સિંહોના રક્ષણ માટે ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખૂલ્લા કૂવા ફરતે બાંધવામાં આવી સંરક્ષણ દિવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-12 11:52:57

પ્રકૃતિનું જતન કરવાની જવાબદારી આપણા સૌની છે... પ્રકૃતિ છે તો આપણે છીએ... પ્રકૃતિના જતનમાં ના માત્ર જંગલો, વનસ્પતિઓના સંરક્ષણનો સમાવેશ થાય છે પરંતુ વન્ય પ્રાણીઓની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.  પ્રકૃતિનું જનત કરવું જોઈએ પરંતુ સાથે સાથે જંગલોમાં રહેતા પ્રાણીઓની સુરક્ષા પર  પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ... ગીરના વિસ્તારમાં રહેતા અનેક સિંહોના મોત ખુલ્લા કુવામાં પડી જવાને કારણે થાય છે. ત્યારે ગીર રક્ષિત વિસ્તારમાં કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન વિભાગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે એમઓયુ કર્યો હતો જે અંતર્ગત 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવામાં આવી.  

1534 ખુલ્લા કુવા ફરતે બાંધવામાં આવી સંરક્ષણ દિવાલ 

ગીરના જંગલમાં રહેતા સિંહો ના માત્ર ગુજરાતના પરંતુ ભારતભરના ગૌરવ સમાન છે. સિંહોની જાળવણી, તેમની સુરક્ષાએ આપણી જવાબદારી છે...! પરંતુ અનેક વખત સિંહો દુર્ઘટનાનો શિકાર થઈ જતા હોય છે.. ખુલ્લા કુવામાં સિંહો પડી જતા હોય છે જેને કારણે તેમના મોત થાય છે અથવા તો તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે સિંહોની સુરક્ષા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. 


પરિમલ નથવાણીના નેતૃત્વમાં કરાયું આ કાર્ય 

આ કાર્ય કરવા પાછળનો મુખ્ય હેતુ સિંહોનું સંરક્ષણ કરવાનો હતો.આર.આઇ.એલ.એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતિ કરાર કર્યો હતો. આ કરાર અંતર્ગત વન્યજીવ પ્રેમી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે. મહત્વનું છે કે ખુલ્લા કુવા હોવાને કારણે એશિયાટીક સિંહો દુર્ઘટનાનો શિકાર બનતા હતા અને મૃત્યુ પામતા હતા. ત્યારે હવે સંરક્ષણ દિવાલ બનવાને કારણે આવી દુર્ઘટના થતી અટકશે...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.