હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રિયંકા ગાંધીએ સંભાળી પ્રચારની કમાન


  • Published By :
  • Published Date : 2022-11-04 18:15:13

હિમાચલ પ્રદેશમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હાલ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યારે આવનાર સમયમાં કોંગ્રેસની સત્તા આવે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે જનસભાને સંબોધી હતી. પરિવર્તન પ્રતિજ્ઞા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હિમાચલ પ્રદેશ માટે કોંગ્રેસે સ્લોગન આપ્યું છે: હિમાચલ કા રિવાજ જારી હૈ, હિમાચલ મે ફીરસે કોંગ્રેસ આ રહી હૈ.


પ્રિયંકાએ પ્રચારમાં ગણાવ્યા કોંગ્રેસના કામો

ગુજરાતમાં પણ આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ ખાતે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પ્રિયંકાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રિયંકાએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કામોને ગણાવ્યા હતા. 


સરકાર બનતા જ લાગુ કરાશે જૂની પેંશન યોજના    

રોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ બેરોજગારોને રોજગારી આપવામાં આવશે. છત્તીસગઢ તેમજ રાજસ્થાન સરકારના ઉદાહરણો તેમણે આપ્યા હતા. ઉપરાંત કેબિનેટની પહેલી બેઠકમાં જ જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.       



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.