ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળી શકે છે પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:53:36

આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી સિરયસ થઈ પ્રચારના કામે લાગી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર ધ્યાન ન આપી ભારત જોડો યાત્રા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તેની પર સવાલ ઉભો થયો છે. રાહુલ ગાંધી બીજા કામમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચારનું કાર્ય પ્રિયંકા ગાંધી કરી શકે છે.

As Congress Stares At Defeat, Priyanka Gandhi Meets Rahul Gandhi

પ્રિયંકા ગાંધી કરી શકે છે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ  

ગુજરાતમાં પ્રચાર કરવા આપ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન, અમિત શાહ તેમજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવી નથી રહ્યા. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ ગંભીર બનવું જોઈએ. પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રચારની કમાન સંભાળી શકે છે કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરવામાં વ્યસ્ત છે. ગુજરાત કોંગ્રેસને હાલ વ્યવસ્થિત સંગઠનની જરૂર છે. કોંગ્રેસમાં હાલ પ્રિયંકા ગાંધી જ એક વ્યક્તિ છે જે આ કાર્યને સંભાળી શકે છે.         




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.