ગાંધીજીની જેમ વિરોધની નવી-નવી રીત શોધી રહ્યા છે જ્ઞાન સહાયક યોજના વિરોધી શિક્ષકો, કોઈ રીત કામ લાગશે?


  • Published By :
  • Published Date : 2023-09-11 16:19:16

ગુજરાત સરકારની કરાર આધારિત ભરતીનો સરકારને તો ફાયદો છે પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પહેલા ગાંધીનગરમાં અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરવા ગયા પણ ત્યાં તેમની વાત કોઈએ ન સાંભળી. પછી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ભેગા થઈ અનેકવાર વિરોધ કર્યો પણ તેમને પોલીસના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા અને આંદોલન પણ કામ ન લાગ્યું. વિદ્યાર્થીઓ નિરાશ ન થયા અને હનુમાનજીને પત્ર લખ્યો કારણ કે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનો મુદ્દો ત્યારે ગરમાયેલો હતો. વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં ન આવી તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં તેમણે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને મહાદેવને પત્ર લખ્યા પણ CM, PM અને મહાદેવે પણ વિદ્યાર્થીઓની વાત ન સાંભળી. પછી વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા, સંતોએ તેમની વાત સાંભળી પણ સંતોના અવાજની કોઈ અસર ન થઈ. છતાં પણ વિદ્યાર્થી હિંમત ન હાર્યા અને હવે કોરોનાના સમયની જેમ થાળી અને તાળી વગાડીને વિરોધ નોંધાવી રહ્યા છે. 

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નવી યોજના બનાવી છે. હવે તે તાળી અને થાળી વગાડીને વિરોધ નોંધાવાની યોજના ઘડવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ વીડિયો વહેતો કરીને જાહેરાત કરી છે કે હવે નવી રીતે વિરોધ કરીશું. ગુજરાતના ખૂણે ખૂણે જઈને થાળી વગાડી અને તાળી વગાડીને વિરોધ કરી અને સરકારને ભાવિ શિક્ષકોની વાત પહોંચાડીશું એવી હાકલ યુવરાજસિંહ જાડેજાએ સરકારને કરી છે. 

ગુજરાતમાં અનેક જગ્યા પર થાળી અને તાળી વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે એવામાં વાંસદામાં અનંત પટેલની આગેવાનીમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધી શિક્ષકોએ નારે બાજી કરી હતી. "ટેટ ટાટને ન્યાય આપો" "કરાર એ અમારા ભવિષ્યનો મજાક છે" "ન્યાય આપો ન્યાય આપો" "શિક્ષકોની કાયમી ભરતી કરો" "જ્ઞાન સહાયક રદ કરો" જેવા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ અનંત પટેલ સાથે તાળી પાડીને અને થાળી વગાડીને વિરોધ કર્યો હતો. 

સુરતના માંડવીમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવા ભાવી શિક્ષકોએ નારેબાજી સાથે રેલી કાઢી હતી. 

પંચમહાલમાં પણ થાળી વગાડીને સરકારની યોજનાનો વિરોધ કરાયો હતો. 

બનાસકાંઠાના થરાદની રાજેશ્વર આદર્શ વિદ્યાલય ખાતે હાથમાં પત્રકો લઈને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

વિદ્યાર્થીઓ સરકારને મનાવવા પ્રયાસો કરી રહી છે ટીવી ડિબેટ કરી રહ્યા છે, તર્કો કરી રહ્યા છે સવાલો કરી રહ્યા છે. ઓનલાઈન યુદ્ધ કરી રહ્યા છે, જમીન પર પણ ઉતરી રહ્યા છે પરંતુ તે સરકાર અવાજ સાંભળી નથી રહી. જેની પાછળ સરકારના અને સરકારી અધિકારીઓના પણ અનેક તર્કો છે જેમની જગ્યાએ એ સાચા હોય શકે. હવે આગળ વિદ્યાર્થીઓ ક્યાં સુધી આ લડત ચાલુ રાખશે એ જોવાનું રહેશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.