પ્રિયંકા ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:35:28

ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત ચૂંટણી નજીક આવતા સક્રીય થઈ છે. કોંગ્રેસમાં હલચલ દેખાઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી વડોદરામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી શકે છે. ઉપરાંત આણંદમાં મહિલા સંમેલનમાં પણ ભાગ લઈ શકે છે. 

Priyanka Gandhi to start virtual poll campaign from Saturday

ભાજપ અને આપ બાદ કોંગ્રેસ શરૂ કરશે ચૂંટણી પ્રચાર

વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચારમાં લાગી ગયો છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રસે પણ ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં જન સભા સંબોધી હતી. ત્યારે પ્રિયંકા ગાંધી વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર કરવાના છે. આમ આદમી પાર્ટી, ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. ત્યારે પ્રિયંકા ગાંધીની મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.