ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળી શકે છે પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:53:36

આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી સિરયસ થઈ પ્રચારના કામે લાગી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર ધ્યાન ન આપી ભારત જોડો યાત્રા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તેની પર સવાલ ઉભો થયો છે. રાહુલ ગાંધી બીજા કામમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચારનું કાર્ય પ્રિયંકા ગાંધી કરી શકે છે.

As Congress Stares At Defeat, Priyanka Gandhi Meets Rahul Gandhi

પ્રિયંકા ગાંધી કરી શકે છે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ  

ગુજરાતમાં પ્રચાર કરવા આપ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન, અમિત શાહ તેમજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવી નથી રહ્યા. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ ગંભીર બનવું જોઈએ. પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રચારની કમાન સંભાળી શકે છે કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરવામાં વ્યસ્ત છે. ગુજરાત કોંગ્રેસને હાલ વ્યવસ્થિત સંગઠનની જરૂર છે. કોંગ્રેસમાં હાલ પ્રિયંકા ગાંધી જ એક વ્યક્તિ છે જે આ કાર્યને સંભાળી શકે છે.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.