સિંહોના રક્ષણ માટે ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખૂલ્લા કૂવા ફરતે બાંધવામાં આવી સંરક્ષણ દિવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-12 11:52:57

પ્રકૃતિનું જતન કરવાની જવાબદારી આપણા સૌની છે... પ્રકૃતિ છે તો આપણે છીએ... પ્રકૃતિના જતનમાં ના માત્ર જંગલો, વનસ્પતિઓના સંરક્ષણનો સમાવેશ થાય છે પરંતુ વન્ય પ્રાણીઓની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.  પ્રકૃતિનું જનત કરવું જોઈએ પરંતુ સાથે સાથે જંગલોમાં રહેતા પ્રાણીઓની સુરક્ષા પર  પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ... ગીરના વિસ્તારમાં રહેતા અનેક સિંહોના મોત ખુલ્લા કુવામાં પડી જવાને કારણે થાય છે. ત્યારે ગીર રક્ષિત વિસ્તારમાં કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન વિભાગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે એમઓયુ કર્યો હતો જે અંતર્ગત 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવામાં આવી.  

1534 ખુલ્લા કુવા ફરતે બાંધવામાં આવી સંરક્ષણ દિવાલ 

ગીરના જંગલમાં રહેતા સિંહો ના માત્ર ગુજરાતના પરંતુ ભારતભરના ગૌરવ સમાન છે. સિંહોની જાળવણી, તેમની સુરક્ષાએ આપણી જવાબદારી છે...! પરંતુ અનેક વખત સિંહો દુર્ઘટનાનો શિકાર થઈ જતા હોય છે.. ખુલ્લા કુવામાં સિંહો પડી જતા હોય છે જેને કારણે તેમના મોત થાય છે અથવા તો તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે સિંહોની સુરક્ષા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. 


પરિમલ નથવાણીના નેતૃત્વમાં કરાયું આ કાર્ય 

આ કાર્ય કરવા પાછળનો મુખ્ય હેતુ સિંહોનું સંરક્ષણ કરવાનો હતો.આર.આઇ.એલ.એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતિ કરાર કર્યો હતો. આ કરાર અંતર્ગત વન્યજીવ પ્રેમી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે. મહત્વનું છે કે ખુલ્લા કુવા હોવાને કારણે એશિયાટીક સિંહો દુર્ઘટનાનો શિકાર બનતા હતા અને મૃત્યુ પામતા હતા. ત્યારે હવે સંરક્ષણ દિવાલ બનવાને કારણે આવી દુર્ઘટના થતી અટકશે...   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.