પ્રિયંકા ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:35:28

ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત ચૂંટણી નજીક આવતા સક્રીય થઈ છે. કોંગ્રેસમાં હલચલ દેખાઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી વડોદરામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી શકે છે. ઉપરાંત આણંદમાં મહિલા સંમેલનમાં પણ ભાગ લઈ શકે છે. 

Priyanka Gandhi to start virtual poll campaign from Saturday

ભાજપ અને આપ બાદ કોંગ્રેસ શરૂ કરશે ચૂંટણી પ્રચાર

વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચારમાં લાગી ગયો છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રસે પણ ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં જન સભા સંબોધી હતી. ત્યારે પ્રિયંકા ગાંધી વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર કરવાના છે. આમ આદમી પાર્ટી, ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. ત્યારે પ્રિયંકા ગાંધીની મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.