હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રિયંકા ગાંધીએ સંભાળી પ્રચારની કમાન


  • Published By :
  • Published Date : 2022-11-04 18:15:13

હિમાચલ પ્રદેશમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હાલ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યારે આવનાર સમયમાં કોંગ્રેસની સત્તા આવે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે જનસભાને સંબોધી હતી. પરિવર્તન પ્રતિજ્ઞા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હિમાચલ પ્રદેશ માટે કોંગ્રેસે સ્લોગન આપ્યું છે: હિમાચલ કા રિવાજ જારી હૈ, હિમાચલ મે ફીરસે કોંગ્રેસ આ રહી હૈ.


પ્રિયંકાએ પ્રચારમાં ગણાવ્યા કોંગ્રેસના કામો

ગુજરાતમાં પણ આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ ખાતે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પ્રિયંકાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રિયંકાએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કામોને ગણાવ્યા હતા. 


સરકાર બનતા જ લાગુ કરાશે જૂની પેંશન યોજના    

રોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ બેરોજગારોને રોજગારી આપવામાં આવશે. છત્તીસગઢ તેમજ રાજસ્થાન સરકારના ઉદાહરણો તેમણે આપ્યા હતા. ઉપરાંત કેબિનેટની પહેલી બેઠકમાં જ જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.       



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.