ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળી શકે છે પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:53:36

આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી સિરયસ થઈ પ્રચારના કામે લાગી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર ધ્યાન ન આપી ભારત જોડો યાત્રા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તેની પર સવાલ ઉભો થયો છે. રાહુલ ગાંધી બીજા કામમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચારનું કાર્ય પ્રિયંકા ગાંધી કરી શકે છે.

As Congress Stares At Defeat, Priyanka Gandhi Meets Rahul Gandhi

પ્રિયંકા ગાંધી કરી શકે છે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ  

ગુજરાતમાં પ્રચાર કરવા આપ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન, અમિત શાહ તેમજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવી નથી રહ્યા. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ ગંભીર બનવું જોઈએ. પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રચારની કમાન સંભાળી શકે છે કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરવામાં વ્યસ્ત છે. ગુજરાત કોંગ્રેસને હાલ વ્યવસ્થિત સંગઠનની જરૂર છે. કોંગ્રેસમાં હાલ પ્રિયંકા ગાંધી જ એક વ્યક્તિ છે જે આ કાર્યને સંભાળી શકે છે.         




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .