યાર સુધી ચંદોલી-બનારસ પહોંચેલા તમામ યાત્રિકો, સપુર્ણ તાકાતથી યાત્રાની તૈયારીમાં લાગી જાઓ, ઉત્તર પ્રદેશમાં મારા સહયોગી અને વ્હાલા ભાઈઓને શુભકામનાઓ પાઠવું છું". 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.