ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળી શકે છે પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:53:36

આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી સિરયસ થઈ પ્રચારના કામે લાગી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર ધ્યાન ન આપી ભારત જોડો યાત્રા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તેની પર સવાલ ઉભો થયો છે. રાહુલ ગાંધી બીજા કામમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચારનું કાર્ય પ્રિયંકા ગાંધી કરી શકે છે.

As Congress Stares At Defeat, Priyanka Gandhi Meets Rahul Gandhi

પ્રિયંકા ગાંધી કરી શકે છે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ  

ગુજરાતમાં પ્રચાર કરવા આપ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન, અમિત શાહ તેમજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવી નથી રહ્યા. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ ગંભીર બનવું જોઈએ. પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રચારની કમાન સંભાળી શકે છે કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરવામાં વ્યસ્ત છે. ગુજરાત કોંગ્રેસને હાલ વ્યવસ્થિત સંગઠનની જરૂર છે. કોંગ્રેસમાં હાલ પ્રિયંકા ગાંધી જ એક વ્યક્તિ છે જે આ કાર્યને સંભાળી શકે છે.         




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.