Geniben Thakor અને ચંદનજી ઠાકોર માટે Priyanka Gandhi કરશે પ્રચાર, Banaskanthaના લાખણીમાં સંબોધશે જનસભા


  • Published By :
  • Published Date : 2024-05-04 10:30:26

ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પોતાના ઉમેદવારના સમર્થન માટે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને સભાને સંબોધી રહ્યા છે... ત્યારે બનાસકાંઠા તેમજ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે.. બનાસકાંઠાના લાખણીમાં તેઓ જનસભાને સંબોધવાના છે...


ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર 

લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચારની કમાન સંભાળવામાં આવી છે... પહેલી અને બીજી મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા.. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને તેમણે સંબોધી.. બનાસકાંઠામાં પીએમ મોદીની જનસભા હતી તેનો ઉલ્લેખ અનેક વખત ગેનીબેન ઠાકોરે કર્યો.... ત્યારે ગેનીબેન તેમજ ચંદનજી ઠાકોરના પ્રચાર માટે  પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભાને સંબોધવાના છે..


ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં બનાવ્યો છે માહોલ!

મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે... ગેનીબેન દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવવામાં આવ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન પણ અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે.. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે.. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના લોકો કોને મત આપી સંસદ પહોંચાડે છે...     



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.