હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રિયંકા ગાંધીએ સંભાળી પ્રચારની કમાન


  • Published By :
  • Published Date : 2022-11-04 18:15:13

હિમાચલ પ્રદેશમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હાલ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યારે આવનાર સમયમાં કોંગ્રેસની સત્તા આવે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે જનસભાને સંબોધી હતી. પરિવર્તન પ્રતિજ્ઞા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હિમાચલ પ્રદેશ માટે કોંગ્રેસે સ્લોગન આપ્યું છે: હિમાચલ કા રિવાજ જારી હૈ, હિમાચલ મે ફીરસે કોંગ્રેસ આ રહી હૈ.


પ્રિયંકાએ પ્રચારમાં ગણાવ્યા કોંગ્રેસના કામો

ગુજરાતમાં પણ આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ ખાતે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પ્રિયંકાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રિયંકાએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કામોને ગણાવ્યા હતા. 


સરકાર બનતા જ લાગુ કરાશે જૂની પેંશન યોજના    

રોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ બેરોજગારોને રોજગારી આપવામાં આવશે. છત્તીસગઢ તેમજ રાજસ્થાન સરકારના ઉદાહરણો તેમણે આપ્યા હતા. ઉપરાંત કેબિનેટની પહેલી બેઠકમાં જ જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.