પ્રગતિ , મુસ્કાન .... લગ્ન સંસ્થાની શરૂવાત કેમ બને છે જીવનનો અંત! પુરુષોમાં ડરનો માહલો!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-26 18:05:41


ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, જેમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની અપેક્ષા રાખવામાં આવે છે. હમણાં જેવી ઘટનાઓ બની છે  આ પવિત્ર બંધનની પરિભાષાને જ બદલી નાખી છે. પત્નીઓ દ્વારા પતિની  બર્બર હત્યાના કિસ્સાઓએ સમાજને સ્તબ્ધ કરી દીધો છે. પ્રગતિ, મુસ્કાન, આફતાબ જેવા કેસ અને છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સમાન ઘટનાઓએ એક મોટો સવાલ ઉભો કર્યો છે અને એ આખી વ્યવસ્થા પર પણ કારણકે દરેક માણસ એ સ્ત્રી હોય કે પુરુષ એ ડરમાં છે કે લગન કરવા કે નહીં મીમ પણ એવા બની ગયા છે અરેન્જ મેરેજ કરી લઈએ પણ જો એ મુસ્કાન જેવી નિકડી તો તો વિસ્તારથી ડેકોડ કરીએ આ ગંભીર સમસ્યા અને કેમ લોકોની માનસિકતા બદલાઈ એ વિષે 


15 દિવસમાં પત્નીએ પતિની ગેમ ઓવર કરી નાખી! 

ઉત્તર પ્રદેશમાં હમણાં જ  પ્રગતિ નામની મહિલાએ લગ્નના માત્ર 15 દિવસમાં જ પોતાના પતિની હત્યા કરી નાખી. તેના પ્રેમી સાથે મળીને ઘડાયેલી આ યોજનામાં પતિને મારી નાખવાનું કારણ હતું પ્રેમી સાથેનું સંબંધ. અને આ વયસે વરસા છે અત્યારે મુસ્કાન પ્રગતિના કેસ આવ્યા આની પહેલા આફતાબનો કેસ ખૂબ ચર્ચામાં હતો..  



પ્રગતિના કેસ પહેલા ક  મુસ્કાન રસ્તોગી: નિર્દયતાની પરાકાષ્ઠા પર કરી દીધી હતી 

મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પતિ સૌરભ રાજપૂતને ડ્રગ્સ આપીને બેભાન કર્યો, પછી પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેને મારી નાખ્યો . શરીરના ટુકડા કરીને સિમેન્ટથી ભરેલા ડ્રમમાં છુપાવી દીધું. આ ઘટના 4 માર્ચ, 2025ના રોજ બની અને 18 માર્ચે ખુલાસો થયો. મુસ્કાનના માતા-પિતાએ પણ તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને કડક સજાની માગણી કરી. આ કેસમાં ડ્રગ્સની લત અને અંધશ્રદ્ધાની વાર કરવામાં આવે છે એની પહેલા આટલો જ કરુર કિસ્સો  આફતાબ પૂનાવાલાનો હતો જરને  શ્રદ્ધા વોકરને મારી નાખી અને શરીરના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા.આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની ગળું દબાવીને હત્યા કરી,  આ કેસમાં પ્રેમ સંબંધમાં ઝઘડો અને ઈર્ષ્યા મુખ્ય કારણ હતું. ભલે આ લગ્ન ન હતું, પરંતુ નજીકના સંબંધમાં આવી ઘટનાએ સમાજની માનસિકતા પર સવાલ ઉભા કર્યા. અને રિપોર્ટ મુજબ એક વર્ષમાં આવી 50 કરતાં પણ વધુ ઘટનાઓ બની છે જે ચિંતાનો વિષય છે ઘટનાઓનું કારણ સમજવાનો પ્રયાસ કરેતો સામાજિક માનસિક અને બીજા અનેક કારણો સામે આવે! 




ઘટનાઓનું કારણ શું? 

1. વિશ્વાસનો અભાવ:- લગ્નમાં પ્રેમ અને વિશ્વાસની કમી આવી ઘટનાઓને જન્મ આપે છે. પ્રગતિ અને મુસ્કાનના કેસમાં પ્રેમી સાથેના સંબંધે પતિ સાથેના બંધનને તોડી નાખ્યું.

2. ડ્રગ્સ અને લત:- મુસ્કાનના કેસમાં ડ્રગ્સની લતે મહત્વની ભૂમિકા ભજવી. નશાની આદતે વ્યક્તિની નૈતિકતા અને નિર્ણયશક્તિને ખતમ કરી દીધી.

3. અંધશ્રદ્ધા:- મુસ્કાને સાહિલે અંધશ્રદ્ધાના નામે ઉશ્કેરી, જે આધુનિક સમાજમાં પણ આવી માનસિકતાનું પ્રતિબિંબ છે.

4. સ્ત્રી-પુરુષ સંબંધોમાં બદલાવ:- આજના યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે. લગ્ન બહારના સંબંધો અને ઈર્ષ્યા આવી ઘટનાઓ અને વિચારો પેદા કરે છે 

5. નૈતિક મૂલ્યોનું પતન:- સમાજમાં નૈતિકતા અને જવાબદારીની ભાવના ઘટી રહી છે, જેના કારણે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આવા રસ્તા અપનાવે છે. જે ડેન્જયર્સ અને સકેરી છે 


લગ્નજીવનમાં આવી ઘટનાઓ એક ચેતવણી છે કે સમાજે પોતાની વ્યવસ્થા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. શિક્ષણ, જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ આવ્યા કેસમાં સરકારે પણ કડક કાયદા અને ઝડપી ન્યાયની વ્યવસ્થા કરવી પડશે, બાકી અત્યારે જનરેશન જેમ વિચારે છે મી જલ્દી જ  લગ્ન જેવી સંસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે, અને સમાજનું માળખું ખોરવાઈ જશે. તમારું આ વિષે પર 






સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.