Geniben Thakor અને ચંદનજી ઠાકોર માટે Priyanka Gandhi કરશે પ્રચાર, Banaskanthaના લાખણીમાં સંબોધશે જનસભા


  • Published By :
  • Published Date : 2024-05-04 10:30:26

ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પોતાના ઉમેદવારના સમર્થન માટે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને સભાને સંબોધી રહ્યા છે... ત્યારે બનાસકાંઠા તેમજ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે.. બનાસકાંઠાના લાખણીમાં તેઓ જનસભાને સંબોધવાના છે...


ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર 

લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચારની કમાન સંભાળવામાં આવી છે... પહેલી અને બીજી મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા.. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને તેમણે સંબોધી.. બનાસકાંઠામાં પીએમ મોદીની જનસભા હતી તેનો ઉલ્લેખ અનેક વખત ગેનીબેન ઠાકોરે કર્યો.... ત્યારે ગેનીબેન તેમજ ચંદનજી ઠાકોરના પ્રચાર માટે  પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભાને સંબોધવાના છે..


ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં બનાવ્યો છે માહોલ!

મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે... ગેનીબેન દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવવામાં આવ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન પણ અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે.. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે.. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના લોકો કોને મત આપી સંસદ પહોંચાડે છે...     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .