પ્રિયંકા ગાંધીની તબિયત લથડી, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-19 19:21:48

કોંગ્રેસના અગ્રણી નેતા પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા તેમને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સુત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ડિહાઈડ્રેશન અને પેટમાં ઈન્ફેક્શનનાં કારણે પ્રિયંકા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઈલાજ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. 


16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું


આ અગાઉ પ્રિયંકા ગાંધીએ 16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે "હું ખૂબ જ આતુરતાથી ઉત્તર પ્રદેશમાં ભારત જોડા ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી. પરંતું બિમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, સાજી થતાં જ હું ફરીથી યાત્રામાં જોડાઈ જઈશ. અત્યાર સુધી ચંદોલી-બનારસ પહોંચેલા તમામ યાત્રિકો, સપુર્ણ તાકાતથી યાત્રાની તૈયારીમાં લાગી જાઓ, ઉત્તર પ્રદેશમાં મારા સહયોગી અને વ્હાલા ભાઈઓને શુભકામનાઓ પાઠવું છું". 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.