પ્રિયંકા ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:35:28

ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત ચૂંટણી નજીક આવતા સક્રીય થઈ છે. કોંગ્રેસમાં હલચલ દેખાઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી વડોદરામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી શકે છે. ઉપરાંત આણંદમાં મહિલા સંમેલનમાં પણ ભાગ લઈ શકે છે. 

Priyanka Gandhi to start virtual poll campaign from Saturday

ભાજપ અને આપ બાદ કોંગ્રેસ શરૂ કરશે ચૂંટણી પ્રચાર

વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચારમાં લાગી ગયો છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રસે પણ ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં જન સભા સંબોધી હતી. ત્યારે પ્રિયંકા ગાંધી વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર કરવાના છે. આમ આદમી પાર્ટી, ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. ત્યારે પ્રિયંકા ગાંધીની મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .