EDની ચાર્જશીટમાં Priyanka Gandhiનું નામ, આ મોટા જમીન કૌભાંડમાં નામ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 12:53:13

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી શકે છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમનું નામ એક આરોપી સાથે સંબંધિત જમીનના સોદાના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.

ચાર્જશીટમાં પહેલી વખત પ્રિયંકા ગાંધીના નામનો કરાયો ઉલ્લેખ  

સમગ્ર મામલાની વાત કરીએ તો 22 નવેમ્બરે EDએ હથિયારોના વેપારી અને લંડનમાં રહેતા સંજય ભંડારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સંજય ભંડારી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નજીકના હોવાનું માનવામાં આવે છે. તપાસ એજન્સી 2018થી વાડ્રા અને ભંડારી વચ્ચેના કથિત સંબંધોની તપાસ કરી રહી છે. ઇડીએ આ જણાવ્યું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી હતી.

priyanka gandhi robert vadra

તપાસ એજન્સીના ડરથી ભંડારી ભાગી ગયો હતો વિદેશ 

EDનું કહેવું છે કે વાડ્રા અને સંજય ભંડારી વચ્ચે સારા સંબંધો છે. બંન્ને જણા એક સમાન બિઝનેસ કરે છે. આ એક મોટો કેસ છે, જે સંજય ભંડારી સાથે જોડાયેલો છે. ભંડારી વિરૂદ્ધ અનેક તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેને કારણે તે વિદેશ ભાગી ગયા. મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન માટે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓના ડરથી તે ભારત છોડીને 2016માં જ બ્રિટન ભાગી ગયો હતો. 



પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.

મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં ફરી રહી છે. ત્યારે આણંદના વિદ્યાનગર યાત્રા પહોંચી હતી. ત્યાંના વિદ્યાર્થીઓએ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.