Geniben Thakor અને ચંદનજી ઠાકોર માટે Priyanka Gandhi કરશે પ્રચાર, Banaskanthaના લાખણીમાં સંબોધશે જનસભા


  • Published By :
  • Published Date : 2024-05-04 10:30:26

ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પોતાના ઉમેદવારના સમર્થન માટે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને સભાને સંબોધી રહ્યા છે... ત્યારે બનાસકાંઠા તેમજ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે.. બનાસકાંઠાના લાખણીમાં તેઓ જનસભાને સંબોધવાના છે...


ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર 

લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચારની કમાન સંભાળવામાં આવી છે... પહેલી અને બીજી મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા.. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને તેમણે સંબોધી.. બનાસકાંઠામાં પીએમ મોદીની જનસભા હતી તેનો ઉલ્લેખ અનેક વખત ગેનીબેન ઠાકોરે કર્યો.... ત્યારે ગેનીબેન તેમજ ચંદનજી ઠાકોરના પ્રચાર માટે  પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભાને સંબોધવાના છે..


ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં બનાવ્યો છે માહોલ!

મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે... ગેનીબેન દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવવામાં આવ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન પણ અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે.. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે.. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના લોકો કોને મત આપી સંસદ પહોંચાડે છે...     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.