ગાંધીજીની જેમ વિરોધની નવી-નવી રીત શોધી રહ્યા છે જ્ઞાન સહાયક યોજના વિરોધી શિક્ષકો, કોઈ રીત કામ લાગશે?


  • Published By :
  • Published Date : 2023-09-11 16:19:16

ગુજરાત સરકારની કરાર આધારિત ભરતીનો સરકારને તો ફાયદો છે પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પહેલા ગાંધીનગરમાં અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરવા ગયા પણ ત્યાં તેમની વાત કોઈએ ન સાંભળી. પછી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ભેગા થઈ અનેકવાર વિરોધ કર્યો પણ તેમને પોલીસના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા અને આંદોલન પણ કામ ન લાગ્યું. વિદ્યાર્થીઓ નિરાશ ન થયા અને હનુમાનજીને પત્ર લખ્યો કારણ કે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનો મુદ્દો ત્યારે ગરમાયેલો હતો. વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં ન આવી તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં તેમણે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને મહાદેવને પત્ર લખ્યા પણ CM, PM અને મહાદેવે પણ વિદ્યાર્થીઓની વાત ન સાંભળી. પછી વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા, સંતોએ તેમની વાત સાંભળી પણ સંતોના અવાજની કોઈ અસર ન થઈ. છતાં પણ વિદ્યાર્થી હિંમત ન હાર્યા અને હવે કોરોનાના સમયની જેમ થાળી અને તાળી વગાડીને વિરોધ નોંધાવી રહ્યા છે. 

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નવી યોજના બનાવી છે. હવે તે તાળી અને થાળી વગાડીને વિરોધ નોંધાવાની યોજના ઘડવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ વીડિયો વહેતો કરીને જાહેરાત કરી છે કે હવે નવી રીતે વિરોધ કરીશું. ગુજરાતના ખૂણે ખૂણે જઈને થાળી વગાડી અને તાળી વગાડીને વિરોધ કરી અને સરકારને ભાવિ શિક્ષકોની વાત પહોંચાડીશું એવી હાકલ યુવરાજસિંહ જાડેજાએ સરકારને કરી છે. 

ગુજરાતમાં અનેક જગ્યા પર થાળી અને તાળી વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે એવામાં વાંસદામાં અનંત પટેલની આગેવાનીમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધી શિક્ષકોએ નારે બાજી કરી હતી. "ટેટ ટાટને ન્યાય આપો" "કરાર એ અમારા ભવિષ્યનો મજાક છે" "ન્યાય આપો ન્યાય આપો" "શિક્ષકોની કાયમી ભરતી કરો" "જ્ઞાન સહાયક રદ કરો" જેવા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ અનંત પટેલ સાથે તાળી પાડીને અને થાળી વગાડીને વિરોધ કર્યો હતો. 

સુરતના માંડવીમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવા ભાવી શિક્ષકોએ નારેબાજી સાથે રેલી કાઢી હતી. 

પંચમહાલમાં પણ થાળી વગાડીને સરકારની યોજનાનો વિરોધ કરાયો હતો. 

બનાસકાંઠાના થરાદની રાજેશ્વર આદર્શ વિદ્યાલય ખાતે હાથમાં પત્રકો લઈને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

વિદ્યાર્થીઓ સરકારને મનાવવા પ્રયાસો કરી રહી છે ટીવી ડિબેટ કરી રહ્યા છે, તર્કો કરી રહ્યા છે સવાલો કરી રહ્યા છે. ઓનલાઈન યુદ્ધ કરી રહ્યા છે, જમીન પર પણ ઉતરી રહ્યા છે પરંતુ તે સરકાર અવાજ સાંભળી નથી રહી. જેની પાછળ સરકારના અને સરકારી અધિકારીઓના પણ અનેક તર્કો છે જેમની જગ્યાએ એ સાચા હોય શકે. હવે આગળ વિદ્યાર્થીઓ ક્યાં સુધી આ લડત ચાલુ રાખશે એ જોવાનું રહેશે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.